Wednesday, April 16, 2025
ગુજરાતી

Fact Check

બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના નજીક એક મસ્જિદ હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીરનું સત્ય

Written By Shubham Singh, Translated By Prathmesh Khunt, Edited By Pankaj Menon
Jun 6, 2023
banner_image

Claim : બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના નજીક એક મસ્જિદ

Fact : બાલાસોરના બહંગા માર્કેટમાં આવેલું ઈસ્કોન મંદિર જે દુર્ઘટના સ્થળથી લગભગ 50-100 મીટર દૂર છે.

ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના બાદ અકસ્માત સ્થળની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. કેટલીક તસ્વીરો સાંપ્રદાયિક દાવા સાથે શેર કરવામાં આવી રહી છે કે જ્યાં ટ્રેન અકસ્માત થયો હતો ત્યાં એક મસ્જિદ આવેલ છે.

Courtesy:Facebook/Pankaj Sharma

હકીકતમાં, કોરોમંડલ એક્સપ્રેસ 2 જૂનની સાંજે સાત વાગ્યે ઓડિશાના બાલાસોરમાં ક્રેશ થઈ હતી. આ ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 288 લોકોના મોત થયા છે. બીબીસીના અહેવાલ મુજબ, આ ઘટના બાલાસોર નજીક બહાનાગા બજાર સ્ટેશન પાસે બની હતી. કોરોમંડલ એક્સપ્રેસ અને વિશ્વેશ્વરૈયા-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસના કુલ 17 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જ્યારે રેલ્વે સ્ટેશન પર ઉભી રહેલી એક માલગાડી પણ અકસ્માતની ઝપેટમાં આવી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે.

Fact Check / Verification

બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના નજીક એક મસ્જિદ આવેલ હોવાના વાયરલ દાવા અંગે સર્ચ કરતા અમને રોઇટર્સ અને એસોસિએટેડ પ્રેસને ક્રેડિટ આપીને આ ટ્રેન દુર્ઘટના સંબંધિત તસ્વીરો મળી. અહીંયા ઘટનાસ્થળની નજીકની વાયરલ તસવીર જોવા મળે છે. મળી, જેના ઉપરના ભાગને ધ્યાનથી જોતાં એક ‘શિખર’ દેખાઈ રહ્યું હતું. આ મંદિરનો સૌથી ઊંચો ભાગ હોવાનું જણાય છે.

આ વિશે વધુ માહિતી માટે, અમે અકસ્માત સ્થળે હાજર સમાચાર એજન્સી પીટીઆઈના સંવાદદાતા સુફિયાનનો સંપર્ક કર્યો હતો. વાયરલ તસ્વીર જોઈને તેમણે જણાવ્યું “આ બાલાસોરના બહંગા માર્કેટમાં આવેલું ઈસ્કોન મંદિર છે.”

આ પછી, અમે ગૂગલ મેપ પર બહંગા માર્કેટમાં સ્થિત ઇસ્કોન મંદિરને સર્ચ કર્યું. અહીંયા Google Maps પર ઈસ્કોન મંદિર અને અકસ્માત સ્થળ વચ્ચેના અંતરનું તુલનાત્મક વિશ્લેષણ અને વાયરલ ઈમેજ જોઈ શકાય છે.

આ ઉપરાંત અમે બહાનગા માર્કેટમાં મોબાઈલ રિપેરિંગની દુકાન ચલાવતા સંજીબનો પણ સંપર્ક કર્યો હતો. અમે તેને વાયરલ તસવીર મોકલી હતી. તેમણે પણ વાયરલ થયેલા દાવાને નકારી કાઢ્યો હતો. તેણે કહ્યું, “આ ઈસ્કોન મંદિરની તસવીર છે. તે અમારી દુકાનથી 50 મીટર દૂર છે. આ મંદિરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ મંદિર દુર્ઘટના સ્થળથી લગભગ 50-100 મીટર દૂર છે.” તેમણે અમને ઈસ્કોન મંદિરની કેટલીક અન્ય તસ્વીરો પણ મોકલી છે.

તપાસ દરમિયાન અમે બહંગામાં આવેલા ઈસ્કોન મંદિરનો પણ સંપર્ક કર્યો હતો. અમે વોટ્સએપ પર વાયરલ થયેલો દાવો મંદિર પ્રશાસનને મોકલી આપ્યો હતો. આ દાવાને રદિયો આપતાં તેમણે પણ કહ્યું કે તે ઈસ્કોન મંદિરની તસ્વીર છે.

ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના બાદથી સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. 04 જૂનના રોજ, ઓડિશા પોલીસે અફવા ફેલાવનારા અને ઘટનાને સાંપ્રદાયિક રંગ આપનારાઓ સામે પગલાં લેવા અંગે ટ્વિટ પણ કર્યું છે.

Conclusion

બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના નજીક એક મસ્જિદ આવેલ હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. વાયરલ તસ્વીરમાં જોવા મળતી ઇમારત એક મંદિર છે. બાલાસોરના બહંગા માર્કેટમાં આવેલું ઈસ્કોન મંદિર જે દુર્ઘટના સ્થળથી લગભગ 50-100 મીટર દૂર છે.

Result : False

Our Source
Image Published by Reuters and Associated Press on June 3, 2023
Telephonic Conversation with PTI Correspondent Suffian
Telephonic Conversation with Balasore local Mobile repair shop owner Sanjib
Conversation with Balasore Iskcon Temple Administration
Google Map
Odisha Police Tweet on June 4, 2023

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

17,795

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage
cookie

અમારી વેબસાઇટ કૂકીઓ નો ઉપયોગ કરે છે

અમે કુકીઝ અને સમાન તકનીકનો ઉપયોગ કરીએ છીએ તાકી વિષયવસ્તુને વ્યક્તિગત બનાવી શકો, વિજ્ઞાપનોને સુયોજિત કરી અને માપી શકો, અને ઉત્કૃષ્ટ અનુભવ આપી શકો. 'ઠીક છે' પર ક્લિક કરીને અથવા કુકી પસંદગીઓમાં એક વિકલ્પને ચાલુ કરીને, તમે આને સવિકારો, જેમાં આમાં અમારી કુકી નીતિમાં વિવરણ કરાયું છે.