Claim : દાવો કરવામાં આવ્યો છે કે “મુસ્લિમ કન્ટ્રી UAE માં બેન્ક ઓફ બરોડા ના ખાતા બંધ કરવા લાંબી કતારો .૧ મહિનામાં BOB નું ફીંડલું વળી જશે નક્કી.”
Fact : બેન્ક ઓફ બરોડા દ્વારા સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યું કે “બેંક ઓફ બરોડાએ એક વર્ષ પહેલા યુએઈમાં તેની અલ આઈન શાખાને બંધ કરવાનો વ્યાપારી નિર્ણય લીધો હતો” સોશિયલ મીડિયા પોસ્ટ પાયાવિહોણી છે.
હિંડનબર્ગના અહેવાલ બાદ બેંક ઓફ બરોડાના સીઈઓ સંજીવ ચઢ્ઢા દ્વારા અદાણી જૂથને લોન આપવાનું ચાલુ રાખવાનું નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચાનો મુદ્દો બની ગયું છે. આ સંદર્ભમાં, ફેસબુક યુઝર્સ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે “મુસ્લિમ કન્ટ્રી UAEમાં બેન્ક ઓફ બરોડા ના ખાતા બંધ કરવા લાંબી કતારો 1 મહિનામાં BOB નું ફીંડલું વળી જશે નક્કી.”

આ પણ વાંચો : બેન્ક ઓફ બરોડાના વાયરલ દાવા અંગે ન્યૂઝચેકર ઈંગ્લીશ ટિમ દ્વારા આ અહેવાલ 27 ફેબ્રુઆરીના પ્રકાશિત કરવામાં આવેલ છે.
Fact Check / Verification
UAE માં બેન્ક ઓફ બરોડા ના ખાતા બંધ કરવા લાંબી કતારો લાગી હોવાના વાયરલ દાવા અંગે ‘Bank Of Baroda’ અને ‘Al Ain Branch’ કીવર્ડ સર્ચ કરતા અમને ઘણા અહેવાલો જોવા મળ્યા મની કંટ્રોલ દ્વારા પ્રકાશિત અહેવાલ મુજબ, સોશિયલ મીડિયાની અફવાઓનું ખંડન કરતા બેન્ક ઓફ બરોડા સ્પષ્ટ કરે છે કે UAE માં અલ આઈન શાખા બંધ કરવાનો નિર્ણય ગત વર્ષે લેવામાં આવ્યો હતો.
વધુ માહિતી મુજબ, ધિરાણકર્તાએ ગયા વર્ષે આ શાખાને બંધ કરવાનો નિર્ણય લીધો હતો, BOBએ તેના અધિકૃત નિવેદનમાં જણાવ્યું હતું કે, “હાલ કાર્યરત સેવાઓ ચાલુ રાખવાની ખાતરી સાથે તમામ બેન્ક ખાતાઓને UAEની અબુ ધાબી શાખામાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે.”
ANI દ્વારા પ્રકાશિત અહેવાલમાં અનુસાર પણ “બેંક ઓફ બરોડાએ એક વર્ષ પહેલા યુએઈમાં અલ આઈન શાખા બંધ કરવાના નિર્ણયની સ્પષ્ટતા કરી હતી.

બેન્ક ઓફ બરોડા દ્વારા ફેબ્રુઆરી 26ના ટ્વીટર પર પોસ્ટ કરવામાં આવેલ નિવેદન જોવા મળે છે. જ્યાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે સોશિયલ મીડિયા પોસ્ટ પાયાવિહોણી છે. “બેંક ઓફ બરોડાએ એક વર્ષ પહેલા યુએઈમાં તેની અલ આઈન શાખાને બંધ કરવાનો વ્યાપારી નિર્ણય લીધો હતો અને તેના માટે યુએઈની સેન્ટ્રલ બેંક પાસેથી મંજૂરી મેળવી હતી. 20.01.2023ના આપવામાં આવેલ સૂચના મુજબ UAEમાં અલ આઈન શાખા 20.03.2023થી બંધ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, બેન્ક ઓફ બરોડા દ્વારા સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ પર વિશ્વાસ ના કરવા અપીલ કરવામાં આવી છે.
Conclusion
UAE માં બેન્ક ઓફ બરોડા ના ખાતા બંધ કરવા લાંબી કતારો લાગી હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. બેન્ક ઓફ બરોડા દ્વારા સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યું કે “બેંક ઓફ બરોડાએ એક વર્ષ પહેલા યુએઈમાં તેની અલ આઈન શાખાને બંધ કરવાનો વ્યાપારી નિર્ણય લીધો હતો” સોશિયલ મીડિયા પોસ્ટ પાયાવિહોણી છે.
Result : False
Our Source
Report published by Money Control on February 27, 2023
Report published by ANI on February 27, 2023
Statement by Bank Of Baroda posted on Twitter, on February 26, 2023
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044