Saturday, April 26, 2025
ગુજરાતી

Fact Check

શું બિપરજોય વાવાઝોડાના કારણે જામનગરમાં દરિયાનું પાણી ફરી વળ્યું છે? જાણો શું છે સત્ય

Written By Prathmesh Khunt
Jun 16, 2023
banner_image

Claim : બિપરજોય ચક્રવાતના કારણે જામનગરમાં દરિયાનું પાણી ફરી વળ્યું

Fact : વાયરલ થઈ રહેલો વિડીયો 2021માં ભારે વરસાદના કારણે સર્જાયેલ સ્થિતિ છે.

ગુજરાતના કચ્છ નજીક બિપરજોય ટકરાયું છે. સોશ્યલ મીડિયા પર દરિયા કિનારાના વિસ્તારોના અનેક વિડીયો જોવા મળી રહ્યા છે. આ ક્રમમાં એક વિડીયો શેર કરવામાં આવ્યો છે, જેમાં સમગ્ર ગામમાં પાણી ઘુસી ગયા છે. યુઝર્સ દાવો કરી રહ્યા છે કે બિપરજોય ચક્રવાતના કારણે જામનગરમાં દરિયાનું પાણી ફરી વળ્યું છે.

Fact check / Verification

બિપરજોય ચક્રવાતના કારણે જામનગરમાં દરિયાનું પાણી ફરી વળ્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયોના કિફ્રેમ્સ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર 13 સપ્ટેમ્બર 2021ના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયો જોવા મળે છે. અહીંયા આપેલ માહિતી મુજબ, જામનગરના અલિયાબડા, જાંબુડા, બલચડી, મોટી બનુગર, સપડા, પસાયા બેરજા પંથકમાં હોનારત જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

વધુમાં, જામનગરમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયા હોવાના અન્ય વિડીયો ફેસબુક યુઝર દ્વારા પણ શેર કરવામાં આવેલા છે.

આ અંગે વધુ તપાસ કરતા zeenews અને bbc દ્વારા સપ્ટેમ્બર 2021ના જામનગરમાં સર્જયેલ પૂરની પરિસ્થિતિનું વર્ણન કરતા અહેવાલો જોવા મળે છે. જે મુજબ, ભારે વરસાદના પગલે રાજકોટ, જામનગર, જેતપુર સહિતના અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો.

શું બિપરજોય વાવાઝોડાના કારણે જામનગરમાં દરિયાનું પાણી ફરી વળ્યું છે? જાણો શું છે સત્ય

Conclusion

બિપરજોય ચક્રવાતના કારણે જામનગરમાં દરિયાનું પાણી ફરી વળ્યું હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલો વિડીયો 2021માં ભારે વરસાદના કારણે સર્જાયેલ સ્થિતિ છે. સોશ્યલ મીડિયા યુઝર્સ આ ઘટનાને બિપરજોય વાવાઝોડાના સંદર્ભમાં ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.

Result : False

Our Source
YouTube Video Of vadhiya bhai369, 13 Sept 2021
Facebook Post of VIRAL #ગુજરાત, 13 Sept 2021
Media Report Of zeenews, 23 Sept 2021
Media Report Of bbc, 14 Sept 2021

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

17,924

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage
cookie

અમારી વેબસાઇટ કૂકીઓ નો ઉપયોગ કરે છે

અમે કુકીઝ અને સમાન તકનીકનો ઉપયોગ કરીએ છીએ તાકી વિષયવસ્તુને વ્યક્તિગત બનાવી શકો, વિજ્ઞાપનોને સુયોજિત કરી અને માપી શકો, અને ઉત્કૃષ્ટ અનુભવ આપી શકો. 'ઠીક છે' પર ક્લિક કરીને અથવા કુકી પસંદગીઓમાં એક વિકલ્પને ચાલુ કરીને, તમે આને સવિકારો, જેમાં આમાં અમારી કુકી નીતિમાં વિવરણ કરાયું છે.