Monday, April 28, 2025
ગુજરાતી

Fact Check

Fact Check – 1992ના રમખાણો માટે ઉદ્ધવ ઠાકરેએ મુસ્લિમ નેતાઓની માફી માંગી? શું છે સત્ય

Written By Vasudha Beri, Translated By Dipalkumar Shah, Edited By JP Tripathi
Nov 21, 2024
banner_image

Claim – શિવસેના (યુબીટી) ચીફ ઉદ્ધવ ઠાકરેએ 1992ના રમખાણોમાં પાર્ટીની ભાગીદારી માટે મુસ્લિમ નેતાઓની માફી માંગી હતી. એમ એક અખબારના અહેવાલમાં જણાવાયું છે.
Fact – વાયરલ ન્યૂઝ ક્લિપિંગ બનાવટી છે.

સોશિયલ મીડિયામાં શિવસેના (યુબીટી) ચીફ ઉદ્ધવ ઠાકરેએ 1992ના રમખાણોમાં પાર્ટીની ભાગીદારી માટે મુસ્લિમ નેતાઓની માફી માંગી હતી. એમ એક અખબારના અહેવાલમાં જણાવાયું હોવાનો દાવો વાઇરલ થયેલ છે.

તાજેતરમાં જ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઓનું મતદાન થયેલ છે અને હવે પરિણામો આવવાના છે, તે સમયે ફરી રાજ્યના નેતાઓ અને પક્ષો વિશે આ રીતે વાઇરલ દાવો સામે આવ્યો છે.

Viral Newspaper Clipping Claiming Uddhav Thackeray Apologised To Muslim Leaders For 1992 Riots Is Fake
Screengrab from X post by @smitadeshmukh

આવી પોસ્ટ અહીં , અહીં અને અહીં જોઈ શકાય છે.

Fact Check/Verification

દાવાની તપાસમાં અમે “ઉદ્ધવ ઠાકરે,” “1992ના રમખાણો,” “મુસ્લિમો” અને “માફી” માટેના ગૂગલ કીવર્ડ સર્ચમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નેતાએ આવું કોઈ નિવેદન આપ્યું હોય તેવો કોઈ વિશ્વસનીય અહેવાલ મળ્યો નથી.

કથિત સમાચાર ક્લિપિંગનું કાળજીપૂર્વક વિશ્લેષણ કરવા પ, અમે નોંધ્યું કે તે “ રાષ્ટ્રીય ઉજાલા ” (રાષ્ટ્રીય ઉજાલા) પ્રકાશનના એક ‘પ્રણવ ડોગરા’ દ્વારા કરાયેલ છે.

Viral image

એક કીવર્ડ લઈને અમે ગૂગલ પર “રાષ્ટ્રીય ઉજાલા ” સર્ચ કર્યું જે અમને એક વેબસાઇટ તરફ દોરી ગયું. અમે વેબસાઈટ મારફતે સ્કિમિંગ કર્યું પરંતુ આવા કોઈ સમાચાર લેખ મળ્યા નથી.

જો કે, અમને ઠાકરે વિશેના “ખોટા અને દૂષિત સમાચાર” “રાષ્ટ્રીય ઉજાલાને ખોટી રીતે આભારી” તરીકે ઓળખાવતી નોંધ મળી. જેમાં લખ્યું છે, “અમે સ્પષ્ટતા કરવા માંગીએ છીએ કે, અમારા પ્રકાશનનો આ બનાવટી માહિતી સાથે કોઈ સંબંધ નથી.”

Screengrab from rashtriyaujala.com

અમે 19 નવેમ્બર, 2024ની તારીખે @dainkrashtriyaujala દ્વારા રાષ્ટ્રિય ઉજાલા અખબારના નામ હેઠળ પ્રસારિત થતી “નકલી સમાચાર ક્લિપિંગ્સ” વિશેની ફેસબુક પોસ્ટ પણ જોઈ. જેમાં સ્પષ્ટતા છે કે, “તે સ્પષ્ટ કરવામાં આવે છે કે પત્રકારો પ્રણવ ડોગરા અને અંકિત પાઠકનો અમારા અખબાર સાથે કોઈ સંબંધ નથી.”

Screengrab from Facebook post by @dainkrashtriyaujala

ન્યૂઝચેકર સ્વતંત્ર રીતે ચકાસી શક્યું નથી કે આવી મીટિંગ થઈ છે કે નહીં. જોકે, પ્રકાશકે સ્પષ્ટતા કરી છે કે વાયરલ ન્યૂઝ ક્લિપિંગ નકલી છે.

Read Also : Fact Check – મહારાષ્ટ્ર ચૂંટણીમાં બિટકૉઇન વિવાદ મામલે સુપ્રિયા સુલેનો વાઇરલ ઑડિયો AI જનરેટેડ

Conclusion

આથી, 1992ના રમખાણો અંગે ઉદ્ધવ ઠાકરેએ મુસ્લિમ નેતાઓની માફી માગી હોવાનું જણાવતી વાયરલ ન્યૂઝ ક્લિપિંગ બનાવટી હોવાનું જણાયું હતું.

Result: False

Sources
Rashtriya Ujala Website
Facebook Post By @dainkrashtriyaujala, Dated November 19, 2024

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

17,946

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage
cookie

અમારી વેબસાઇટ કૂકીઓ નો ઉપયોગ કરે છે

અમે કુકીઝ અને સમાન તકનીકનો ઉપયોગ કરીએ છીએ તાકી વિષયવસ્તુને વ્યક્તિગત બનાવી શકો, વિજ્ઞાપનોને સુયોજિત કરી અને માપી શકો, અને ઉત્કૃષ્ટ અનુભવ આપી શકો. 'ઠીક છે' પર ક્લિક કરીને અથવા કુકી પસંદગીઓમાં એક વિકલ્પને ચાલુ કરીને, તમે આને સવિકારો, જેમાં આમાં અમારી કુકી નીતિમાં વિવરણ કરાયું છે.