Thursday, April 17, 2025

Fact Check

Fact Check – અમદાવાદમાં રાણીના હજીરામાં મુસ્લિમ મહોલ્લો દૂર કરાતા 1600 વર્ષ જૂનું મંદિર નીકળ્યાનો વાઇરલ દાવો ખોટો

Written By Dipalkumar Shah, Edited By JP Tripathi
Oct 10, 2024
banner_image

Claim – અમદાવાદના રાણીના હજીરામાં મુસલમાનોના મહોલ્લાનું દબાણ દૂર કરાતા 1600 વર્ષ જૂનુ હિંદુ મંદિર મળી આવ્યાનો દાવો
Fact – દાવો ખોટો છે. મહાનગરપાલિકા દ્વારા હેરિટેજ ઇમારત ફરતે થયેલ એનક્રોચમેન્ટ દૂર કરાયા હતા. ઉપરાંત આવું કોઈ મંદિર મળી આવેલ નથી.

ગુજરાતના અમદાવાદ શહેરને હેરિટેજ શહેરને સત્તાવાર રીતે હેરિટેડ શહેર જાહેર કરાયેલ છે. અહીં સંખ્યાબંધ સાંસ્કૃતિક રીતે મહત્ત્વપૂર્ણ હેરિટેજ ઇમારતો આવેલી છે. જોકે, તાજેતરમાં હેરિટેજ સાઇટ મામલે એક દાવો સોશિયલ મીડિયામાં વાઇરલ જોવા મળ્યો હતો.

સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં કૅપ્શનમાં દાવો કરાયો કે અમદાવાદના રાણીના હજીરા સાઇટ પરથી મુસ્લિમ મહોલ્લાનું દબાણ દૂર કરાતા ત્યાંથી પ્રાચીન મંદિર મળી આવેલ છે. વીડિયોમાં એક વ્યક્તિ ઘટનાસ્થળનું રૅકર્ડિંગ કરી વર્ણન કરી રહી છે.

સોશિયલ મીડિયા યુઝર દ્વારા શેર કરાયેલ વીડિયોમાં કૅપ્શન લખવામાં આવ્યું છે કે, “અમદાવાદમાં રાણીના હજીરા નામથી મુસલમાનોનો એક મહોલ્લો વસેલો હતો. ત્યાંનું દબાણ હઠાવવા માટે ગુજરાત સરકાર દ્વારા બુલડોઝર ઍક્શન લેવામાં આવ્યું તો એક 1600 વર્ષ જૂનું ભવ્ય મંદિર નીકળી આવ્યું જેના પર મુસ્લિમોનો મહોલ્લો વસેલો હતો. વીડિયોમાં એ ભવ્ય મંદિર જોઈ શકાય છે, જેને મુસ્લિમ કબજામાંથી મુક્ત કરી લેવાયું છે. આ છે તમારા એક મતની કિંમત.” (ગુજરાતી અનુવાદ)

જોકે, ન્યૂઝચેકરને વીડિયો સાથે કરાયેલ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે.

Courtesy – Courtesy: FB/Bisambar Agrawal

આર્કાઇવ પોસ્ટ અહીં જુઓ

Fact Check/Verification

વાઇરલ વીડિયો અને તેની સાથે કરવામાં આવેલા દાવાની તપાસ માટે સૌપ્રથમ અમે વીડિયોના કીફ્રેમ્સનીની મદદથી ગૂગલ રિવર્સ સર્ચ દ્વારા ચકાસણી કરી.

જેમાં અમને, દૈનિક જાગરણનો 7 ફેબ્રુઆરી-2024ના રોજનો એક સમાચાર અહેવાલ પ્રાપ્ત થયો. અહેવાલનું શીર્ષક છે – અમદાવાદ : નગર નિગમે હેરિટેજ સાઇટ ‘રાણીનો હજીરો’ કરાવ્યો અતિક્રમણ મુક્ત, પર્યટકોને થશે સુવિધા

Courtesy – Screengrab Dainik Jagran

વધુમાં અહેવાલમાં જણાવ્યું હતું કે, “અમદાવાદની મહાનગરપાલિકાએ શહેરને સ્વચ્છ ળઅને સુંદર બનાવવા માટે હેરિટેડ સ્મારકો અને ઇમારતોને અતિક્રમણ મુક્ત કરવાનું અભિયાન છેડ્યું છે. જામા મસ્જિદ પાછળ સુલ્તાન અહમદ શાહનો મકબરો છે જેને રાજાનો હજીરો કહેવામાં આવે છે અને તેની સામે જ માણેક ચોક પાસે રાણીનો હજીરો બનેલો છે. આ એક મકબરો છે જેને મુગલાઈ બીબીનો મકબરો તરીકે પણ કહેવામાં આવે છે. અહીં સેંકડો વર્ગમીટરનું અતિક્રમણ હઠાવીને હવે તેને પર્યટકો માટે ખોલી દેવાયો છે. અહીં મુસ્લિમ વેપારીઓ દ્વારા ચારે તરફથી કબજો જમાવી દેવાયો હતો. ગુજરાતના વિશ્વ વિખ્યાત પારંપરિક નૃત્ય ગરબાના પોશાક, અન્ય વસ્ત્રો, હસ્તશિલ્પ અને કૃત્રિમ આભૂષણોનું આ મોટું બજાર છે. મુસ્લિમ વેપારીઓ દ્વારા અહીં ચારે તરફથી અતિક્રમણ કરાયું હતું. પરંતુ ગત દિવસોમાં મહાપાલિકાએ તેને હઠાવી દીધું જેથી એક તરફ બનેલા દાદર તથા ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષમનું સાઇન બોર્ડ પણ દેખાવા લાગ્યું હતું. મનપા તરફથી શાહપુર, ખાડિયા, જમાલપુર, રાયખડ, કાલુપુર તથા દરિયાપુર વિસ્તારમાં બનેલી હેરિટેજ ઇમારતોના સંરક્ષણ માટે આસપાસના અતિક્રમણ હઠાવવાના અભિયાનની શરૂઆત કરાઈ છે.”

ઉપરોક્ત અહેવાલમાં એ વાત સ્પષ્ટ થાય છે કે, જગ્યા એક હેરિટેજ સ્મારક છે અને મહાપાલિકા દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા છે તે સમયની એ ઘટના છે.

વધુમાં અહેવાલમાં ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કરાયો કે આ અભિયાન બાદ ઘટનાસ્થળેથી કોઈ પ્રાચીન મંદિર મળી આવેલ છે. દરમિયાન એ વાત પણ અહીં નોંધવી કે, અહેવાલ અનુસાર વેપારીઓ દ્વારા કરવામાં આવેલ દબાણ દૂર કરાયેલ છે. કોઈ સત્તાવાર કાયદેસર કાયમી રહેણાંક વિસ્તારને ખાલી કરાયો નથી.

આ મામલે વધુ તપાસ કરવા માટે અમે ગૂગલ સર્ચની મદદથી ઘટના સંબંધિત વધુ સમાચાર અહેવાલો ચકાસવાની કોશિશ કરી. પરંતુ દાવા સંબંધિત કોઈ ચોક્કસ સમાચાર અહેવાલ પ્રાપ્ત થયા નથી.

તદુપરાંત અમે અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારી સાથે પણ વાતચીત કરી.

અમદાવાદ મહાનગરપાલિકાના મધ્ય ઝોનના અધિકારી મિલન શાહે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, “રાણીનો હજીરો એક હેરિટેજ ઇમારતનો ભાગ છે. ત્યાં અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે. ત્યાં સમયાંતરે આવા અભિયાન કરવામાં આવતા હોય છે. તમામ હેરિટેજ સાઇટો પર આ રીતે દબાણો દૂર કરવામાં આવતા હોય છે. વળી, ત્યાં મુસ્લિમ કે અન્ય ધર્મની વ્યક્તિ દ્વારા દબાણ કરાય તો તેને દૂર કરી દેવાય છે. જ્યારે આ પ્રકારે અભિયાન ચલાવાય છે, ત્યારે એવું નથી જોવામાં આવતું કે દબાણ કરનારા કયા ધર્મના છે. ત્યાં દબાણ કરનાર તમામને દૂર કરવા પડે છે. આથી આ ઘટના સાથે કોઈ કોમી પરિબળ સામેલ નથી. ઘણી સાઇટો પર ઘણી વાર વીડિયો વાઇરલ થતા હોય છે. અમે તેની સ્પષ્ટતાની કોશિશ કરતા હોઈએ છીએ. આ ઘટનામાં પણ જે દાવો કરાયેલ છે કે પ્રાચીન મંદિર મળી આવ્યું અને મુસ્લિમ મહોલ્લો ખાલી કરાવ્યો એ વાત ખોટી છે. તે વિસ્તાર એક માર્કેટ છે અને તે એક હેરિટેજ સાઇટ છે. આથી અતિક્રમણ દૂર કરાયું છે.”

વધુમાં અમે એ પણ જાણવાની કોશિશ કરી કે શું કોઈના કાયદેસર ઘરો દૂર કરાયા છે કે કેમ? અને તેમણે કોઈ સત્તાવાર ફરિયાદો કરેલ છે કે કેમ? જોકે સ્થાનિક પત્રકારોના જણાવ્યા અનુસાર આ પ્રકારની કોઈ સત્તાવાર ફરિયાદ નથી ઉઠેલ કે કોઈ નિશ્ચિક ધર્મીની વ્યક્તિઓના કાયદેસર મકાનો ત્યાંથી દર કરી દેવાયા હોય.

વળી, વીડિયોમાં બોલી રહેલ વ્યક્તિએ પણ તેની કૉમેન્ટરીમાં ક્યાંય એવો ઉલ્લેખ કરેલ નથી કે, સાઇટ પરથી કોઈ 1600 વર્ષ જૂનું મંદિર મળી આવેલ છે.

જે દર્શાવે છે કે, વીડિયો સાથે કરાયેલ દાવો કે મુસ્લિમ મહોલ્લો દૂર કરાતા પ્રાચીન મંદિર મળી આવ્યું તે ખોટો છે.

Read Also : Fact Check –  મુસાફરોવાળી બોટ ડૂબવાનો વાયરલ વીડિયો ગોવાનો નહીં પણ કોંગોનો

Conclusion

અમારી તપાસમાં પુરવાર થાય છે કે, વીડિયો ખોટા દાવા સાથે અને ખોટા સંદર્ભ સાથે ગેરમાર્ગે દોરી રહ્યો છે.

Result – False

Our Sources
News Report by Dainik Jagran, Dated 7 Feb-2024
Telephonic Interview of AMC Dy Commisioner

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

17,830

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage