Wednesday, April 16, 2025
ગુજરાતી

Fact Check

Fact Check: પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાદાદે ભારતીય ટીમને પાકિસ્તાનમાં રમવાનું આમંત્રણ આપ્યું? શું છે સત્ય

Written By Dipalkumar Shah
Jun 20, 2024
banner_image

Claim – ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાદાદે ભારતીય ટીમને આ વર્ષે પાકિસ્તાનમાં રમવાની વિનંતી કરતાં કહ્યું કે, સુરક્ષાની કોઈ ચિંતા હોવી જોઈએ નહીં કારણ કે “મૃત્યુ જ્યારે નક્કી હશે ત્યારે આવવાનું જ છે.”
Fact – જૂનું વિવાદિત નિવેદન છે. જ્યારે એશિયા કપ 2023 માટે ભારતે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઇનકાર કર્યો હતો, ત્યારેમિયાંદાદે ગયા વર્ષે આ ટિપ્પણી કરી હતી.

કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ પાકિસ્તાની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન જાવેદ મિયાદાદના કથિત ક્વોટને (નિવેદન/ટિપ્પણી) શેર કરી રહ્યા છે, જેમાં ભારતીય ક્રિકેટ ટીમને આ વર્ષે પાકિસ્તાનમાં રમવા માટે આમંત્રિત કરી હોવાનો દાવો કરાયો છે.

તેમાં મિયાદાદે કહ્યું કે, સુરક્ષાને લઈને કોઈ ચિંતા થવી જોઈએ નહીં કારણ કે “મૃત્યુ જ્યારે નિર્ધારિત છે ત્યારે આવશે.”

આને પગલે ઘણી રમૂજી અને આશ્ચર્યકારક પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.

યુએસ અને વેસ્ટ ઈન્ડિઝમાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન બહાર થઈ ગયું છે. જ્યારે ભારત સુપર 8 તબક્કામાં આગળ વધી ગયું છે.

દરમિયાન મિયાદાદની ટિપ્પણી તાજેતરના અહેવાલો વચ્ચે બહાર આવી છે જેમાં કહેવાય છે કે, ભારત અને પાકિસ્તાન લાહોરમાં 2025 ચેમ્પિયન્સ ટ્રોફીમાં એકબીજા સામે ટકરાશે. અને ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચની વચ્ચે યોજાવાની સંભાવના છે.

ટ્વીટનું આર્કાઇવ વર્ઝન અહીં જોઈ શકાય છે.

Fact Check/Verification

દાવાની પડતાલ કરતા ન્યૂઝચેકરે નોંધ્યું કે, મિયાદાદે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પાકિસ્તાનમાં યોજાનાર એશિયા કપ માટે ભારતને “આમંત્રિત” કર્યું હતું. આ આમંત્રણ તેમણે ગયા વર્ષે વર્ષ 2023માં આપ્યું હતું.

વળી અત્રે એ ઉલ્લેખનિય છે કે,એશિયા કપની આગામી આવૃત્તિ 2025માં યોજાવાની છે. જેમાં યજમાની કોણ કરશે તે હજુ નક્કી નથી કરાયું. એટલે કે તે ક્યાં રમાવાની છે તે હજુ નક્કી નથી થયું.

અમે જોયું કે દાવાઓ @PakStartup દ્વારા એક ટ્વીટનો ઉલ્લેખ કરે છે, જેના પગલે અમે સંબંધિત કીવર્ડ સર્ચ ચલાવી હતી જે અમને 14 એપ્રિલ-2023 ના રોજની આ ટ્વીટ તરફ દોરી ગઈ હતી.

વધુ સર્ચ અમને પાકિસ્તાની યુટ્યુબર નાદિર અલી દ્વારા હોસ્ટ કરવામાં આવેલા પોડકાસ્ટ દરમિયાન કરવામાં આવેલા મિયાદાદના વિવાદાસ્પદ નિવેદન પરના કેટલાક સમાચાર અહેવાલો તરફ દોરી ગઈ, જ્યાં તેમણે “સુરક્ષા”ની ચિંતાઓને કારણે એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવાના ભારતના ઇનકાર વિશે વાત કરી હતી.

આ અહેવાલો અહીં, અહીં અને અહીં જોઈ શકાય છે.

12 એપ્રિલ, 2023ના હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ અનુસાર, “નાદિર અલીના પોડકાસ્ટમાં એક એપિસોડમાં મિયાદાદને ‘સુરક્ષા’ની ચિંતાઓને કારણે ભારતે પાકિસ્તાનની મુસાફરી કરવાનો ઇનકાર કરવા અંગેના તેમના મંતવ્યો વિશે પૂછવામાં આવ્યું હતું, જેના પર ભૂતપૂર્વ કેપ્ટને કહ્યું: “સુરક્ષા ભૂલી જાઓ. ‘અમે માનીએ છીએ કે અગર મૌત આની હૈ તો આની હૈ. ઝિંદગી ઔર મૌત તો અલ્લાહ કે હાથ મેં હૈ’ (સુરક્ષાની વાત ભૂલી જાવ. જીવન અને મૃત્યુ અલ્લાહના હાથમાં છે). તેઓ (ભારત) આજે અમને બોલાવે તો અમે જવા તૈયાર છીએ. પરંતુ તેઓએ પણ પાછા પાકિસ્તાન આવવું જોઈએ. છેલ્લે અમે ભારત ગયા હતા, પરંતુ ત્યાર પછી પણ તેઓ અહીં આવ્યા નથી. હવે તેમનો વારો છે.”

અત્રે ઉલ્લેખનિય છે કે, એશિયા કપ-2023નું આયોજન પાકિસ્તાન અને શ્રીલંકા દ્વારા સપ્ટેમ્બર 2023માં કરવામાં આવ્યું હતું.

ત્યારપછી અમે નાદિર અલી દ્વારા 12 એપ્રિલ-2023ના રોજ યુટ્યુબ પર અપલોડ કરાયેલ પોડકાસ્ટ જોવા મળ્યું. જ્યાં વાયરલ ક્વોટ 46:48 સમયે તેમાં સાંભળી શકાય છે, જે પુષ્ટિ કરે છે કે વાયરલ ટિપ્પણીઓ ગયા વર્ષની છે અને T20 વર્લ્ડ કપ સંબંધિત નથી.

Read Also : ઈટાલીમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત દર્શાવતો વાયરલ વીડિયો ખરેખર ઑસ્ટ્રેલિયાનો

Conclusion

ભારતીય ક્રિકેટ ટીમને પાકિસ્તાનમાં રમવા માટે આમંત્રણ આપતા જાવેદ મિયાદાદનો વાયરલ ક્વોટ 2023નો જૂનો છે.

Result – Missing Context

Sources
Hindustan Times report, April 12, 2023
Youtube video, Nadir Ali, April 12, 2023


(અહેવાલ ન્યૂઝચેકર ઇંગ્લિશ કુશલ એચએમ દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો)

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

17,795

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage
cookie

અમારી વેબસાઇટ કૂકીઓ નો ઉપયોગ કરે છે

અમે કુકીઝ અને સમાન તકનીકનો ઉપયોગ કરીએ છીએ તાકી વિષયવસ્તુને વ્યક્તિગત બનાવી શકો, વિજ્ઞાપનોને સુયોજિત કરી અને માપી શકો, અને ઉત્કૃષ્ટ અનુભવ આપી શકો. 'ઠીક છે' પર ક્લિક કરીને અથવા કુકી પસંદગીઓમાં એક વિકલ્પને ચાલુ કરીને, તમે આને સવિકારો, જેમાં આમાં અમારી કુકી નીતિમાં વિવરણ કરાયું છે.