Sunday, April 27, 2025

Fact Check

શું શિરડી સાંઈ ટ્રસ્ટ તરફથી હજ કમિટીને 35 કરોડનું દાન આપવામાં આવ્યું છે?

Written By Prathmesh Khunt
May 3, 2023
banner_image

Claim : શિરડી સાંઈ ટ્રસ્ટ તરફથી હજ કમિટીને 35 કરોડનું દાન આપવામાં આવ્યું

Fact : શિરડી સાંઈ ટ્રસ્ટના CEO અને પીઆરઓ દ્વારા વાયરલ મેસેજ તદ્દન ભ્રામક હોવાની સ્પષ્ટતા કરવામાં આવેલ છે.a

સોશ્યલ મીડિયા પર શિરડી સાંઈ મંદિર ટ્રસ્ટના નામે મેસેજ વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે શિરડી સાંઈ ટ્રસ્ટ તરફથી હજ કમિટીને 35 કરોડનું દાન આપવામાં આવ્યું છે. તો કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે શિરડી સાંઈ મંદિર દ્વારા અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ફાળો આપવાની ના પાડવામાં આવી હતી જયારે હજ કમિટીને 35 કરોડનું દાન આપી રહ્યા છે.

શિરડી સાંઈ ટ્રસ્ટ તરફથી હજ કમિટીને 35 કરોડનું દાન આપવામાં આવ્યું
Screen Shot Of Facebook User @Rupali Shah

આ પણ વાંચો : છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલાને લઈને ભ્રામક તસ્વીર વાયરલ

Fact Check / Verification

શિરડી સાંઈ ટ્રસ્ટ તરફથી હજ કમિટીને 35 કરોડનું દાન આપવામાં આવ્યું હોવાના દાવા અંગે ગુગલ સર્ચ કરતા ફેકટચેક વેબસાઈટ latestly દ્વારા 24 એપ્રિલના પોસ્ટ કરવામાં આવેલ રિપોર્ટ જોવા મળે છે. અહીંયા શિરડી સાંઈ ટ્રસ્ટના CEO રાઘવ જાધવે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે “રામ જન્મભૂમિ ટ્રસ્ટ તરફથી દાનની માંગણી કરતી કોઈ વિનંતી કે સંદેશ મળ્યો નથી અને હજ માટે પણ કોઈ રકમ દાન કરવામાં આવી નથી. સોશ્યલ મીડિયા પર ભ્રામક મેસેજ વાયરલ થઈ રહ્યો છે.”

આ વાયરલ દાવા અંગે અમે શિરડી સાંઈ ટ્રસ્ટના પીઆરઓમાં સંપર્ક કર્યો હતો. જેઓ એ જણાવ્યું કે “સોશ્યલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસથી ભ્રામક મેસેજ વાયરલ થઈ રહ્યા છે, મંદિર ટ્રસ્ટ દ્વારા કોઈપણ રકમ રામ મંદિર કે હજ કમિટીને દાન કરવામાં આવેલ નથી.

Conclusion

શિરડી સાંઈ ટ્રસ્ટ તરફથી હજ કમિટીને 35 કરોડનું દાન આપવામાં આવ્યું હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. શિરડી સાંઈ ટ્રસ્ટના CEO અને પીઆરઓ દ્વારા વાયરલ મેસેજ તદ્દન ભ્રામક હોવાની સ્પષ્ટતા કરવામાં આવેલ છે.

Result : False

Our Source
Media Report Of latestly, 24 APR, 2023
Direct Contact With Shirdi Sai Temple Trust

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
No related articles found
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

17,944

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage
cookie

અમારી વેબસાઇટ કૂકીઓ નો ઉપયોગ કરે છે

અમે કુકીઝ અને સમાન તકનીકનો ઉપયોગ કરીએ છીએ તાકી વિષયવસ્તુને વ્યક્તિગત બનાવી શકો, વિજ્ઞાપનોને સુયોજિત કરી અને માપી શકો, અને ઉત્કૃષ્ટ અનુભવ આપી શકો. 'ઠીક છે' પર ક્લિક કરીને અથવા કુકી પસંદગીઓમાં એક વિકલ્પને ચાલુ કરીને, તમે આને સવિકારો, જેમાં આમાં અમારી કુકી નીતિમાં વિવરણ કરાયું છે.