Friday, March 29, 2024
Friday, March 29, 2024

HomeFact Checkદિલ્હી સરકાર દ્વારા આ Covid Center તૈયાર કરવામાં આવ્યું હોવાનો ભ્રામક દાવો...

દિલ્હી સરકાર દ્વારા આ Covid Center તૈયાર કરવામાં આવ્યું હોવાનો ભ્રામક દાવો વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોનાના નવા કેસોમાં ઉછાળો આવી રહ્યો છે. ન્યુઝ અહેવાલોમાં જોવા મળતા દર્શ્યો મુજબ ગુજરાતમાં Covid Center હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજન ની અછત સર્જાઈ છે, તો ક્યાંક એમ્બ્યુલન્સ માટે પણ 3-4 કલાક રાહ જોવી પડી રહી છે. ઉપરાંત કોરોના સંક્રમણ ના કારણે થયેલ મૃત્યુ આંક વધતા શહેરના સ્મશાનો ની બહાર પણ મૃતદેહના અગ્નિદાહ માટે લાઈનો લાગેલી જોવા મળે છે.

કોરોના પોઝિટિવ દર્દીઓ માં વધારો થતા હોસ્પિટલમાં બેડની અછત સર્જાઈ, જેના પગલે ઘણી સેવા સંસ્થાનો દ્વારા Covid Center શરૂ કરવામાં આવ્યા છે, સરકાર દ્વારા પણ તાત્કાલિક ધોરણે હોસ્પિટલને મંજૂરી આપવી કે બેડની વ્યવસ્થા અંગે પગલાં લેવામાં આવ્યા છે. ત્યારે સોશ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થયેલ છે, જેમાં દિલ્હી સરકાર દ્વારા 1000 નવા બેડ ની વ્યવસ્થા કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવેલ છે.

ફેસબુક પર આમ આદમી પાર્ટીના એકાઉન્ટ પરથી તેમજ અન્ય યુઝર્સ દ્વારા “મિત્રો દાનત હોય તો એક રાત મા 1000 બેડ નહી.1લાખ બેડ ની હોસ્પિટલ દરેક જગ્યા એ ઉભી થઇ શકે..વાહ દિલ્હી વાહ” કેપશન સાથે આ તસ્વીર શેર કરવામાં આવેલ છે.

Factcheck / Verification

દિલ્હી સરકાર દ્વારા રાતોરાત આ પ્રકારે Covid Center બનાવી દર્દીઓ માટે બેડ ની વ્યવસ્થા કરવામાં આવી હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા છત્તીસગઢ કેબિનેટ મિનિસ્ટર TS Singh Deo દ્વારા 12 એપ્રિલના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જેમાં તેમણે વાયરલ તસ્વીર શેર કરતા જણાવ્યું છે કે કોરોના વાયરસના વધતા કેસ ધ્યાને લેતા રાયપુર ઇન્ડોર સ્ટેડિયમ Covid Center માં ફેરવવામાં આવેલ છે, જેમાં 500 બેડ ની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

છત્તીસગઢ, રાયપુર ઇન્ડોર સ્ટેડિયમ માં Covid Center શરૂ કરવામાં આવ્યું હોવા અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા news18 અને timesnownews દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ છત્તીસગઢ માં વધતા કેસ અને ઘટતા બેડ પર સરકાર દ્વારા પગલાં લેતા રાયપુર ઇન્ડોર સ્ટેડિયમ Covid Center માં ફેરવવામાં આવ્યું છે.

Covid Center

આ સ્ટેડિયમમાં ઓક્સિજન સુવિધાવાળી પથારી ઉપલબ્ધ કરાશે. દરેક પથારીની પાસે LED સ્ક્રીન, ઇન્ટરકોમ સુવિધા પણ હાજર રહેશે, ગયા વર્ષે પણ સ્ટેડિયમ એક કામચલાઉ કોવિડ -19 કેન્દ્ર (Covid Center) શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ સ્થિતિમાં સુધારો થયા બાદ બાદમાં તેને બંધ કરી દેવામાં આવ્યું હતું.

વાયરલ તસ્વીર અંગે વધુ તપાસ કરતા ટ્વીટર પર ન્યુઝ સંસ્થાન ANI દ્વારા કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જેમાં વાયરલ તસ્વીર પોસ્ટ કરતા જણાવવા માં આવ્યા કે છત્તીસગઢ રાયપુર ખાતે બલબીરસિંઘ સ્ટેડિયમ કોવિડ -19 Centerમાં ફેરવવામાં આવેલ છે. જ્યાં 200 બેડ ઓક્સિજન સપ્લાય સાથે તેમજ 120 જેટલા અન્ય બેડ ની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

છત્તીસગઢમાં કોરોના વાયરસની સ્થિતિ

છત્તીસગઢમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે સ્મશાનગૃહમાં પણ જગ્યા ઓછી પડી રહી છે. જો જગ્યા હોય તો લાકડા ઓછા પડી રહ્યા છે. છત્તીસગઢના 20 જિલ્લાઓમાં સંક્રમણ અટકાવવા માટે લોકડાઉન કરવામાં આવેલ છે. લોકડાઉન માંથી માત્ર 8 જિલ્લા બાકી છે. પ્રથમ લોકડાઉન 6 એપ્રિલના રોજ દુર્ગ જિલ્લામાં લાદવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં રાજ્યના 20 જિલ્લાઓ સંપૂર્ણપણે બંધ છે.

Conclusion

દિલ્હીમાં આમ આદમી સરકાર દ્વારા 1000 બેડની વ્યવસ્થા કરવામાં આવી હોવાના દાવા સાથે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તસ્વીર છત્તીસગઢ રાયપુર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે શરૂ કરવામાં આવેલ Covid Center છે. ફેસબુક યુઝર્સ દ્વારા આ તસ્વીર ખોટા અને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. છત્તીસગઢ કેબિનેટ મિનિસ્ટર અને ન્યુઝ સંસ્થાન ANI દ્વારા પણ ઇન્ડોર સ્ટેડિયમ ની તસ્વીર શેર કરતા Covid Center અંગે માહિતી પોસ્ટ કરવામાં આવેલ છે.

Result :- Misleading


Our Source

ANI
news18
timesnownews
TS Singh Deo

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

દિલ્હી સરકાર દ્વારા આ Covid Center તૈયાર કરવામાં આવ્યું હોવાનો ભ્રામક દાવો વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોનાના નવા કેસોમાં ઉછાળો આવી રહ્યો છે. ન્યુઝ અહેવાલોમાં જોવા મળતા દર્શ્યો મુજબ ગુજરાતમાં Covid Center હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજન ની અછત સર્જાઈ છે, તો ક્યાંક એમ્બ્યુલન્સ માટે પણ 3-4 કલાક રાહ જોવી પડી રહી છે. ઉપરાંત કોરોના સંક્રમણ ના કારણે થયેલ મૃત્યુ આંક વધતા શહેરના સ્મશાનો ની બહાર પણ મૃતદેહના અગ્નિદાહ માટે લાઈનો લાગેલી જોવા મળે છે.

કોરોના પોઝિટિવ દર્દીઓ માં વધારો થતા હોસ્પિટલમાં બેડની અછત સર્જાઈ, જેના પગલે ઘણી સેવા સંસ્થાનો દ્વારા Covid Center શરૂ કરવામાં આવ્યા છે, સરકાર દ્વારા પણ તાત્કાલિક ધોરણે હોસ્પિટલને મંજૂરી આપવી કે બેડની વ્યવસ્થા અંગે પગલાં લેવામાં આવ્યા છે. ત્યારે સોશ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થયેલ છે, જેમાં દિલ્હી સરકાર દ્વારા 1000 નવા બેડ ની વ્યવસ્થા કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવેલ છે.

ફેસબુક પર આમ આદમી પાર્ટીના એકાઉન્ટ પરથી તેમજ અન્ય યુઝર્સ દ્વારા “મિત્રો દાનત હોય તો એક રાત મા 1000 બેડ નહી.1લાખ બેડ ની હોસ્પિટલ દરેક જગ્યા એ ઉભી થઇ શકે..વાહ દિલ્હી વાહ” કેપશન સાથે આ તસ્વીર શેર કરવામાં આવેલ છે.

Factcheck / Verification

દિલ્હી સરકાર દ્વારા રાતોરાત આ પ્રકારે Covid Center બનાવી દર્દીઓ માટે બેડ ની વ્યવસ્થા કરવામાં આવી હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા છત્તીસગઢ કેબિનેટ મિનિસ્ટર TS Singh Deo દ્વારા 12 એપ્રિલના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જેમાં તેમણે વાયરલ તસ્વીર શેર કરતા જણાવ્યું છે કે કોરોના વાયરસના વધતા કેસ ધ્યાને લેતા રાયપુર ઇન્ડોર સ્ટેડિયમ Covid Center માં ફેરવવામાં આવેલ છે, જેમાં 500 બેડ ની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

છત્તીસગઢ, રાયપુર ઇન્ડોર સ્ટેડિયમ માં Covid Center શરૂ કરવામાં આવ્યું હોવા અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા news18 અને timesnownews દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ છત્તીસગઢ માં વધતા કેસ અને ઘટતા બેડ પર સરકાર દ્વારા પગલાં લેતા રાયપુર ઇન્ડોર સ્ટેડિયમ Covid Center માં ફેરવવામાં આવ્યું છે.

Covid Center

આ સ્ટેડિયમમાં ઓક્સિજન સુવિધાવાળી પથારી ઉપલબ્ધ કરાશે. દરેક પથારીની પાસે LED સ્ક્રીન, ઇન્ટરકોમ સુવિધા પણ હાજર રહેશે, ગયા વર્ષે પણ સ્ટેડિયમ એક કામચલાઉ કોવિડ -19 કેન્દ્ર (Covid Center) શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ સ્થિતિમાં સુધારો થયા બાદ બાદમાં તેને બંધ કરી દેવામાં આવ્યું હતું.

વાયરલ તસ્વીર અંગે વધુ તપાસ કરતા ટ્વીટર પર ન્યુઝ સંસ્થાન ANI દ્વારા કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જેમાં વાયરલ તસ્વીર પોસ્ટ કરતા જણાવવા માં આવ્યા કે છત્તીસગઢ રાયપુર ખાતે બલબીરસિંઘ સ્ટેડિયમ કોવિડ -19 Centerમાં ફેરવવામાં આવેલ છે. જ્યાં 200 બેડ ઓક્સિજન સપ્લાય સાથે તેમજ 120 જેટલા અન્ય બેડ ની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

છત્તીસગઢમાં કોરોના વાયરસની સ્થિતિ

છત્તીસગઢમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે સ્મશાનગૃહમાં પણ જગ્યા ઓછી પડી રહી છે. જો જગ્યા હોય તો લાકડા ઓછા પડી રહ્યા છે. છત્તીસગઢના 20 જિલ્લાઓમાં સંક્રમણ અટકાવવા માટે લોકડાઉન કરવામાં આવેલ છે. લોકડાઉન માંથી માત્ર 8 જિલ્લા બાકી છે. પ્રથમ લોકડાઉન 6 એપ્રિલના રોજ દુર્ગ જિલ્લામાં લાદવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં રાજ્યના 20 જિલ્લાઓ સંપૂર્ણપણે બંધ છે.

Conclusion

દિલ્હીમાં આમ આદમી સરકાર દ્વારા 1000 બેડની વ્યવસ્થા કરવામાં આવી હોવાના દાવા સાથે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તસ્વીર છત્તીસગઢ રાયપુર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે શરૂ કરવામાં આવેલ Covid Center છે. ફેસબુક યુઝર્સ દ્વારા આ તસ્વીર ખોટા અને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. છત્તીસગઢ કેબિનેટ મિનિસ્ટર અને ન્યુઝ સંસ્થાન ANI દ્વારા પણ ઇન્ડોર સ્ટેડિયમ ની તસ્વીર શેર કરતા Covid Center અંગે માહિતી પોસ્ટ કરવામાં આવેલ છે.

Result :- Misleading


Our Source

ANI
news18
timesnownews
TS Singh Deo

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

દિલ્હી સરકાર દ્વારા આ Covid Center તૈયાર કરવામાં આવ્યું હોવાનો ભ્રામક દાવો વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોનાના નવા કેસોમાં ઉછાળો આવી રહ્યો છે. ન્યુઝ અહેવાલોમાં જોવા મળતા દર્શ્યો મુજબ ગુજરાતમાં Covid Center હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજન ની અછત સર્જાઈ છે, તો ક્યાંક એમ્બ્યુલન્સ માટે પણ 3-4 કલાક રાહ જોવી પડી રહી છે. ઉપરાંત કોરોના સંક્રમણ ના કારણે થયેલ મૃત્યુ આંક વધતા શહેરના સ્મશાનો ની બહાર પણ મૃતદેહના અગ્નિદાહ માટે લાઈનો લાગેલી જોવા મળે છે.

કોરોના પોઝિટિવ દર્દીઓ માં વધારો થતા હોસ્પિટલમાં બેડની અછત સર્જાઈ, જેના પગલે ઘણી સેવા સંસ્થાનો દ્વારા Covid Center શરૂ કરવામાં આવ્યા છે, સરકાર દ્વારા પણ તાત્કાલિક ધોરણે હોસ્પિટલને મંજૂરી આપવી કે બેડની વ્યવસ્થા અંગે પગલાં લેવામાં આવ્યા છે. ત્યારે સોશ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થયેલ છે, જેમાં દિલ્હી સરકાર દ્વારા 1000 નવા બેડ ની વ્યવસ્થા કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવેલ છે.

ફેસબુક પર આમ આદમી પાર્ટીના એકાઉન્ટ પરથી તેમજ અન્ય યુઝર્સ દ્વારા “મિત્રો દાનત હોય તો એક રાત મા 1000 બેડ નહી.1લાખ બેડ ની હોસ્પિટલ દરેક જગ્યા એ ઉભી થઇ શકે..વાહ દિલ્હી વાહ” કેપશન સાથે આ તસ્વીર શેર કરવામાં આવેલ છે.

Factcheck / Verification

દિલ્હી સરકાર દ્વારા રાતોરાત આ પ્રકારે Covid Center બનાવી દર્દીઓ માટે બેડ ની વ્યવસ્થા કરવામાં આવી હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા છત્તીસગઢ કેબિનેટ મિનિસ્ટર TS Singh Deo દ્વારા 12 એપ્રિલના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જેમાં તેમણે વાયરલ તસ્વીર શેર કરતા જણાવ્યું છે કે કોરોના વાયરસના વધતા કેસ ધ્યાને લેતા રાયપુર ઇન્ડોર સ્ટેડિયમ Covid Center માં ફેરવવામાં આવેલ છે, જેમાં 500 બેડ ની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

છત્તીસગઢ, રાયપુર ઇન્ડોર સ્ટેડિયમ માં Covid Center શરૂ કરવામાં આવ્યું હોવા અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા news18 અને timesnownews દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ છત્તીસગઢ માં વધતા કેસ અને ઘટતા બેડ પર સરકાર દ્વારા પગલાં લેતા રાયપુર ઇન્ડોર સ્ટેડિયમ Covid Center માં ફેરવવામાં આવ્યું છે.

Covid Center

આ સ્ટેડિયમમાં ઓક્સિજન સુવિધાવાળી પથારી ઉપલબ્ધ કરાશે. દરેક પથારીની પાસે LED સ્ક્રીન, ઇન્ટરકોમ સુવિધા પણ હાજર રહેશે, ગયા વર્ષે પણ સ્ટેડિયમ એક કામચલાઉ કોવિડ -19 કેન્દ્ર (Covid Center) શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ સ્થિતિમાં સુધારો થયા બાદ બાદમાં તેને બંધ કરી દેવામાં આવ્યું હતું.

વાયરલ તસ્વીર અંગે વધુ તપાસ કરતા ટ્વીટર પર ન્યુઝ સંસ્થાન ANI દ્વારા કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જેમાં વાયરલ તસ્વીર પોસ્ટ કરતા જણાવવા માં આવ્યા કે છત્તીસગઢ રાયપુર ખાતે બલબીરસિંઘ સ્ટેડિયમ કોવિડ -19 Centerમાં ફેરવવામાં આવેલ છે. જ્યાં 200 બેડ ઓક્સિજન સપ્લાય સાથે તેમજ 120 જેટલા અન્ય બેડ ની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

છત્તીસગઢમાં કોરોના વાયરસની સ્થિતિ

છત્તીસગઢમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે સ્મશાનગૃહમાં પણ જગ્યા ઓછી પડી રહી છે. જો જગ્યા હોય તો લાકડા ઓછા પડી રહ્યા છે. છત્તીસગઢના 20 જિલ્લાઓમાં સંક્રમણ અટકાવવા માટે લોકડાઉન કરવામાં આવેલ છે. લોકડાઉન માંથી માત્ર 8 જિલ્લા બાકી છે. પ્રથમ લોકડાઉન 6 એપ્રિલના રોજ દુર્ગ જિલ્લામાં લાદવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં રાજ્યના 20 જિલ્લાઓ સંપૂર્ણપણે બંધ છે.

Conclusion

દિલ્હીમાં આમ આદમી સરકાર દ્વારા 1000 બેડની વ્યવસ્થા કરવામાં આવી હોવાના દાવા સાથે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તસ્વીર છત્તીસગઢ રાયપુર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે શરૂ કરવામાં આવેલ Covid Center છે. ફેસબુક યુઝર્સ દ્વારા આ તસ્વીર ખોટા અને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. છત્તીસગઢ કેબિનેટ મિનિસ્ટર અને ન્યુઝ સંસ્થાન ANI દ્વારા પણ ઇન્ડોર સ્ટેડિયમ ની તસ્વીર શેર કરતા Covid Center અંગે માહિતી પોસ્ટ કરવામાં આવેલ છે.

Result :- Misleading


Our Source

ANI
news18
timesnownews
TS Singh Deo

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular