Friday, April 26, 2024
Friday, April 26, 2024

HomeFact CheckPoliticsનીતિન ગડકરી ખેડૂતોના સમર્થનમાં હોવાના ભ્રામક દાવા સાથે 10 વર્ષ જૂનો વિડિઓ...

નીતિન ગડકરી ખેડૂતોના સમર્થનમાં હોવાના ભ્રામક દાવા સાથે 10 વર્ષ જૂનો વિડિઓ વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

દરરોજ અનેક મોટી હસ્તીઓ ખેડૂત આંદોલન અંગે પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે. આ આંદોલન અંગે ભાજપના નેતાઓની પણ પ્રતિક્રિયા મળી છે. આ મુદ્દો સંસદમાં પણ ચર્ચામાં છે. તાજેતરમાં, PM મોદીએ દેશમાં સતત ચાલતી હિલચાલ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે, “છેલ્લા કેટલાક સમયથી દેશમાં ‘આંદોલનકારીઓ’નું એક નવું જૂથ જન્મ્યું છે, જે આંદોલન વિના શાંતિથી જીવી શકશે નહીં.” જેનું નામ છે ‘આંદોલનજીવી’

આ દરમિયાન કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નીતિન ગડકરી કહેતા નજરે પડે છે કે, “વડા પ્રધાન જે કહે છે તે તદ્દન લોકશાહીની વિરુદ્ધ છે.” ભ્રષ્ટ સરકાર સામે શાંતિપૂર્ણ આંદોલન કરવો તે વિપક્ષ અને લોકોનો બંધારણીય અધિકાર છે.”

MP કોંગ્રેસ અને કોંગ્રેસના મીડિયા પેનલિસ્ટ સુરેન્દ્ર રાજપૂતે પણ આ વીડિયો શેર કર્યો છે. સાંસદ કોંગ્રેસના નેતા સુભાષકુમાર સોજટિયાએ આ વીડિયોને તેમના ટ્વિટર અને ફેસબુક એકાઉન્ટ પર શેર કરેલ છે.

Factcheck / Verification

વાયરલ વિડિઓની સત્યતા શોધવા માટે, અમે Invid ટૂલની મદદથી ક્લિપના કેટલાક કિફ્રેમ્સ ગૂગલ રિવર્સ ઇમેજ અને Yandex દ્વારા સર્ચ કરતા કોઈ પરિણામ જોવા મળતા નથી. જે બાદ વિડિઓ ધ્યાનથી સાંભળી અને જોવાથી ખબર પડે છે કે વીડીમાં કમળનો લોગો જોય શકાય છે. આ ભાજપનો એક જૂનો લોગો છે જેનો વર્ષો પહેલા બદલવામાં આવેલ છે.

આ મુદ્દે ભાજપની ઓફિશ્યલ યુટ્યુબ ચેનલ પર સર્ચ કરતા નીતિન ગડકરીનો વાયરલ વિડિઓ જોવા મળે છે, જે ઓગષ્ટ 2011માં અપલોડ કરવામાં આવ્યો હતો.

2011માં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને તે સમયે નીતિન ગડકરી ભાજપ પ્રમુખ અને વિપક્ષના નેતા હતા. 2011 એ સમયગાળો હતો જ્યારે અન્ના હજારેએ જંતર-મંતર પર ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઉપવાસ કર્યા. આ આંદોલનમાં ભાજપ અન્ના હજારેની સાથે હતો. આ ભૂખ હડતાલને રોકવા માટે કોંગ્રેસ સરકારે અનેક પગલા લીધાં હતાં.

વાયરલ વીડિયોમાં નીતિન ગડકરી કોંગ્રેસ સરકાર અને તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહની ટીકા કરતા નજરે પડે છે. વીડિયોમાં તે ખેડૂત આંદોલન નહીં પણ અન્ના હઝારેના આંદોલનની વાત કરી રહ્યા છે. યુટ્યુબ ચેનલ પર અપલોડ થયેલ આ વીડિયોના કેપ્શનમાં અન્ના હઝારેનું નામ પણ લખાયેલું છે.

તપાસ દરમિયાન અમને 2011 માં પ્રકાશિત BBC અને jagranના અહેવાલો પ્રાપ્ત થયા. જેમાં નીતિન ગડકરી દેશમાં વધી રહેલા ભ્રષ્ટાચાર માટે કોંગ્રેસ સરકારની ટીકા કરી રહ્યા છે. તપાસ દરમિયાન અમને AAJTAKના અહેવાલ મુજબ, નોંધનીય છે કે આ જ વર્ષે બાબા રામદેવે પણ કાળા નાણાં સામે સત્યાગ્રહ કર્યો હતો. આ વીડિયોમાં નીતિન ગડકરી બાબા રામદેવ વિશે પણ વાત કરતા જોવા મળી રહ્યા છે.

નોંધપાત્ર વાત એ છે કે નીતિન ગડકરી સરકાર વિરુદ્ધ ઘણી વખત ટીકા કરી ચૂક્યા છે. આવી સ્થિતિમાં, નીતિન ગડકરી આ વખતે ખેડૂત આંદોલન સાથે મોદી સરકારની વિરુદ્ધ જઈ રહ્યા છે. આ મુદ્દે કેટલાક કીવર્ડ્સ દ્વારા સર્ચ કરતા ન્યુઝ અહેવાલો મુજબ નીતિન ગડકરીને નવું કૃષિ બિલ ખેડૂતોના હિતમાં લાવવામાં આવેલ કાયદો લાગે છે. નીતિન ગડકરીએ પોતાની ઘણી મુલાકાતોમાં કહ્યું છે કે આ બિલ ખેડૂતોના હિત માટે લાવવામાં આવ્યું છે. કોઈપણ મીડિયા અહેવાલ જોવા મળ્યો નથી જેમાં નીતિન ગડકરીએ નવા કૃષિ કાયદાનો વિરોધ કર્યો હતો.

નીતિન ગડકરીના સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સની પણ તપાસ કરી. પરંતુ ત્યાં આ મુદ્દે કોઈ પોસ્ટ જોવા મળતી નથી. જેમાં નીતિન ગડકરી ખેડૂતોને ટેકો આપી રહ્યા છે અને સરકારની ટીકા કરી રહ્યા છે. નીતિન ગડકરી પીએમ મોદીના સમર્થનમાં સતત ટ્વીટ કરી રહ્યા છે.

Conclusion

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીનો 10 વર્ષ જુનો વીડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. હકીકતમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી દ્વારા 2011માં પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહની નીતિઓની ટીકા કરવામાં આવી હતી. તેઓ ખેડૂત આંદોલનને ટેકો આપી રહ્યા હોવાનો દાવો તદ્દન ભ્રામક છે.

Result :- False


Our Source

twitter
BBC
jagran
BJP Official

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

નીતિન ગડકરી ખેડૂતોના સમર્થનમાં હોવાના ભ્રામક દાવા સાથે 10 વર્ષ જૂનો વિડિઓ વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

દરરોજ અનેક મોટી હસ્તીઓ ખેડૂત આંદોલન અંગે પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે. આ આંદોલન અંગે ભાજપના નેતાઓની પણ પ્રતિક્રિયા મળી છે. આ મુદ્દો સંસદમાં પણ ચર્ચામાં છે. તાજેતરમાં, PM મોદીએ દેશમાં સતત ચાલતી હિલચાલ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે, “છેલ્લા કેટલાક સમયથી દેશમાં ‘આંદોલનકારીઓ’નું એક નવું જૂથ જન્મ્યું છે, જે આંદોલન વિના શાંતિથી જીવી શકશે નહીં.” જેનું નામ છે ‘આંદોલનજીવી’

આ દરમિયાન કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નીતિન ગડકરી કહેતા નજરે પડે છે કે, “વડા પ્રધાન જે કહે છે તે તદ્દન લોકશાહીની વિરુદ્ધ છે.” ભ્રષ્ટ સરકાર સામે શાંતિપૂર્ણ આંદોલન કરવો તે વિપક્ષ અને લોકોનો બંધારણીય અધિકાર છે.”

MP કોંગ્રેસ અને કોંગ્રેસના મીડિયા પેનલિસ્ટ સુરેન્દ્ર રાજપૂતે પણ આ વીડિયો શેર કર્યો છે. સાંસદ કોંગ્રેસના નેતા સુભાષકુમાર સોજટિયાએ આ વીડિયોને તેમના ટ્વિટર અને ફેસબુક એકાઉન્ટ પર શેર કરેલ છે.

Factcheck / Verification

વાયરલ વિડિઓની સત્યતા શોધવા માટે, અમે Invid ટૂલની મદદથી ક્લિપના કેટલાક કિફ્રેમ્સ ગૂગલ રિવર્સ ઇમેજ અને Yandex દ્વારા સર્ચ કરતા કોઈ પરિણામ જોવા મળતા નથી. જે બાદ વિડિઓ ધ્યાનથી સાંભળી અને જોવાથી ખબર પડે છે કે વીડીમાં કમળનો લોગો જોય શકાય છે. આ ભાજપનો એક જૂનો લોગો છે જેનો વર્ષો પહેલા બદલવામાં આવેલ છે.

આ મુદ્દે ભાજપની ઓફિશ્યલ યુટ્યુબ ચેનલ પર સર્ચ કરતા નીતિન ગડકરીનો વાયરલ વિડિઓ જોવા મળે છે, જે ઓગષ્ટ 2011માં અપલોડ કરવામાં આવ્યો હતો.

2011માં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને તે સમયે નીતિન ગડકરી ભાજપ પ્રમુખ અને વિપક્ષના નેતા હતા. 2011 એ સમયગાળો હતો જ્યારે અન્ના હજારેએ જંતર-મંતર પર ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઉપવાસ કર્યા. આ આંદોલનમાં ભાજપ અન્ના હજારેની સાથે હતો. આ ભૂખ હડતાલને રોકવા માટે કોંગ્રેસ સરકારે અનેક પગલા લીધાં હતાં.

વાયરલ વીડિયોમાં નીતિન ગડકરી કોંગ્રેસ સરકાર અને તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહની ટીકા કરતા નજરે પડે છે. વીડિયોમાં તે ખેડૂત આંદોલન નહીં પણ અન્ના હઝારેના આંદોલનની વાત કરી રહ્યા છે. યુટ્યુબ ચેનલ પર અપલોડ થયેલ આ વીડિયોના કેપ્શનમાં અન્ના હઝારેનું નામ પણ લખાયેલું છે.

તપાસ દરમિયાન અમને 2011 માં પ્રકાશિત BBC અને jagranના અહેવાલો પ્રાપ્ત થયા. જેમાં નીતિન ગડકરી દેશમાં વધી રહેલા ભ્રષ્ટાચાર માટે કોંગ્રેસ સરકારની ટીકા કરી રહ્યા છે. તપાસ દરમિયાન અમને AAJTAKના અહેવાલ મુજબ, નોંધનીય છે કે આ જ વર્ષે બાબા રામદેવે પણ કાળા નાણાં સામે સત્યાગ્રહ કર્યો હતો. આ વીડિયોમાં નીતિન ગડકરી બાબા રામદેવ વિશે પણ વાત કરતા જોવા મળી રહ્યા છે.

નોંધપાત્ર વાત એ છે કે નીતિન ગડકરી સરકાર વિરુદ્ધ ઘણી વખત ટીકા કરી ચૂક્યા છે. આવી સ્થિતિમાં, નીતિન ગડકરી આ વખતે ખેડૂત આંદોલન સાથે મોદી સરકારની વિરુદ્ધ જઈ રહ્યા છે. આ મુદ્દે કેટલાક કીવર્ડ્સ દ્વારા સર્ચ કરતા ન્યુઝ અહેવાલો મુજબ નીતિન ગડકરીને નવું કૃષિ બિલ ખેડૂતોના હિતમાં લાવવામાં આવેલ કાયદો લાગે છે. નીતિન ગડકરીએ પોતાની ઘણી મુલાકાતોમાં કહ્યું છે કે આ બિલ ખેડૂતોના હિત માટે લાવવામાં આવ્યું છે. કોઈપણ મીડિયા અહેવાલ જોવા મળ્યો નથી જેમાં નીતિન ગડકરીએ નવા કૃષિ કાયદાનો વિરોધ કર્યો હતો.

નીતિન ગડકરીના સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સની પણ તપાસ કરી. પરંતુ ત્યાં આ મુદ્દે કોઈ પોસ્ટ જોવા મળતી નથી. જેમાં નીતિન ગડકરી ખેડૂતોને ટેકો આપી રહ્યા છે અને સરકારની ટીકા કરી રહ્યા છે. નીતિન ગડકરી પીએમ મોદીના સમર્થનમાં સતત ટ્વીટ કરી રહ્યા છે.

Conclusion

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીનો 10 વર્ષ જુનો વીડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. હકીકતમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી દ્વારા 2011માં પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહની નીતિઓની ટીકા કરવામાં આવી હતી. તેઓ ખેડૂત આંદોલનને ટેકો આપી રહ્યા હોવાનો દાવો તદ્દન ભ્રામક છે.

Result :- False


Our Source

twitter
BBC
jagran
BJP Official

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

નીતિન ગડકરી ખેડૂતોના સમર્થનમાં હોવાના ભ્રામક દાવા સાથે 10 વર્ષ જૂનો વિડિઓ વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

દરરોજ અનેક મોટી હસ્તીઓ ખેડૂત આંદોલન અંગે પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે. આ આંદોલન અંગે ભાજપના નેતાઓની પણ પ્રતિક્રિયા મળી છે. આ મુદ્દો સંસદમાં પણ ચર્ચામાં છે. તાજેતરમાં, PM મોદીએ દેશમાં સતત ચાલતી હિલચાલ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે, “છેલ્લા કેટલાક સમયથી દેશમાં ‘આંદોલનકારીઓ’નું એક નવું જૂથ જન્મ્યું છે, જે આંદોલન વિના શાંતિથી જીવી શકશે નહીં.” જેનું નામ છે ‘આંદોલનજીવી’

આ દરમિયાન કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નીતિન ગડકરી કહેતા નજરે પડે છે કે, “વડા પ્રધાન જે કહે છે તે તદ્દન લોકશાહીની વિરુદ્ધ છે.” ભ્રષ્ટ સરકાર સામે શાંતિપૂર્ણ આંદોલન કરવો તે વિપક્ષ અને લોકોનો બંધારણીય અધિકાર છે.”

MP કોંગ્રેસ અને કોંગ્રેસના મીડિયા પેનલિસ્ટ સુરેન્દ્ર રાજપૂતે પણ આ વીડિયો શેર કર્યો છે. સાંસદ કોંગ્રેસના નેતા સુભાષકુમાર સોજટિયાએ આ વીડિયોને તેમના ટ્વિટર અને ફેસબુક એકાઉન્ટ પર શેર કરેલ છે.

Factcheck / Verification

વાયરલ વિડિઓની સત્યતા શોધવા માટે, અમે Invid ટૂલની મદદથી ક્લિપના કેટલાક કિફ્રેમ્સ ગૂગલ રિવર્સ ઇમેજ અને Yandex દ્વારા સર્ચ કરતા કોઈ પરિણામ જોવા મળતા નથી. જે બાદ વિડિઓ ધ્યાનથી સાંભળી અને જોવાથી ખબર પડે છે કે વીડીમાં કમળનો લોગો જોય શકાય છે. આ ભાજપનો એક જૂનો લોગો છે જેનો વર્ષો પહેલા બદલવામાં આવેલ છે.

આ મુદ્દે ભાજપની ઓફિશ્યલ યુટ્યુબ ચેનલ પર સર્ચ કરતા નીતિન ગડકરીનો વાયરલ વિડિઓ જોવા મળે છે, જે ઓગષ્ટ 2011માં અપલોડ કરવામાં આવ્યો હતો.

2011માં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને તે સમયે નીતિન ગડકરી ભાજપ પ્રમુખ અને વિપક્ષના નેતા હતા. 2011 એ સમયગાળો હતો જ્યારે અન્ના હજારેએ જંતર-મંતર પર ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઉપવાસ કર્યા. આ આંદોલનમાં ભાજપ અન્ના હજારેની સાથે હતો. આ ભૂખ હડતાલને રોકવા માટે કોંગ્રેસ સરકારે અનેક પગલા લીધાં હતાં.

વાયરલ વીડિયોમાં નીતિન ગડકરી કોંગ્રેસ સરકાર અને તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહની ટીકા કરતા નજરે પડે છે. વીડિયોમાં તે ખેડૂત આંદોલન નહીં પણ અન્ના હઝારેના આંદોલનની વાત કરી રહ્યા છે. યુટ્યુબ ચેનલ પર અપલોડ થયેલ આ વીડિયોના કેપ્શનમાં અન્ના હઝારેનું નામ પણ લખાયેલું છે.

તપાસ દરમિયાન અમને 2011 માં પ્રકાશિત BBC અને jagranના અહેવાલો પ્રાપ્ત થયા. જેમાં નીતિન ગડકરી દેશમાં વધી રહેલા ભ્રષ્ટાચાર માટે કોંગ્રેસ સરકારની ટીકા કરી રહ્યા છે. તપાસ દરમિયાન અમને AAJTAKના અહેવાલ મુજબ, નોંધનીય છે કે આ જ વર્ષે બાબા રામદેવે પણ કાળા નાણાં સામે સત્યાગ્રહ કર્યો હતો. આ વીડિયોમાં નીતિન ગડકરી બાબા રામદેવ વિશે પણ વાત કરતા જોવા મળી રહ્યા છે.

નોંધપાત્ર વાત એ છે કે નીતિન ગડકરી સરકાર વિરુદ્ધ ઘણી વખત ટીકા કરી ચૂક્યા છે. આવી સ્થિતિમાં, નીતિન ગડકરી આ વખતે ખેડૂત આંદોલન સાથે મોદી સરકારની વિરુદ્ધ જઈ રહ્યા છે. આ મુદ્દે કેટલાક કીવર્ડ્સ દ્વારા સર્ચ કરતા ન્યુઝ અહેવાલો મુજબ નીતિન ગડકરીને નવું કૃષિ બિલ ખેડૂતોના હિતમાં લાવવામાં આવેલ કાયદો લાગે છે. નીતિન ગડકરીએ પોતાની ઘણી મુલાકાતોમાં કહ્યું છે કે આ બિલ ખેડૂતોના હિત માટે લાવવામાં આવ્યું છે. કોઈપણ મીડિયા અહેવાલ જોવા મળ્યો નથી જેમાં નીતિન ગડકરીએ નવા કૃષિ કાયદાનો વિરોધ કર્યો હતો.

નીતિન ગડકરીના સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સની પણ તપાસ કરી. પરંતુ ત્યાં આ મુદ્દે કોઈ પોસ્ટ જોવા મળતી નથી. જેમાં નીતિન ગડકરી ખેડૂતોને ટેકો આપી રહ્યા છે અને સરકારની ટીકા કરી રહ્યા છે. નીતિન ગડકરી પીએમ મોદીના સમર્થનમાં સતત ટ્વીટ કરી રહ્યા છે.

Conclusion

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીનો 10 વર્ષ જુનો વીડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. હકીકતમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી દ્વારા 2011માં પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહની નીતિઓની ટીકા કરવામાં આવી હતી. તેઓ ખેડૂત આંદોલનને ટેકો આપી રહ્યા હોવાનો દાવો તદ્દન ભ્રામક છે.

Result :- False


Our Source

twitter
BBC
jagran
BJP Official

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular