Tuesday, April 22, 2025
ગુજરાતી

Fact Check

અયોધ્યા રામ મંદિર ખાતે દરરોજ આરતી સમયે વાંદરા દ્વારા ઘંટ વગાડવામાં આવતો હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ, જાણો શું છે સત્ય

Written By Prathmesh Khunt
Aug 14, 2021
banner_image

Ayodhya Ram Mandir નિર્માણ પર અનેક વિવાદો અવાર-નવાર સાંભળવા મળે છે. સોશ્યલ મીડિયા પર રામ મંદિર નિર્માણ અંગે અનેક વિડિઓ અને તસ્વીર પણ વાયરલ થયેલ છે, જેમાં મંદિર નિર્માણના દર્શ્યો જોવા મળે છે. થોડા દિવસો આગાઉ ગુજરાતના જૈન મંદિરના વિડિઓને અયોધ્યા રામ મંદિર હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવ્યો હતો.

ફેસબુક પર ફરી એક વખત Ayodhya Ram Mandir પર દરરોજ આરતી સમયે વાંદરા દ્વારા ઘંટ વગાડવામાં આવતા હોવાના દાવા સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે. વિડીઓમાં એક વાંદરા દ્વારા થાંભલા પર ચડીને આરતી સમયે ઘંટ વગાડવામાં આવતા હોવાના દર્શ્યો જોવા મળે છે, સોશ્યલ મીડિયા પર આ વિડિઓ અયોધ્યા રામ મંદિરની સંધ્યા આરતી હોવાના દાવા સાથે પોસ્ટ કરવામાં આવેલ છે.

Misleading video goes viral about monkeys ringing bells at Ayodhya Ram Mandir

Factcheck /Verification

અયોધ્યા રામ મંદિરની આરતી સમયે વાંદરા દ્વારા ઘંટ વગાડવામાં આવતા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ અંગે ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર Monkey Ringing Temple Bells ટાઇટલ સાથે પબ્લિશ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે. જ્યાં એક યુઝર દ્વારા જણાવેલ માહિતી અનુસાર આ મંદિર કર્ણાટકમાં આવેલ દેવરાયણદુર્ગા નરસિંહ સ્વામી મંદિર છે.

Misleading video goes viral about monkeys ringing bells at Ayodhya Ram Mandir

કર્ણાટકમાં આવેલ દેવરાયણદુર્ગા નરસિંહ સ્વામી મંદિર અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા ઘણા પરિણામો જોવા મળે છે, જ્યાં karnatakatourism અને templesinindiainfo વેબસાઈટ પર મંદિર વિષે આપવામાં આવેલ તમામ માહિતી જોવા મળે છે. ઉપરાંત ગુગલ મેપ પર આ મંદિર અંગે સર્ચ કરતા વાયરલ વિડીઓમાં દેખાઈ રહેલ ઘંટ લગાવેલ થાંભલો પણ જોઈ શકાય છે, જે પરથી સાબિત થાય છે કે આ અયોધ્યા ખાતે આવેલ રામ મંદિર નથી.

Ayodhya Ram Mandir
Ayodhya Ram Mandir

ત્યારબાદ, ટ્વીટર પર રામ જન્મભૂમિ ઓફિશ્યલ એકાઉન્ટ પર અયોધ્યા રામ મંદિર નિર્માણ કાર્ય અંગે જાણવાનો પ્રયાસ કરતા, 5 ઓગષ્ટના રામ જન્મભૂમિ ટ્રીથ ક્ષેત્ર દ્વારા કરવામાં આવેલ ટ્વીટ મુજબ મંદિર નિર્માણનું કાર્ય ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ સાથે નિર્માણ કાર્યની કેટલીક તસ્વીર પણ શેર કરવામાં આવેલ છે, જે વાયરલ તસ્વીર સાથે સરખાવતાં સ્પષ્ટ થાય છે કે વાયરલ વિડિઓ અયોધ્યા રામ મંદિર ખાતેનો નથો.

Ayodhya Ram Mandir

Conclusion

અયોધ્યા રામ મંદિર ખાતે સંધ્યા આરતી સમયે દરરોજ આ વાંદરા દ્વારા ઘંટ વગાડવામાં આવતો હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ તદ્દન ભ્રામક છે. કર્ણાટકમાં આવેલ દેવરાયણદુર્ગા નરસિંહ સ્વામી મંદિર ખાતે આ પ્રકારે વાંદરા દ્વારા ઘંટ વગાડવામાં આવે છે. જયારે અયોધ્યા રામ મંદિરનું નિર્માણ કાર્ય હજુ કાર્યરત છે, જ્યાં મંદિર નિર્માણ કાર્ય હજુ સંપૂર્ણ થયેલ નથી.

Result :- False


Our Source

Youtube
karnatakatourism
Shri Ram Janmbhoomi Teerth Kshetra

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

17,862

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage
cookie

અમારી વેબસાઇટ કૂકીઓ નો ઉપયોગ કરે છે

અમે કુકીઝ અને સમાન તકનીકનો ઉપયોગ કરીએ છીએ તાકી વિષયવસ્તુને વ્યક્તિગત બનાવી શકો, વિજ્ઞાપનોને સુયોજિત કરી અને માપી શકો, અને ઉત્કૃષ્ટ અનુભવ આપી શકો. 'ઠીક છે' પર ક્લિક કરીને અથવા કુકી પસંદગીઓમાં એક વિકલ્પને ચાલુ કરીને, તમે આને સવિકારો, જેમાં આમાં અમારી કુકી નીતિમાં વિવરણ કરાયું છે.