Saturday, April 26, 2025
ગુજરાતી

Fact Check

દશેરાના દિવસે રાવણ દહન વખતે બ્લાસ્ટ થતા 56 લોકોના મોત થયા હોવા અંગે ભ્રામક ખબર વાયરલ

Written By Prathmesh Khunt, Edited By Preeti Chauhan
Oct 19, 2021
banner_image

કોરોના બાદ આ વખતે નવરાત્રી અને દશેરાનો તહેવાર ઉજવવામાં આવ્યો છે. દશેરાના દિવસે તમામ જગ્યાએ રાવણ દહન કરવામાં આવ્યું અને ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ફેસબુક પર રાવણ દહન વખતે બ્લાસ્ટ થતા 56 લોકોના મોત થયા હોવાના દાવા સાથે ન્યુઝ આર્ટિકલની લિંક શેર કરવામાં આવેલ છે.

રાવણ દહન વખતે બ્લાસ્ટ

દશેરામાં રાવણ દહન વખતે રાવણ ફૂટતાં 56 લોકોના થયા મોત” હેડલાઈન સાથે athegathe વેબસાઈટ પર એક ન્યુઝ પ્રકાશિત કરવામાં આવેલ છે. તેમજ ફેસબુક પર વાયરલ પોસ્ટ સાથે ન્યુઝ બ્રેકીંગ પ્લેટ શેર કરવામાં આવેલ છે. જેમાં રાવણ સળગવાથી 56 લોકોનું મૃત્યુ થયું હોવા અંગે માહિતી આપવામાં આવેલ છે.

રાવણ દહન વખતે બ્લાસ્ટ

Factcheck / Verification

રાવણ દહન વખતે બ્લાસ્ટ થતા 56 લોકોનું મૃત્યુ થયું હોવા અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા કોઈપણ આધિકારિક માહિતી જોવા મળતી નથી. જયારે રાવણ દહન અને 56 લોકોના મોત અંગે ગુગલ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન navjivanindia, navbharattimes અને jansatta દ્વારા ઓક્ટોબર 2018ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે.

રાવણ દહન વખતે બ્લાસ્ટ

રાવણ દહન વખતે બ્લાસ્ટ થતા 56 લોકોના મૃત્યુ અંગે વધુ તપાસ કરતા દ્વારા ઓક્ટોબર 2018ના યુટ્યુબ પર પોસ્ટ કરવામાં આવેલ ન્યુઝ બુલેટિન જોવા મળે છે. અમૃતસરના જોડા ફાટક નજીક રેલવે ટ્રેક પાસે રાવણ દહન સમયે ટ્રેન અકસ્માતમાં 60 ના મોત અને 51 લોકો ઘાયલ થયા હતા.

રાવણ દહન વખતે બ્લાસ્ટની ઘટના અંગે newschecker પંજાબી ટિમ સાથે વાતચીત કરતા જાણવા મળે છે 2018 ટ્રેન અકસ્માત બાદ આ પ્રકારે કોઈપણ ઘટના ઘટિત થઈ નથી.

Conclusion

દશેરામાં રાવણ દહન સમયે બ્લાસ્ટ થતા 56 લોકોનું મૃત્યુ થયા હોવાના ભ્રામક દાવા સાથે સોશ્યલ મીડિયા પોસ્ટ વાયરલ થયેલ છે. 2020માં કોરોના લોકડાઉનના કારણે રાવણ દહન કાર્યક્રમ બંધ હતો, જયારે આ વર્ષે આ પ્રકારે બ્લાસ્ટની ઘટના ઘટિત થઈ નથી. 2018માં પંજાબના અમૃતસર ખાતે રેલવે ફાટક નજીક રાવણ દહન સમયે ટ્રેન અકસ્માતમાં 60 ના મોત અને 51 લોકો ઘાયલ થયા હતા.

Result :- Fabricated News


Our Source

navjivanindia,
navbharattimes
jansatta
NDTV

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

17,924

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage
cookie

અમારી વેબસાઇટ કૂકીઓ નો ઉપયોગ કરે છે

અમે કુકીઝ અને સમાન તકનીકનો ઉપયોગ કરીએ છીએ તાકી વિષયવસ્તુને વ્યક્તિગત બનાવી શકો, વિજ્ઞાપનોને સુયોજિત કરી અને માપી શકો, અને ઉત્કૃષ્ટ અનુભવ આપી શકો. 'ઠીક છે' પર ક્લિક કરીને અથવા કુકી પસંદગીઓમાં એક વિકલ્પને ચાલુ કરીને, તમે આને સવિકારો, જેમાં આમાં અમારી કુકી નીતિમાં વિવરણ કરાયું છે.