Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim : જલારામ બાપાના વંશજ જયસુખરામ બાપાનું 88 વર્ષની વયે અવસાન
Fact : હકીકતમાં જયસુખરામ બાપાનું અવસાન વર્ષ 2016માં થયું હતું.
ગુજરાતના વીરપુરમાં આવેલ જલારામ મંદિર ખુબ જ પ્રખ્યાત છે. ત્યારે સોશ્યલ મીડિયા પર જલારામ મંદિરના સંદર્ભમાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. અહીંયા, દાવો કરવામાં આવ્યો છે કે જલારામ બાપાના વંશજ જયસુખરામ બાપાનું 88 વર્ષની વયે અવસાન થયું છે. ફેસબુક યુઝર્સ “જલારામ બાપાના વારસદારનું નિધન” ટાઇટલ સાથે પોસ્ટ શેર કરી રહ્યા છે.

જલારામ બાપાના વંશજ જયસુખરામ બાપાનું 88 વર્ષની વયે અવસાન થયું હોવાના દાવા અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતાન્યુઝ સંસ્થાન webdunia અને azadsandesh દ્વારા ઓગષ્ટ 2016માં પ્રકાશિત થયેલા અહેવાલ જોવા મળે છે. જે મુજબ, વર્ષ 2016માં જલારામ બાપાના વંશજ જયસુખરામ બાપાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જે પ્રસંગે પરિવારજનો સહિત મોટી સંખ્યામાં ભાવિકો વીરપુર આવી પહોંચ્યા હતા.

આ અંગે વધુ તપાસ કરતા યુટ્યુબ પર GSTV NEWS દ્વારા 2016માં પોસ્ટ કરવામાં આવેલ ન્યુઝ બુલેટિન જોવા મળે છે. અહીંયા, જયસુખરામ બાપાના અંતિમ સંસ્કાર ક્રિયા અને ભાવિકો દ્વારા આપવામાં આવતી શ્રદ્ધાંજલિના દર્શ્યો જોઈ શકાય છે. ઉપરાંત વાયરલ પોસ્ટમાં બતાવવામાં આવેલ પાર્થિવ દેહની તસ્વીર પણ વિડીયોમાં જોઈ શકાય છે.
આ દુઃખદ ઘટના અંગે જલારામ મંદિરની સત્તવાર વેબસાઈટ santjalaram.in પર પણ 2016માં માહિતી પ્રકાશિત કરવામાં આવેલ છે. જે અનુસાર, 2016માં વીરપુર જલારામ બાપાના ચોથી પેઢીના વારસદાર જયસુખબાપાનો દેહ પંચમહાભૂતમાં વિલિન થયો છે.
જલારામ બાપાના વંશજ જયસુખરામ બાપાનું 88 વર્ષની વયે અવસાન થયું હોવાના ભ્રામક દાવા સાથે પોસ્ટ વાયરલ થઈ રહી છે. હકીકતમાં જયસુખરામ બાપાનું અવસાન વર્ષ 2016માં થયું હતું. યુઝર્સ 7 વર્ષ જૂની પોસ્ટ હાલમાં બનેલ ઘટના હોવાના ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.
Our Source
Media Report Of webdunia , Aug 2016
Media Report Of azadsandesh , Aug 2016
YouTube Video Of GSTV NEWS , Aug 2016
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044