Sunday, December 21, 2025

Fact Check

યુકેના નવા પીએમ ઋષિ સુનકે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે દિવા પ્રગટાવી રહ્યા હોવાના દાવા સાથે જૂની તસ્વીર વાયરલ

banner_image

આ અઠવાડિયાની શરૂઆતમાં ઋષિ સુનક એક વર્ષની અંદર યુનાઇટેડ કિંગડમનું વડાપ્રધાન પદ સંભાળનાર ત્રીજા વ્યક્તિ બન્યા. સુનક યુકેનું નેતૃત્વ કરનાર પ્રથમ ભારતીય મૂળના વ્યક્તિ બન્યા છે. આ ક્રમમાં, યુકેના નવા નિયુક્ત ‘હિન્દુ’ વડા પ્રધાનને પ્રવેશ દ્વારની બહાર માટીના દીવા મૂકી રહ્યા હોવાની એક તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ક્લિપ શેર કરનાર યુઝર્સે દાવો કર્યો હતો કે ઋષિ સુનકે 10 ડાઉનિંગ સ્ટ્રીટ – બ્રિટિશ પીએમની ઓફિસ અને સત્તાવાર નિવાસસ્થાનમાં પ્રવેશતા પહેલા “ધાર્મિક વિધિઓ” કરતા જોવા મળ્યા હતા.

યુકેના નવા પીએમ ઋષિ સુનકે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે દિવા પ્રગટાવી રહ્યા હોવાના દાવા સાથે જૂની તસ્વીર વાયરલ
Screen Shot Of Facebook User Mahipalsinh Jadav

ફેસબુક યુઝર્સ200 વર્ષ ની ગુલામી નો જવાબ આજે એક ભારતીય મુળના ઋષિ સોનાકે બ્રિટેન ની પાર્લિયામેન્ટ નાં દરવાજા પર દીપ પ્રગટાવી આપ્યો.” કેપ્શન સાથે તસ્વીર શેર થઈ રહી છે. 25 ઓક્ટોબરથી યુઝર્સ ઋષિ સુનાકની આ તસ્વીરને દિવાળીના તહેવાર અને યુકે પીએમના દિવા પ્રગટાવવાના વિવિધ દાવાઓ સાથે શેર કરી રહ્યા છે.

યુકેના નવા પીએમ ઋષિ સુનકે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે દિવા પ્રગટાવી રહ્યા હોવાના દાવા સાથે જૂની તસ્વીર વાયરલ
Screen Shot Of Facebook User Hitesh Dholariya

ઉલ્લેખનીય છે કે, ન્યૂઝ વેબસાઈટ ફર્સ્ટપોસ્ટે પણ એક અહેવાલમાં આ ટ્વિટ કર્યું હતું જેમાં જણાવ્યું હતું કે, “યુકેના નવા વડા પ્રધાન ઋષિ સુનકે મંગળવારે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં તેમની નવી ઓફિસમાં પ્રવેશતા પહેલા કેટલીક ધાર્મિક વિધિઓ કરી હતી, ગર્વથી તેમના હિન્દુ મૂળને પ્રદર્શિત કર્યા હતા…”

વાયરલ પોસ્ટ અંગે અનેક ન્યુઝ સંસ્થાનો દ્વારા પણ ભ્રામક દાવા સાથે તસ્વીર શેર કરવામાં આવી હતી, જે અંગે Newschecker ઈંગ્લીશ ટિમ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ફેકટચેક અહીંયા વાંચો

Fact Check / Verification

સુનકે બ્રિટિશ પીએમના નિવાસસ્થાનમાં પ્રવેશતા પહેલા કોઈ “ધાર્મિક વિધિઓ” કરી હતી કે નહીં તેની તપાસ માટે ગૂગલ સર્ચ કરતા Independent.ie દ્વારા 25 ઓક્ટોબર, 2022 ના રોજ પ્રકાશિત થયેલ અહેવાલ જોવા મળે છે. જે અનુસાર, યુકેના પીએમ તરીકે પ્રથમ વખત સુનકને 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં પ્રવેશ લેતાનો વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. અહીંયા જોઈ શકાય છે કે ઋષિ સુનક દ્વારા કોઈપણ ધાર્મિક વિધિ કરવામાં આવી નથી.

યુકેના નવા પીએમ ઋષિ સુનકે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે દિવા પ્રગટાવી રહ્યા હોવાના દાવા સાથે જૂની તસ્વીર વાયરલ

ઉપરાંત, અન્ય મીડિયા સંસ્થાન દ્વારા પ્રકાશિત થયેલા અહેવાલોમાં યુકેના પીએમ તરીકે પ્રથમ વખત સુનાક પોતાના નિવાસસ્થાનમાં પ્રવેશતા લઇ રહ્યા હોવાના વિડીયો શેર કરવામાં આવ્યા હતા, જો કે પ્રવેશદ્વાર પર દીવાઓ પ્રગટાવવા અંગે કોઈપણ માહિતી જોવા મળતી નથી.

આ વાયરલ તસ્વીર અંગે વધુ તપાસ કરતા NDTV દ્વારા 13 નવેમ્બર, 2020 ના રોજ “દિવાળી પહેલા લંડનમાં ડાઉનિંગ સ્ટ્રીટ પર ઋષિ સુનકે લાગવ્યા દિવા” ટાઇટલ સાથે પ્રકાશિત થયેલ અહેવાલ જોવા મળે છે. અહીંયા જોવા મળતી માહિતી મુજબ, યુકેના ચાન્સેલર ઓફ ધ એક્સચેકર ઋષિ સુનક દિવાળીના તહેવાર પહેલા લંડનમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન ડાઉનિંગ સ્ટ્રીટમાં નંબર 11ની બહાર માટીના દીવા પ્રગટાવતા જોવા મળ્યા હતા.

આ અહેવાલ સાથે એક વિડિયો પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો જેમાં સુનક તેના તત્કાલીન સત્તાવાર નિવાસસ્થાનની બહાર દીવાઓ મૂકતા અને રોશની કરતા જોઈ શકાય છે. વિડિયોની લગભગ 30 સેકન્ડ પછી વાયરલ તસ્વીરના દર્શ્યો જોઈ શકાય છે. મળતી માહિતીના આધારે ગુગલ સર્ચ કરતા ઋષિ સુનકની દિવાળીની ઉજવણી અંગે અનેક અહેવાલો જોવા મળે છે.

વધુમાં, 14 નવેમ્બર, 2020 ના રોજ ઋષિ સુનાકે પોતાના ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ પરથી દિવાળીની ઉજવણી કરતો પોતાનો વિડીયો શેર કરેલ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તેઓ દિવાળીની ઉજવણી અંગેની તૈયારીઓ અંગે જણાવી રહ્યા છે, તેમજ તેઓએ પોતાના ઘર નંબર.11 નો ઉલ્લેખ કરેલ છે. જે યુકેનું પીએમ નિવાસ સ્થાન નથી.

Conclusion

ઋષિ સુનકે 10 ડાઉનિંગ સ્ટ્રીટ – બ્રિટિશ પીએમની ઓફિસ અને સત્તાવાર નિવાસસ્થાનમાં પ્રવેશતા પહેલા “ધાર્મિક વિધિઓ” કરતા જોવા મળ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર ખરેખર 2020માં લેવામાં આવેલ છે. ઋષિ સુનક દિવાળીના તહેવાર પહેલા લંડનમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન ડાઉનિંગ સ્ટ્રીટમાં નંબર 11ની બહાર માટીના દીવા પ્રગટાવતા જોવા મળ્યા હતા. સોશ્યલ મીડિયા યુઝર્સ આ ઘટનાને હાલમાં સુનાક યુકેના પીએમ બન્યા બાદની હોવાના ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.

Result : False

Our Source

Report By Independent.ie, Dated October 25, 2022
Report By NDTV, Dated November 13, 2020
Tweet By @IIL2004, Dated November 13, 2020


કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
No related articles found
Newchecker footer logo
ifcn
fcp
fcn
fl
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

20,641

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage