રવિવારે, ઉત્તરાખંડમાં એક દુ:ખદ બસ અકસ્માત થયો હતો , જેમાં 26 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા હતા. ખાઈમાં પડી ગયેલી આ બસમાં મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના શ્રદ્ધાળુઓ મુસાફરી કરી રહ્યા હતા. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર આ ઘટના સાથે જોડાયેલી ઘણી અન્ય તસવીરો પણ વાયરલ થઈ રહી છે.

ફેસબુક પર Anjam Express દ્વારા “ઉત્તરાખંડ અકસ્માતમાં 25 મુસાફરોના દર્દનાક મોત થયા, ગૃહ મંત્રી,રક્ષા મંત્રીએ શોક વ્યક્ત કર્યો, CMની વળતરની જાહેરાત, યમુનોત્રીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા શ્રદ્ધાળુઓ, બસ ઉત્તરકાશી જિલ્લાના દમતા ખાતે ઉંડી ખીણમાં ખાબકી” ટાઇટલ સાથે એક તસ્વીર વાયરલ થઈ રહી છે.

Fact Check / Verification
ઉત્તરાખંડમાં એક દુ:ખદ બસ અકસ્માત થયો હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન દ્વારા 19 જુલાઉ 2018ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. અહેવાલ અનુસાર, ઉત્તરાખંડ રોડવેઝની બસ ટિહરી જિલ્લાના ચંબાથી લગભગ 15 કિલોમીટરના અંતરે 250-મીટર ઊંડી ખીણમાં પડી ગઈ હતી, જેમાં બે મહિલાઓ સહિત 14 લોકોના મોત થયા હતા અને 17 અન્ય લોકો ઘાયલ થયા હતા. અહેવાલ સાથે વાયરલ તસ્વીર પણ જોઈ શકાય છે.

ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાં બનેલ બસ અકસ્માત અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા ઘટના અંગે uttarakhandnewsnetwork દ્વારા જુલાઈ 2018ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોઈ શકાય છે. જે મુજબ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે મુખ્ય સચિવને ધૂમાકોટ નજીક થયેલા બસ અકસ્માતમાં પ્રાથમિક દૃષ્ટિએ બેદરકારી દાખવવા બદલ S.O., Dhumakot અને ARTO ને સસ્પેન્ડ કરવા સૂચના આપી છે. મુખ્યમંત્રીએ PWD વિભાગને રાજ્યના ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું સમારકામ કરવાના પણ આદેશ પણ આપ્યો હતો.

ઉત્તરાખંડમાં બનેલ બસ અક્સ્માતના સંદર્ભમાં ટ્વીટર પર અન્ય કેટલીક તસવીરો પણ વાયરલ થયેલ છે, જે અંગે newschecker હિન્દી ટીમના Arjun Deodia દ્વારા 6 જુનના પ્રકાશિત કરવામાં આવેલ છે.
Conclusion
ઉત્તરાખંડમાં એક દુ:ખદ બસ અકસ્માત થયો હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર ખરેખર 2018માં ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાં બનેલ દુર્ઘટના છે. સોશ્યલ મીડિયા પર 2018માં બનેલ ઘટનાને હાલના સંદર્ભમાં શેર કરવામાં આવેલ છે.
Result : False Context/Missing Context
Our Source
Report of First Post, published on July 1, 2018
Report of uttarakhandnewsnetwork, , published on July 2, 2018
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044