Monday, December 15, 2025

Coronavirus

કોરોના વિદાય લઇ રહ્યો હોવાના દાવો કરતી પોસ્ટ ડો.તેજશ પટેલના નામ સાથે વાયરલ, જાણો શું કહ્યું તેજશ પટેલે

banner_image

Dr Tejas Patel Viral Video
ભારતમાં કોરોના કેસ દિવસે-દિવસે વધી રહ્યા છે. ગુજરાતમાં કોરોના વાઇરસના કેસમાં રેકર્ડ વધારો થતાં રાજ્યની હૉસ્પિટલો દરદીઓથી ઊભરાઈ રહી છે અને મોટાભાગની હૉસ્પિટલોમાં બૅડ ઉપલબ્ધ નથી. ત્યારે કોરોના વાઇરસની ત્રીજી લહેર આવી રહી હોવા પર ચર્ચાઓ થઈ રહી છે, સરકાર દ્વારા પણ આવનાર કોરોના લહેર માટે અગાઉ થી લેવામાં આવેલ પગલાંઓ વિશે માહિતી આપતી રહે છે.

Dr Tejas Patel Viral Video
Facebook archive facebook

આ તમામ ઘટના વચ્ચે અમદાવાદ પ્રખ્યાત ડોક્ટર તેજશ પટેલ પર એક પોસ્ટ વાયરલ થયેલ છે. જેમાં કોરોના વાઈરસની બીજી લહેર ટૂંક સમયમાં ખતમ થઇ જશે અને ત્રીજી લહેર પણ નહીં આવે જેવી વાત ડો.તેજશ પટેલ દ્વારા કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવેલ છે. ફેસબુક પર ઘણા યુઝર્સ દ્વારા આ પોસ્ટ “કોરોના વિદાય લઇ રહ્યો છે, બીમાર જલ્દી તંદુરસ્ત થશે, હવે કોઈએ ડરવાની જરૂર નથી” કેપશન સાથે શેર કરવામાં આવેલ છે. (Dr Tejas Patel Viral Video on Social Media)

Dr Tejas Patel Viral Video
Facebook crowdtangle
Dr Tejas Patel Viral Video
crowdtangle

Factcheck / Verification

ડો.તેજશ પટેલ દ્વારા કોરોના વાઇરસ ખતમ થઇ જવાનો હોવાના દાવા સાથે વાયરલ થયેલ પોસ્ટ પર ગુગલ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન meranews દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ આર્ટિકલ જોવા મળે છે. જેમાં વાયરલ ભ્રામક પોસ્ટ અંગે સોશ્યલ મીડિયા પર ડો.તેજશ પટેલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હોવાની માહિતી જાણવા મળે છે.

Dr.Tejas Patel Viral Video
Dr Tejas Patel Viral Video on Social Media

ફેસબુક પર ડો. તેજશ પટેલ ના ઓફિશ્યલ એકાઉન્ટ પર 10 મે 2021ના કરવામાં આવેલ પોસ્ટ જોવા મળે છે. જેમાં તેઓએ વાયરલ પોસ્ટ શેર કરતા લાઈવ વિડિઓ મારફતે સ્પષ્ટતા કરેલ છે કે “સોશ્યલ મીડિયા પર મારા નામ સાથે કોરોના વાઇરસ મુદ્દે કરવામાં આવેલ પોસ્ટ ભ્રામક છે, આવું કોઈપણ નિવેદન મારા દ્વારા આપવામાં આવેલ નથી

Dr Tejas Patel Viral Video
Dr Tejas Patel Viral Video on Social Media
Social Media Viral video Post Clarification Dr. Tejas Patel
Social Media Viral video Post Clarification Dr. Tejas Patel

કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવને કહ્યું કે જો સાવચેતી રાખવામાં આવે તો આપણે કોરોના વાયરસની ત્રીજી લહેરને રોકી શકીએ છીએ. તેમણે કહ્યું કે જો બધા સાવચેત રહે અને માર્ગદર્શિકાનું પાલન કરે, તો કદાચ કોરોનાની ત્રીજી લહેર કેટલાક સ્થળોએ અથવા ક્યાંય નહીં આવે. રાઘવને કહ્યું કે જો જરૂરી પગલાં લેવામાં આવે તો દેશના દરેક ભાગને કોરોનાની ત્રીજી લહેર થી બચાવી શકીએ. આ પહેલા ગુરુવારે તેમણે કહ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેર દેશમાં ચોક્કસપણે આવશે. તેમની ટિપ્પણી પછી, દેશમાં કોરોનાનું જોખમ વધુ વધવાની ધારણા હતી. આ અંગે સ્પષ્ટતા આપતાં રાઘવને શુક્રવારે કહ્યું હતું કે જો સાવચેતી રાખવામાં આવે તો તે બધે નહીં આવે. કોરોના વાયરસના દેશના તમામ ભાગોમાં અલગ-અલગ પીકઅપ જોવા મળ્યાં છે.

Conclusion

કોરોના વાયરસની બીજી લહેર ટૂંક સમયમાં ખતમ થઈ જશે અને ત્રીજી લહેર પણ નહીં આવે જેવા દાવા સાથે ડો.તેજશ પટેલના નામ સાથે ભ્રામક પોસ્ટ વાયરલ થયેલ છે. ડો.તેજશ પટેલ દ્વારા ફેસબુલ લાઈવ મારફતે વાયરસ અંગે કરવામાં આવેલ દાવા પર વાયરલ થયેલ પોસ્ટ ભ્રામક હોવાની સ્પષ્ટતા કરવામાં આવેલ છે.

Result :- False


Our Source

ડો. તેજશ પટેલ
meranews
Google Search

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
ifcn
fcp
fcn
fl
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

20,598

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage