ક્લેમ :-
યુનિસેફ, કોરોના વાયરસ કદમાં મોટા પ્રમાણમાં 400-500 માઇક્રોના કોષ વ્યાસ સાથે હોય છે, તેથી કોઈપણ માસ્ક તેની પ્રવેશને અટકાવે છે. યુનિસેફના નામ પર કેટલીક માહિતી શેયર કરવામાં આવી છે.
વેરિફિકેશન :-
સોશિયલ મીડિયા પર યુનિસેફ દ્વારા કોરોના વાયરસથી સાવધાની રાખવા માટે કેટલાક નિયમો કહેવામાં આવ્યા છે, માહિતી યુનિસેફ દ્વારા પબ્લિશ થઇ હોવાના દાવા સાથે આ પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. ‘યુનિસેફ,કોરોના વાયરસ કદમાં મોટા પ્રમાણમાં 400-500 માઇક્રોના કોષ વ્યાસ સાથે હોય છે, તેથી કોઈપણ માસ્ક તેની પ્રવેશને અટકાવે છે તેથી મીઝલ્સ સાથે વેપાર કરવા માટે ફાર્માસિસ્ટ્સનું શોષણ કરવાની જરૂર નથી. વાયરસ હવામાં સ્થિર થતો નથી, પરંતુ જમીન પર, તેથી તે હવા દ્વારા પ્રસારિત થતો નથી. કોરોના વાયરસ, જ્યારે તે ધાતુની સપાટી પર પડે છે, તે 12 કલાક જીવંત રહેશે, તેથી સાબુ અને પાણીથી હાથ ધોવા એ યુક્તિ કરશે. કોરોના વાયરસ જ્યારે તે કાપડ પર પડે છે તે 9 કલાક સુધી રહે છે તેથી કપડા ધોવા અથવા તેમને બે કલાક સૂર્ય સામે લાવવાથી તે તેની હત્યા કરે છે. વાયરસ 10 મિનિટ સુધી હાથ પર રહે છે તેથી આલ્કોહોલ સેનિટાઈઝરને ખિસ્સામાં મૂકવું રોકથામના હેતુ માટે પૂરતું છે. જો વાયરસ 26-27 ° સે તાપમાનમાં આવે છે, તો તે મરી જશે, તે ગરમ વિસ્તારોમાં રહેતો નથી. ગરમ પાણી પીવું અને સૂર્યનો સંપર્ક કરવો એ પૂરતું સારું છે.આઈસ્ક્રીમ અને કોલ્ડ ફૂડથી દૂર રહેવું મહત્વપૂર્ણ છે. હૂંફાળા પાણી અને મીઠાથી ઉકાળો કાકડા કાsે છે અને ફેફસાંમાં લિક થવાથી રોકે છે.આ સૂચનાનું પાલન એ વાયરસને રોકવા માટે પૂરતું છે. યુનિસેફ’


આ વાયરલ પોસ્ટ સાથે એક બીજી વાયરલ પોસ્ટમાં એક તસ્વીર પણ શેયર કરવામાં આવી છે, જેમાં ખેડૂતો માટે વિશેષ માહિતી લખવામાં આવ્યું છે અને કોરોના વાયરસના લક્ષણો અને બચવા માટેના કેટલાક જરૂરી પગલાઓ સાથે આ તસ્વીર અને સમાન દાવો કરતી યુનિસેફની પોસ્ટ પણ શેયર કરવામાં આવી છે. તેમજ એક યુટ્યુબ વીડિઓ પણ મળી આવે છે જેમાં કોરોના વાયરસથી બચવા માટે કેટલાક સૂચન અને માહિતી આપે છે.
આ તમામ વાયરલ દાવાના સત્યતા તપાસવા માટે સૌપ્રથમ યુનિસેફની વેબસાઈટ પર આ માહિતીની શોધખોળ શરૂ કરી, જેમાં યુનિસેફની વેબસાઈટ પર આ પ્રકારે કોઈપણ ભાષામાં કોરોના વાયરસને લગતી માહિતી આપી નથી. જે બાદ યુનિસેફના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ મળી આવે છે જેમાં તેમણે ખુલાસો કર્યો છે કે યુનિસેફ દ્વારા કોર્ન વાયરસને લઇ કોઈપણ સમાચાર , વોટસએપ મેસેજ આપવામાં આવ્યા નથી. આ ઉપરાંત એક લિંક આપવામાં આવી છે જેમાં તમે કોરોના વાયરસથી બચવા માટે, તેના લક્ષણો અને કોરોનાને લગતી કેટલીક ભ્રામક ખબરોને લઇ આર્ટિકલ પબ્લિશ કરવામાં આવ્યો છે.
Find out how you can protect yourself and loved ones from #coronavirus.
— UNICEF (@UNICEF) March 2, 2020

આ ઉપરાંત યુનિસેફના ટ્વીટર એકાઉન્ટ પરથી પણ આ વાયરસને ફેલાવતા અને તેના સંક્ર્મણથી બચવા માટે એક પોસ્ટ કરવામાં આવી છે. વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવા મુજબ માસ્ક પહેરવાથી કપૂર સળગાવવાથી તેમજ આવી અન્ય ભ્રામક ખબરોને લઇ મળતા તમામ પરિણામ પરથી સાબિત થાય છે કે આ પ્રકારે યુનિસેફ દ્વારા કોઈપણ પોસ્ટ કરવામાં આવી નથી. કોરોના વાયરસને લઇ આ એક ભ્રામક માહિતી શેયર કરવામાં આવી છે.
TOOLS :-
GOOGLE KEYWORD SEARACH
FACEBOOK SEARACH
UNICEF
TWITTER SEARCH
પરિણામ :- ભ્રામક દાવો (MISLEADING)
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)