Saturday, March 22, 2025

Crime

હાથરસ ગેંગરેપની પીડિતાને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ સાથે વાયરલ થયેલ તસ્વીર કોઈ અન્ય યુવતી છે!

banner_image

ઉત્તરપ્રદેશના હાથરસમાં થયેલ ગેંગ રેપની ઘટના પર સોશ્યલ મીડિયા પર ખુબજ ચર્ચાઓ ચાલી રહી છે. ફેસબુક અને ટ્વીટર પર રેપ પીડિતા મનીષા વાલ્મિકીની તસ્વીર સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવતી પોસ્ટ શેર કરવામાં આવી છે. ફેસબુક અને ટ્વીટર પર “હાથરસ (ઉત્તરપ્રદેશ) ની એક દીકરી પર ગેંગરેપ થાય, પીડિતા સાથે અકલ્પનિય વ્યવહાર થાય અને છેલ્લે અંતિમ શ્વાસ લીધો ત્યારબાદ અંતિમ સંસ્કારમાં પરિવાર મોઢું પણ ના ભાળે” કેપશન સાથે આ પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

આ ઉપરાંત કેટલાક ન્યુઝ સંસ્થાનો theyuvanews, newsraja, moviespie દ્વારા પણ મનીષા વાલ્મિકીની આ તસ્વીર સાથે ન્યુઝ પબ્લિશ કરેલ છે.

Fact check / Verification

શોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ મનીષા વાલ્મિકીની તસ્વીર મુદ્દે ગુગલ સર્ચ કરતા યુપીના હાથરસમાં દલિત યુવતી સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો, જે બાદ યુવતી દિલ્હીના સફદરગંજ હોસ્પિટલમાં સારવાર માટે હતી અને તેનું મોટ થયેલ છે. યુપી પોલીસ પર આ મુદ્દે ખુબજ સવાલો ઉઠી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર યુવતીના મોટ બાદ એક અફવા એ પણ વાયરલ થઇ હતી, યુવતીની જીભ કાપી નાખવામાં આવી છે અને કેટલીક જગ્યાએ ફ્રેક્ચર પણ થયેલ છે.

જયારે આ મુદ્દે વધુ સર્ચ કરતા હાથરસ પોલીસ દ્વારા આ મુદ્દે ખુલાસો આપતી ટ્વીટ જોવા મળે છે, જે મુજબ યુવતીની જીભ કાપવામાં આવી અને આંખ ફોડવામાં આવી તેમજ કેટલાક અન્ય અંગો પણ ફ્રેક્ચર કરવામાં આવ્યા હોવાની વાયરલ થયેલ માહિતી તદ્દન ભ્રામક અને ખોટી છે. હાથરસ પોલીસ આ વાયરલ ભ્રામક અને ખોટા દાવાનું ખંડન કરે છે.

Image
Twitter

જયારે મનીષા વાલ્મિકીના નામ સાથે વાયરલ થયેલ તસ્વીર મુદ્દે indiatoday દ્વારા પબ્લિશ કરાયેલ ફેકટચેક રિપોર્ટ જોવા મળે છે. જે મુજબ તેઓએ યુવતીના ભાઈ સાથે સંપર્ક કરી વાયરલ તસ્વીર મુદ્દે પૂછપરછ કરતા જાણવા મળે છે કે આ તસ્વીર મનીષા વાલ્મિકીની નથી. તેમજ ગેંગ રેપ થયેલ યુવતીની હોસ્પિટલમાં લેવાયેલ તસ્વીર અને વાયરલ તસ્વીર સરખાવતા બન્ને તદ્દન અલગ વ્યક્તિ હોવાનું પણ સાબિત થાય છે.

Indiatoday

જે છોકરીની તસ્વીર હાથરસ પીડિત તરીકે શેર કરવામાં આવી રહી છે તે મનીષા યાદવ છે. ચંદીગઢની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન 22 જુલાઈ, 2018 ના રોજ તેણીનું અવસાન થયું હતું. તે ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાની હતી, અને તેના ભાઈ અજયના જણાવ્યા મુજબ વાયરલ થયેલી તસવીર તેમના ગામમાં લેવામાં આવી હતી.

અજય દ્વારા જણાવવામાં આવ્યું કે તેની બહેનનાં લગ્ન ચંદીગઢમાં થયા હતાં અને સારવાર દરમિયાન બેદરકારીને કારણે તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. પરિવારજનો હોસ્પિટલ સામે ફરિયાદ નોંધાવવા માંગતા હતા પરંતુ પોલીસ એફઆઈઆર નોંધી નથી. આને કારણે અજય અને તેના મિત્રોએ સોશિયલ મીડિયા પર “જસ્ટિસ ફોર મનીષા” અભિયાન ચલાવ્યું હતું. આ તમામ વાત અજય યાદવ દ્વારા indiatodayનો સંપર્ક સાધીને સ્પષ્ટ કરવામાં આવેલ છે.

Conclusion

હાથરસ ગેંગ રેપની પીડિતા મનીષા વાલ્મિકીના મોત બાદ સોશ્યલ મીડિયા પર અનેક યુઝર્સ દ્વારા શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ શેર કરવામાં આવી છે, જે તદ્દન ભ્રામક તસ્વીર છે. વાયરલ તસ્વીર મનીષા યાદવની છે, જે ચંદીગઢની રહેવાસી હતી અને 2018માં તેમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયેલ છે. આ મુદ્દે મનીષા યાદવના ભાઈ દ્વારા ખુલાસો આપવામાં આવ્યો છે.

Result :- False


Our Search

HATHRAS POLICE.
Indiatoday
ANI

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

17,500

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage