Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ક્લેમ :-
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને લખેલ એક માનવામાં આવેલો પત્ર સોશિયલ મીડિયા પર ફરતો થઈ રહ્યો છે. આ પત્ર 11 નવેમ્બરના રોજ વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં લખ્યું છે.

“ પ્રિય મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ, હું તમને અને તમારી ખંડપીઠના ન્યાયમૂર્તિ એસ.એ. બોબડે, ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચુડ, ન્યાયાધીશ અશોક ભૂષણ અને ન્યાયાધીશ એસ.અબ્દુલ નઝીરને યોગદાન બદલ અભિનંદન આપીને પ્રારંભ કરું છું. હિન્દુ રાષ્ટ્ર માટે નવો ઇતિહાસ રચનારા તમારા અનિવાર્ય અને યાદગાર નિર્ણય માટે હિન્દુઓ હંમેશાં તમારી અને તમારી ટીમનો આભારી રહેશે. હું તમને અને તમારા પરિવારને તમારા ભાવિ પ્રયત્નો માટે ખૂબ-ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ફરી એકવાર આ નોંધપાત્ર નિર્ણય બદલ અભિનંદન આપું છું. આ નિર્ણાયક સમયે અદ્ભુત સમર્થન બદલ આભાર” : નરેન્દ્ર મોદી
વેરીફીકેશન :-
બાંગ્લાદેશ, પાકિસ્તાન તેમજ અન્ય મિડિયામાં ફેલાતા નકલી પત્રની ભારતે નિંદા કરી છે, દાવો કરવામાં આવ્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેને ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇને સંબોધન કર્યું હતું. અને આ ખબરને ખુબજ વાયરલ કરવામાં આવી રહી છે.

ત્યારે આ મુદ્દે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે એક ટ્વિટમાં જણાવ્યું છે કે, જાણીજોઈને આવા નકલી અને દૂષિત સમાચારો ફેલાવવા, સમુદાયોને વહેંચવા, અણબનાવ બનાવવા અને ભારત અને બાંગ્લાદેશના લોકો વચ્ચેની મિત્રતાને નબળાઇ આપવા માટે જવાબદાર લોકોની અમે નિંદા કરીએ છીએ.
We strongly condemn those responsible for deliberately spreading such fake and malicious news, to divide communities, create disharmony and undermine friendship between the people of India and Bangladesh. https://t.co/LEdXxutzNc
— Raveesh Kumar (@MEAIndia) November 13, 2019
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આ પોસ્ટ બાંગ્લાદેશમાં લોકોને ગેરમાર્ગે દોરવાનો અને સામાજિક તકરાર ઉભી કરવાનો છે.”
સુપ્રીમ કોર્ટે શનિવારે અયોધ્યામાં વિવાદિત સ્થળ પર સરકારી ટ્રસ્ટ દ્વારા રામ મંદિરના નિર્માણનું સમર્થન કર્યું હતું અને ચુકાદો આપ્યો હતો કે પવિત્ર શહેરની એક મસ્જિદ માટે વૈકલ્પિક પાંચ એકર પ્લોટ આપવાનો આદેશ આપ્યો છે. જે બાદ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે સોશિયલ મડિયા કે મેઈન સ્ટ્રીમ મિડિયા પર આ મુદ્દે કોઇપણ ભડકાવ ભાષણ કે કોઈ પક્ષ તરફી નિવેદન આપવું અયોગ્ય છે. તેમજ સોશિયલ મિડિયા પર કોઇપણ ભભ્રામક ખબર ના ફેલાવવા પર વિનંતી કરવામાં આવી હતી.

વાયરલ પોસ્ટમાં વાપરવામાં આવેલા લેટર પેડને ફોટોશોપ દ્વારા એડિટ કરી તેનું લખાણ બદલવામાં આવ્યું છે, જે બાદ તેને બાંગ્લાદેશ, પાકિસ્તાની મિડ્યા દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે, જેની સાથે લખવામાં આવ્યું છે કે “ખુદ મોદીએ ભારતીય ન્યાયતંત્રનો કોમી ચહેરો ઉજાગર કર્યો છે” આ મુદ્દે ભારતીય મિડિયા દ્વારા પણ આ દાવાને ખોટો સાબિત કરતા આર્ટીકલ પબ્લીશ કરવામાં આવ્યા છે.
ટુલ્સ :-
ટ્વીટર સર્ચ
ગુગલ એડવાન્સ સર્ચ
ફેસબુક સર્ચ
પરિણામ :- ભ્રામક દાવો (ફેક ન્યુઝ)
(કોઈપણ શંકાસ્પદ ખબર , કોઈપણ વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in)
JP Tripathi
August 22, 2025
Vasudha Beri
August 12, 2025
Dipalkumar Shah
August 12, 2025