Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
1954ના કુંભમેળામાં સ્નાન કરી રહેલા ભારતના પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુની તસવીર.
દાવો ખોટો છે. નહેરુના માતાના નિધન સમયની વિધીની તસવીર છે.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં રાજકીય નેતાઓ, બોલીવૂડ સેલિબ્રિટીઝ અને વિદેશી મહેમાનો સહિત કરોડો શ્રદ્ધાળુઓ સંગમસ્નાન કરતા જોવા મળ્યા.
મહાકુંભમાં ઘટેલી દુર્ઘટના, લાંબા ટ્રાફિક જામ અને જનમેદની માટેની વ્યવસ્થાઓ સહિતની બાબતો દેશભરમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. રેલ્વેથી લઈને બસ અને હવાઈ મુસાફરી દરમિયાનના અનુભવો શ્રદ્ધાળુઓ સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યાં છે. દરમિયાન, મહાકુંભ મામલે કેટલીક મિસઇન્ફર્મેશન પણ ફેલાઈ. જેમાં ખોટી માહિતીઓ સાથેના દાવા, જૂની અન્ય ઘટનાઓના વીડિયો મહાકુંભની ઘટના તરીકે પણ વાઇરલ થયા. વધુમાં જે સેલિબ્રિટીઝ કે વ્યક્તિત્ત્વોએ મહાકુંભમાં પ્રયાગરાજ આવીને આ વર્ષે ડૂબકી નથી લગાવી તેમની પણ એઆઈ નિર્મિત તસવીરો વાઇરલ થઈ હતી. ન્યૂઝચેકરે આ પ્રકારના ઘણાં દાવાઓની તપાસ કરીને વાસ્તવિકતા બહાર લાવી છે.
તદુપરાંત, મહાકુંભ મામલે ફરી એક રાજકીય નેતાની તસવીર વાઇરલ થઈ છે. આ વખતે ભારતના પૂર્વ વડા પ્રધાન અને કૉંગ્રેસના નેતા જવાહરલાલ નહેરુની તસવીર સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી છે.
જવાહરલાલ નહેરુની તસવીર સાથે દાવો કરવામાં આવ્યો છે કે, જવાહરલાલ નહેરુએ મહાકુંભમાં ડૂબકી લગાવી હતી તે વેળાની તસવીર.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળા વચ્ચે, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ તાજેતરમાં જ ગંગામાં ડૂબકી લગાવવાથી ગરીબી દૂર થશે કે ખોરાક મળશે તેવું નિવેદન કરતા વિવાદ થયો હતો.
હવે, સોશિયલ મીડિયામાં યુઝરે ભૂતપૂર્વ ભારતીય વડા પ્રધાન અને કોંગ્રેસના નેતા સ્વર્ગસ્થ જવાહરલાલ નેહરુનો એક ફોટો શેર કર્યો. ફોટોના કૅપ્શનમાં લખ્યું છે, ” જે કુંભ મેળામાં દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂજીએ સ્નાન કર્યું હતું ત્યારની તસવીર. નહેરૂ કુટુંબ હિંદુ નથી તેવી ગેરસમજણ અને અફાવા ફેલાવવા વાળાઓએ આની નોંધ લેવી ધટે…”
સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.
જોકે, ન્યૂઝચેકરને તસવીર ખોટા દાવા સાથે શેર કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.
સૌપ્રથણ દાવાની તપાસ માટે અમે વાઇરલ તસવીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ પર સ્કૅન કરવાથી અમને રેકોન ટોક વેબસાઇટ દ્વારા પ્રકાશિત ‘પ્લેસ ઓફ સેક્રિફાઇસ’ અલ્હાબાદના 15 દુર્લભ અને જૂના ફોટા’ શીર્ષક સાથેનો એક લેખ મળ્યો . વેબસાઇટમાં વાયરલ તસવીરમાં “અલહાબાદમાં પોતાની માતાના અસ્થિ વિસર્જન પછી નેહરુ” દર્શાવવામાં આવ્યા હતા.
તેમાં જણાવાયું હતું કે,”આ હૃદયસ્પર્શી છબી ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુને તેમના સાંસ્કૃતિક મૂળ સાથે જોડતી એક ઊંડી વ્યક્તિગત વિધિ કરતા દર્શાવે છે.”
વધુમાં અમને મુશિરુલ હસન અને પ્રિયા કપૂર દ્વારા લખાયેલ પુસ્તક ‘ધ નેહરુસ: પર્સનલ હિસ્ટ્રીઝ’ પર ઇન્ડિયા ટુડેનો એક લેખ પણ મળ્યો.
લેખમાં તેને “દુર્લભ ચિત્રોનું સારી રીતે સંશોધન કરાયેલ પુસ્તક” તરીકે ઓળખવામાં આવ્યું છે, જે ભારતના પ્રથમ પરિવારના ઘનિષ્ઠ ઇતિહાસને બહાર લાવે છે. તેમાં નેહરુનો વાયરલ ફોટો પણ દર્શાવવામાં આવ્યો હતો. જેમાં કૅપ્શન હતું, “સંવેદનશીલ ઘટના: જવાહરલાલ નેહરુ અલ્હાબાદમાં તેમની માતાના અસ્થિઓનું વિસર્જન કરી રહ્યા છે”
જવાહરલાલ નહેરુના માતા સ્વરૂપરાણી નહેરુનું જાન્યુઆરી 1938માં અવસાન થયું.
ત્યારબાદની તપાસથી અમને 1954ના કુંભ મેળામાં થયેલી ભાગદોડ અંગે ધ ક્વિન્ટ દ્વારા પ્રકાશિત એક અહેવાલ મળ્યો.
અહેવાલમાં જણાવાયું છે કે, ” 1954ના કુંભ મેળા દરમિયાન નેહરુએ ખરેખર ગંગામાં પવિત્ર ડૂબકી લગાવી હતી કે નહીં તે અમે સ્વતંત્ર રીતે ચકાસી શક્યા નથી. જોકે, વાયરલ ફોટોગ્રાફ ખોટા સંદર્ભમાં શેર કરવામાં આવ્યો છે.”
Read Also : Fact Check – મહાકુંભમાં અમિતાભ બચ્ચન-રેખાની સંગમસ્નાનની તસવીર AI જનરેટેડ છે
તેથી, 1954ના કુંભ મેળા દરમિયાન જવાહરલાલ નેહરુને ગંગામાં પવિત્ર ડૂબકી લગાવતા દર્શાવતી વાયરલ પોસ્ટ ખોટી હોવાનું જાણવા મળ્યું. તે ખરેખર તેમના માતાના નિધન સમયેની તસવીર છે.
Sources
Article By Reckon Talk Website
Report By India Today, Dated March 6, 2006
Report by The Quint, Dated 3rd Feb, 2019
(ન્યૂઝચેકર અંગ્રેજીના વસુધા બેરી દ્વારા અહેવાલ પ્રકાશિત થયેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.)
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar Shah
February 25, 2025
Dipalkumar Shah
February 21, 2025
Dipalkumar Shah
February 8, 2025