Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા કંપનીઓ તથા ઓ.ટી.ટી. પ્લૅટફૉર્મનું નિયમન કરવા માટે નવા નિયમોની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે નવા આઇટી કાયદાના સુધારાનો અમલ કરવા સોશિયલ મીડિયા જેવા કે ફેસબુક, ટ્વિટર, ગુગલ, વોટ્સએપ વગેરેને કડક આદેશ આપી દીધા છે. સાથે જ અમલ કર્યો કે કેમ તેનો રિપોર્ટ 15 દિવસમાં સોપવા પણ કહ્યું છે. ફેબુ્રઆરી મહિનામાં આ નિયમો લાગુ કરી દેવાયા હતા, જેના અમલ માટે કંપનીઓને 3 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. આ અમલ કર્યો કે કેમ તે અંગે હવે જવાબ માગવામાં આવ્યો છે.
સોશલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સઅપએ ભારત સરકારની વિરુદ્ધ દિલ્લીમાં એક કેસ દાખલ કરાવ્યો છે. જેમાં ભારત સરકારે જાહેર કરેલાં નવા નિયમો પર રોક લગાવવા માટેની માંગ કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ કંપની કોર્ટમાં દલીલ કરી રહી છેકે, ભારત સરકારે જાહેર કરેલાં નવા નિયમોથી પ્રાઈવેસી ખતમ થઈ જશે.
આ ઘટના સંદર્ભે ફેસબુક અને વોટ્સએપ પર ભ્રામક મેસેજ વાયરલ થયા છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે,
આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક ગ્રુપ માટે નવા નિયમો લાગુ કર્યા હોવાના દાવા સાથે ગુજરાત પોલીસના નામ સાથે એક પરિપત્ર પણ વાયરલ થયેલ છે. જેમાં કોઈપણ ભ્રામક પોસ્ટ અંગે ગ્રુપ એડમીનને 2 વર્ષની જેલ અને દંડ સુધી જોગવાઈ કરવામાં આવેલ છે.
વોટસએપના નિયમો બદલાય અને હવે સરકાર પણ નજર રાખશે તમારા મેસેજ પર જેવા દાવા સાથે વાયરલ થયેલ ન્યુઝ પેપર કટિંગ અને ફોરવર્ડ મેસેજ અંગે ગુગલ સર્ચ કરતા વોટસએપ દ્વારા વાયરલ દાવા પર 12 જાન્યુઆરીના ટ્વીટર અને વેબ બ્લોગ મારફતે કરવામાં આવેલ સ્પષ્ટતા જોવા મળે છે.
જેમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે વોટસએપ યુઝર્સ દ્વારા મોકલવામાં આવેલ મેસેજ કે કોલ ટ્રેક કરી શકતા નથી. તેમજ વોટસએપ દ્વારા આ તમામ ડેટા કોઈપણ સરકારી કે ખાનગી કંપની ને મોકલવામાં આવતો નથી. વોટસએપ પર મોકલવામાં આવેલ દરેક મેસેજ અને કોલ એક એન્ક્રીપટ ડેટામાં ફેરવાઈ જાય છે, જે કોઈપણ અન્ય વ્યક્તિ દ્વારા ટ્રેક કરવું શક્ય નથી.
આ પણ વાંચો :- બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું ‘યાસ’ હોવાના દાવા સાથે 2016નો વિડિઓ વાયરલ, જાણો શું છે હકીકત
બીજો દાવો છે કે યુઝર્સ સરકાર સામે કંઈપણ શેર કરી શકે નહીં, આવા કેસમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવશે કે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ મુદ્દે ગત વર્ષે, PIBFactCheckપ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ આ વાયરલ દાવાને ટ્વિટર મારફતે નકારી દીધો હતો. “વાયરલ ફોરવર્ડ મેસજ તદ્દન ભ્રામક છે, સરકાર દ્વારા આ પ્રકારે કોઈપણ નિયમો બનવવામાં આવ્યા નથીં“
ત્યારબાદ, સરકાર તમામ વોટસએપ પર શેર થતા તમામ મેસેજ અને કોલ પર દેખરેખ રાખી શકશે, જેના પર વોટસએપ દ્વારા એક નવી સુવિધા શરૂ થઈ હોવાના દાવા રેડ ટીક માર્કનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં બે બ્લુ ટીક માર્ક એટલે કે મેસજે વાંચવામાં આવ્યો છે, અને એક રેડ ટીક માર્ક એટલે કે સરકાર તમારા વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે.
આ વાયરલ દાવા પર PIBFactCheck ગત વર્ષે એપ્રિલ 2020ના ટ્વીટર મારફતે આ દાવો ભ્રામક હોવાની સ્પષ્ટતા કરવામાં આવેલ છે. જેમાં તેમણે જણાવ્યું કે “વોટસએપ પર ટીક માર્ક શરૂ થયું હોવાના દાવા સાથે ફોરવર્ડ થઈ રહેલા મેસેજ તદ્દન ભ્રામક છે“
આ ઉપરાંત ગુજરાત પોલીસના નામ સાથે વાયરલ થયેલ લેટર અંગે હાલ કોઈ ન્યુઝ રિપોર્ટ કે સરકારી આધિકારિક વેબસાઈટ પર માહિતી જોવા મળતી નથી. આ અંગે આમારી તપાસ કાર્યરત છે, વધુ માહિતી સાથે ટૂંક સમયમાં અવગત કરાવીશું.
વોટસએપ દ્વારા નવા નિયમો લાગુ કરવામાં આવ્યા તેમજ ગુજરાત સરકાર દ્વારા સોશિયલ મીડિયા ગ્રુપ માટે નવા નિયમો લાગુ કર્યા હોવાના દાવા સાથે અવયરલ થયેલા મેસેજ કે ન્યુઝ પેપર કટિંગ તદ્દન ભ્રામક છે. વોટસએપ દ્વારા કોઈપણ મેસેજ કે કોલ ટ્રેક કરવામાં આવતા નથી, તેમજ યુઝર્સનો ડેટા કોઈપણ સરકારી કે ખાનગી સંસ્થાને આપવામાં આવતો નથી.
PIBFactCheck
WhatsApp
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Prathmesh Khunt
February 22, 2023
Prathmesh Khunt
January 4, 2022
Prathmesh Khunt
November 15, 2022