Fact Check
રાજસ્થાનના દલિત વિદ્યાર્થી ઈન્દ્ર મેઘવાલની અંતિમ યાત્રા હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ

રાજસ્થાનના જાલોરમાં નવ વર્ષના દલિત વિદ્યાર્થી ઈન્દ્ર મેઘવાલના મોતથી ખળભળાટ મચી ગયો છે. સોશિયલ મીડિયા પર આ ઘટના સંદર્ભે અનેક ભ્રામક વિડીયો પણ વાયરલ થયા છે. આ ક્રમમાં એક વીડિયો વાયરલ થયો છે, વીડિયો ઈન્દ્ર મેઘવાલની અંતિમ યાત્રાનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
વાયરલ વીડિયોમાં લોકોનું એક મોટું ટોળું રસ્તા પર જતા જોઈ શકાય છે. આ સાથે કેટલાક લોકોએ પોતાના હાથમાં ભારતનો રાષ્ટ્રધ્વજ પણ પકડ્યો છે. અનેક યુઝર્સએ ટ્વિટર અને ફેસબુક પર ઈન્દ્ર મેઘવાલની અંતિમ યાત્રાનો આ વીડિયો શેર કર્યો છે. વાયરલ વિડીયો શેર કરતા લોકો કેપ્શનમાં લખી રહ્યા છે, “ઈન્દ્રા મેઘવાલની છેલ્લી યાત્રા“

આ પણ વાંચો : ઈન્દ્ર મેઘવાલના મોત પહેલા શિક્ષકે તેમને માર માર્યો હોવાનો પણ એક અન્ય ભ્રામક વિડીયો વાયરલ થયેલ છે, જે અંગે Newschecker હિન્દી ટિમ દ્વારા અગાઉ આ ઘટના પર ફેકટચેક પ્રકાશિત કરવામાં આવેલ છે. તેમજ ઈન્દ્ર મેઘવાલ સાથે જોડાયેલ અન્ય ભ્રામક ખબરો અંગે સચોટ માહિતી માટે અહીંયા વાંચો ફેકટચેક રિપોર્ટ
BBC ન્યુઝના એક અહેવાલ અનુસાર, ઇન્દ્ર કુમાર મેઘવાલ જાલોરની એક ખાનગી શાળાના ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો હતો. આરોપ છે કે 20 જુલાઈના રોજ છૈલ સિંહ નામના એક સ્કૂલ ટીચરે ઇન્દ્ર મેઘવાલને ગંભીર માર માર્યો હતો. ઘણા દિવસો સુધી વિદ્યાર્થીની સારવાર કરવામાં આવી પરંતુ 13 ઓગષ્ટના રોજ તેનું મૃત્યુ થયું. મેઘવાલના પરિવારજનોનું કહેવું છે કે તેમના બાળકે ઉચ્ચ જાતિના શિક્ષકના વાસણમાંથી પાણી પીધું હતું. દલિત બાળકને ઉચ્ચ જાતિના માટલામાંથી પાણી પીવું શિક્ષકને ગમ્યું નહીં. આ કારણે શિક્ષકે ઈન્દ્ર મેઘવાલને માર માર્યો કે તેનું મોત થઈ ગયું. જો કે, ઘડામાંથી પાણી પીવાની બાબત અંગે હજુ સુધી સ્પષ્ટતા મળી નથી અને પોલીસ તપાસ ચાલી રહી છે.
Fact Check / Verification
ઈન્દ્ર મેઘવાલની અંતિમ યાત્રા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો પોસ્ટના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા YouTube પર “જૌનપુર કા લાલ જિલજીત શહીદ ભારત માતા કી જય” ટાઇટલ સાથે પોસ્ટ કરવામાં આવેલ વિડીયો જોઈ શકાય છે. અહીંયા વાયરલ વિડીયોમાં દેખાઈ રહેલ તમામ દર્શ્યો જોઈ શકાય છે.
વધુ તપાસ દરમિયાન 18 ઓગષ્ટ 2020ના રોજ, મીડિયા સંસ્થાન NEWJ એ યુપીના જૌનપુરના રહેવાસી જિલજીત યાદવ નામના શહીદની અંતિમ યાત્રાનો વીડિયો YouTubeપર અપલોડ કર્યો. અહીંયા મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશના જૌનપુરના જિલજીત યાદવ પુલવામા ઓપરેશન દરમિયાન શહીદ થયા હતા. તેમના પાર્થિવ દેહને ધૌરહરા ઇજરી ગામે લાવવામાં આવતાં આખું ગામ જિલજીત અમર રહેના નારાથી ગુંજી ઉઠ્યું હતું.
આ સિવાય યુટ્યુબ ચેનલ NYOOOZZ UP-UTTARAKHAND એ પણ 14 ઓગષ્ટ 2020ના રોજ જૌનપુરના જિલજીત યાદવની અંતિમ વિદાય તરીકે વાયરલ વીડિયોની જાણ કરી હતી.
દૈનિક ભાસ્કરના એક અહેવાલ મુજબ, 11 ઓગષ્ટ 2020ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં જિલજીત શહીદ થયા હતા. આ પછી જિલજીતના મૃતદેહને જોનપુરમાં તેના વતન ગામ ધૌરહરા ઇજરી લાવવામાં આવ્યો હતો. તેમની શહીદીના થોડા મહિના પહેલા જિલજીત પિતા બન્યો હતો. તેમના અંતિમ દર્શન માટે લોકો હાથમાં ત્રિરંગો લઈને પહોંચ્યા હતા. નોંધનીય છે કે વાયરલ વીડિયો પણ તે જ સમયનો છે.
Conclusion
ઈન્દ્ર મેઘવાલની અંતિમ યાત્રા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો પુલવામાં ઓપરેશનમાં શહિદ થયેલ જવાનની અંતિમ યાત્રા છે. વાયરલ વિડીયો ઓગષ્ટ 2020ના કેટલાક ન્યુઝ સંસ્થાનો દ્વારા સચોટ માહિતી સાથે પોસ્ટ કરવામાં આવેલ છે. જે મુજબ, ઉત્તર પ્રદેશના જૌનપુરના જિલજીત યાદવ પુલવામા ઓપરેશન દરમિયાન શહીદ થયા હતા. તેમના અંતિમ દર્શન માટે લોકો હાથમાં ત્રિરંગો લઈને પહોંચ્યા હતા.
Result : False
Our Source
YouTube video of NEWJ, uploaded on August 18, 2020
YouTube video of NYOOOZZ UP-UTTARAKHAND, uploaded on August 14, 2020
Report of Dainik Bhaskar, published on August 14, 2020
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044