Friday, March 29, 2024
Friday, March 29, 2024

HomeFact Checkતુર્કી માટે રાહત સામગ્રી લઇ જતા IAF એરક્રાફ્ટને પાકિસ્તાને એરસ્પેસ ના પાડી...

તુર્કી માટે રાહત સામગ્રી લઇ જતા IAF એરક્રાફ્ટને પાકિસ્તાને એરસ્પેસ ના પાડી હોવાના ભ્રામક દાવા સાથે પ્રકાશિત થયેલા અહેવાલોનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

15,000થી વધુ મૃત્યુઆંક સાથે, આ અઠવાડિયે તુર્કી અને સીરિયાને હચમચાવી દેનારા વિનાશક ભૂકંપે મૃત્યુ અને વિનાશનું પગેરું પાછળ છોડી દીધું છે. વિશ્વભરની સરકારો, લોકો અને સહાયક સંસ્થાઓએ જરૂરિયાતની આ ઘડીમાં અસરગ્રસ્તોને મદદ કરવા માટે દરેક નાના-મોટા પ્રયાસો કરવા આગળ આવ્યા છે. ‘ઓપરેશન દોસ્ત’ હેઠળ મેડિકલ ટીમ, નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (NDRF) રેસ્ક્યૂ ટીમો, રેસ્ક્યૂ ડોગ્સ અને આવશ્યક દવાઓ મોકલીને તુર્કીને મદદની ઓફર કરનારા કેટલાક દેશોમાં ભારત પણ સામેલ છે.

ભારતે બચાવ અને રાહત સામગ્રી માટે 6 ભારતીય વાયુસેના એરક્રાફ્ટ તુર્કી મોકલ્યા છે. જોકે, ભારતીય મીડિયાના એક વર્ગે એક અલગ ચિત્ર રજૂ કર્યું હતું, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાને તુર્કીમાં રાહત સામગ્રી લઇ જતા IAF એરક્રાફ્ટને એરસ્પેસનો રસ્તો ના આપ્યો.

ઝી24 કલાકના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે “તુર્કી માટે રાહત સામગ્રી સાથેના ભારતીય વિમાનને પાકિસ્તાન દ્વારા એરસ્પેસ નકારવામાં આવી” આ ઉપરાંત, સાંજ સમાચાર અને વેસ્ટર્ન ટાઇમ્સ દ્વારા પણ દાવો કરવામાં આવ્યો છે કે “તુર્કીની મદદે જતા ભારતના IAF એરક્રાફ્ટને પાકિસ્તાને એરસ્પેસ ના પાડી

તુર્કી માટે રાહત સામગ્રી લઇ જતા IAF એરક્રાફ્ટને પાકિસ્તાને એરસ્પેસ ના પાડી હોવાના ભ્રામક દાવા સાથે પ્રકાશિત થયેલા અહેવાલોનું સત્ય

Also Read: તુર્કીમાં 2020માં આવેલા ભૂકંપના આંચકાના વિડીયો ભ્રામક દાવા સાથે વાયરલ

Fact Check / Verification

તુર્કીમાં રાહત સામગ્રી લઈ જતા ભારતના IAF એરક્રાફ્ટને પાકિસ્તાને એરસ્પેસ ના પાડી પોતાના દેશમાંથી ઉડવાની પરવાનગી નકારી હોવાના દાવા પર અમને WION ન્યુઝ દ્વારા 8 ફેબ્રુઆરી, 2023 ના રોજ પ્રકાશિત થયેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ, આ માહિતી સાચી નથી.અહેવાલ મુજબ, તુર્કી પહોંચવા માટે ભારતીય વિમાનો પાકિસ્તાન ઉપરથી ઉડ્યા જ ન હતા. ભારતીય સંસ્થાને તેમના લશ્કરી વિમાનો મોકલવા સંદર્ભે પાકિસ્તાન ઉડ્ડયન મંત્રાલય પાસેથી કોઈપણ પરવાનગી માંગી નથી.

ઝી ન્યૂઝનો બીજો અહેવાલ પણ મળ્યો, જે 8 ફેબ્રુઆરી, 2023ના રોજ પ્રકાશિત થયો હતો, જેનું શીર્ષક હતું “પાકિસ્તાન ભારતના C-17 પ્લેન કેરીંગ રિલીફ એઇડને એરસ્પેસ માટે ના પાડી” જેમાં IAF દ્વારા પ્રતિસાદ આપવામાં આવ્યો હતો, સ્પષ્ટતા કરતા IAFએ અધિકારીએ જણાવ્યું કે “ભારતીય વાયુસેનાએ પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયા મુજબ વિમાનોને પાકિસ્તાનની ઉપર ઉડવાનું ટાળ્યું છે. અમારા વિમાનો યુરોપ અથવા પશ્ચિમ એશિયા તરફ જતી વખતે પાકિસ્તાની એર સ્પેસને ટાળવા માટે ગુજરાત બાજુથી ઉડાન ભરીને લાંબો રૂટ લે છે”.

WION ન્યુઝના સંવાદદાતા સિદ્ધાંત સિબ્બલ દ્વારા કરવામાં આવેલ ટ્વીટ મુજબ ભારતીય લશ્કરી એરક્રાફ્ટ્સ પાકિસ્તાનની એરસ્પેસ પર ઉડતા નથી. ઈન્ડિયા ટુડે સાથે કામ કરતા અન્ય એક પત્રકાર અંકિત કુમારે ફ્લાઇટના પાથની તસ્વીર શેર કરીને જણાવ્યું કે શરૂઆતથી જ પાકિસ્તાનની એરસ્પેસ પર ઉડવાનો કોઈ સંકેત દર્શાવ્યો નથી.

ન્યૂઝચેકર પીઆરઓ, એનડીઆરએફનો સંપર્ક કર્યો, જેમણે પુષ્ટિ કરી કે રાહત સામગ્રી વહન કરતું IAF વિમાન કોઈપણ અવરોધ વિના તેના લક્ષ્યસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. તેણે એ વાતની પણ પુષ્ટિ કરી કે મૂળ રૂટમાં પાકિસ્તાનની એરસ્પેસ ઉપરથી ઉડ્ડયન સામેલ નહોતું.

ન્યૂઝચેકરે મિશન સાથે નજીકથી સંકળાયેલા સૂત્રો સાથે પણ વાત કરી, જેમણે નામ ન જાહેર કરવાની શરતે પુષ્ટિ કરી કે પાકિસ્તાને રાહત સામગ્રી વહન કરતા IAF એરક્રાફ્ટને એરસ્પેસ નકારી હોવાના દાવામાં કોઈ સત્ય નથી. વધુમાં, આવી કોઈ પરવાનગી પાકિસ્તાન પાસેથી માંગવામાં આવી ન હતી.

Conclusion

તુર્કીમાં રાહત સામગ્રી લઈ જતા ભારતના IAF એરક્રાફ્ટને પાકિસ્તાને એરસ્પેસ ના પાડી પરવાનગી ના આપી હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. તુર્કી માટે રાહત સામગ્રી સાથે મોકલવામાં આવેલ ભારતીય વિમાનો અંગે મીડિયા સંસ્થાનો દ્વારા ભ્રામક દાવા સાથે અહેવાલો પ્રકાશિત કરવામાં આવેલ છે.

Result : False

Our Source

Report by WION, dated February 8, 2023
Report by Zee News, dated February 8, 2023
Report by LiveMint, dated February 8, 2023
Tweet by Sidhant Sibal, dated February 8, 2023
Tweet by Ankit Koomar, dated February 8, 2023
Telephone conversation with PRO, NDRF
Telephone conversation with Newschecker source

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

તુર્કી માટે રાહત સામગ્રી લઇ જતા IAF એરક્રાફ્ટને પાકિસ્તાને એરસ્પેસ ના પાડી હોવાના ભ્રામક દાવા સાથે પ્રકાશિત થયેલા અહેવાલોનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

15,000થી વધુ મૃત્યુઆંક સાથે, આ અઠવાડિયે તુર્કી અને સીરિયાને હચમચાવી દેનારા વિનાશક ભૂકંપે મૃત્યુ અને વિનાશનું પગેરું પાછળ છોડી દીધું છે. વિશ્વભરની સરકારો, લોકો અને સહાયક સંસ્થાઓએ જરૂરિયાતની આ ઘડીમાં અસરગ્રસ્તોને મદદ કરવા માટે દરેક નાના-મોટા પ્રયાસો કરવા આગળ આવ્યા છે. ‘ઓપરેશન દોસ્ત’ હેઠળ મેડિકલ ટીમ, નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (NDRF) રેસ્ક્યૂ ટીમો, રેસ્ક્યૂ ડોગ્સ અને આવશ્યક દવાઓ મોકલીને તુર્કીને મદદની ઓફર કરનારા કેટલાક દેશોમાં ભારત પણ સામેલ છે.

ભારતે બચાવ અને રાહત સામગ્રી માટે 6 ભારતીય વાયુસેના એરક્રાફ્ટ તુર્કી મોકલ્યા છે. જોકે, ભારતીય મીડિયાના એક વર્ગે એક અલગ ચિત્ર રજૂ કર્યું હતું, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાને તુર્કીમાં રાહત સામગ્રી લઇ જતા IAF એરક્રાફ્ટને એરસ્પેસનો રસ્તો ના આપ્યો.

ઝી24 કલાકના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે “તુર્કી માટે રાહત સામગ્રી સાથેના ભારતીય વિમાનને પાકિસ્તાન દ્વારા એરસ્પેસ નકારવામાં આવી” આ ઉપરાંત, સાંજ સમાચાર અને વેસ્ટર્ન ટાઇમ્સ દ્વારા પણ દાવો કરવામાં આવ્યો છે કે “તુર્કીની મદદે જતા ભારતના IAF એરક્રાફ્ટને પાકિસ્તાને એરસ્પેસ ના પાડી

તુર્કી માટે રાહત સામગ્રી લઇ જતા IAF એરક્રાફ્ટને પાકિસ્તાને એરસ્પેસ ના પાડી હોવાના ભ્રામક દાવા સાથે પ્રકાશિત થયેલા અહેવાલોનું સત્ય

Also Read: તુર્કીમાં 2020માં આવેલા ભૂકંપના આંચકાના વિડીયો ભ્રામક દાવા સાથે વાયરલ

Fact Check / Verification

તુર્કીમાં રાહત સામગ્રી લઈ જતા ભારતના IAF એરક્રાફ્ટને પાકિસ્તાને એરસ્પેસ ના પાડી પોતાના દેશમાંથી ઉડવાની પરવાનગી નકારી હોવાના દાવા પર અમને WION ન્યુઝ દ્વારા 8 ફેબ્રુઆરી, 2023 ના રોજ પ્રકાશિત થયેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ, આ માહિતી સાચી નથી.અહેવાલ મુજબ, તુર્કી પહોંચવા માટે ભારતીય વિમાનો પાકિસ્તાન ઉપરથી ઉડ્યા જ ન હતા. ભારતીય સંસ્થાને તેમના લશ્કરી વિમાનો મોકલવા સંદર્ભે પાકિસ્તાન ઉડ્ડયન મંત્રાલય પાસેથી કોઈપણ પરવાનગી માંગી નથી.

ઝી ન્યૂઝનો બીજો અહેવાલ પણ મળ્યો, જે 8 ફેબ્રુઆરી, 2023ના રોજ પ્રકાશિત થયો હતો, જેનું શીર્ષક હતું “પાકિસ્તાન ભારતના C-17 પ્લેન કેરીંગ રિલીફ એઇડને એરસ્પેસ માટે ના પાડી” જેમાં IAF દ્વારા પ્રતિસાદ આપવામાં આવ્યો હતો, સ્પષ્ટતા કરતા IAFએ અધિકારીએ જણાવ્યું કે “ભારતીય વાયુસેનાએ પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયા મુજબ વિમાનોને પાકિસ્તાનની ઉપર ઉડવાનું ટાળ્યું છે. અમારા વિમાનો યુરોપ અથવા પશ્ચિમ એશિયા તરફ જતી વખતે પાકિસ્તાની એર સ્પેસને ટાળવા માટે ગુજરાત બાજુથી ઉડાન ભરીને લાંબો રૂટ લે છે”.

WION ન્યુઝના સંવાદદાતા સિદ્ધાંત સિબ્બલ દ્વારા કરવામાં આવેલ ટ્વીટ મુજબ ભારતીય લશ્કરી એરક્રાફ્ટ્સ પાકિસ્તાનની એરસ્પેસ પર ઉડતા નથી. ઈન્ડિયા ટુડે સાથે કામ કરતા અન્ય એક પત્રકાર અંકિત કુમારે ફ્લાઇટના પાથની તસ્વીર શેર કરીને જણાવ્યું કે શરૂઆતથી જ પાકિસ્તાનની એરસ્પેસ પર ઉડવાનો કોઈ સંકેત દર્શાવ્યો નથી.

ન્યૂઝચેકર પીઆરઓ, એનડીઆરએફનો સંપર્ક કર્યો, જેમણે પુષ્ટિ કરી કે રાહત સામગ્રી વહન કરતું IAF વિમાન કોઈપણ અવરોધ વિના તેના લક્ષ્યસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. તેણે એ વાતની પણ પુષ્ટિ કરી કે મૂળ રૂટમાં પાકિસ્તાનની એરસ્પેસ ઉપરથી ઉડ્ડયન સામેલ નહોતું.

ન્યૂઝચેકરે મિશન સાથે નજીકથી સંકળાયેલા સૂત્રો સાથે પણ વાત કરી, જેમણે નામ ન જાહેર કરવાની શરતે પુષ્ટિ કરી કે પાકિસ્તાને રાહત સામગ્રી વહન કરતા IAF એરક્રાફ્ટને એરસ્પેસ નકારી હોવાના દાવામાં કોઈ સત્ય નથી. વધુમાં, આવી કોઈ પરવાનગી પાકિસ્તાન પાસેથી માંગવામાં આવી ન હતી.

Conclusion

તુર્કીમાં રાહત સામગ્રી લઈ જતા ભારતના IAF એરક્રાફ્ટને પાકિસ્તાને એરસ્પેસ ના પાડી પરવાનગી ના આપી હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. તુર્કી માટે રાહત સામગ્રી સાથે મોકલવામાં આવેલ ભારતીય વિમાનો અંગે મીડિયા સંસ્થાનો દ્વારા ભ્રામક દાવા સાથે અહેવાલો પ્રકાશિત કરવામાં આવેલ છે.

Result : False

Our Source

Report by WION, dated February 8, 2023
Report by Zee News, dated February 8, 2023
Report by LiveMint, dated February 8, 2023
Tweet by Sidhant Sibal, dated February 8, 2023
Tweet by Ankit Koomar, dated February 8, 2023
Telephone conversation with PRO, NDRF
Telephone conversation with Newschecker source

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

તુર્કી માટે રાહત સામગ્રી લઇ જતા IAF એરક્રાફ્ટને પાકિસ્તાને એરસ્પેસ ના પાડી હોવાના ભ્રામક દાવા સાથે પ્રકાશિત થયેલા અહેવાલોનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

15,000થી વધુ મૃત્યુઆંક સાથે, આ અઠવાડિયે તુર્કી અને સીરિયાને હચમચાવી દેનારા વિનાશક ભૂકંપે મૃત્યુ અને વિનાશનું પગેરું પાછળ છોડી દીધું છે. વિશ્વભરની સરકારો, લોકો અને સહાયક સંસ્થાઓએ જરૂરિયાતની આ ઘડીમાં અસરગ્રસ્તોને મદદ કરવા માટે દરેક નાના-મોટા પ્રયાસો કરવા આગળ આવ્યા છે. ‘ઓપરેશન દોસ્ત’ હેઠળ મેડિકલ ટીમ, નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (NDRF) રેસ્ક્યૂ ટીમો, રેસ્ક્યૂ ડોગ્સ અને આવશ્યક દવાઓ મોકલીને તુર્કીને મદદની ઓફર કરનારા કેટલાક દેશોમાં ભારત પણ સામેલ છે.

ભારતે બચાવ અને રાહત સામગ્રી માટે 6 ભારતીય વાયુસેના એરક્રાફ્ટ તુર્કી મોકલ્યા છે. જોકે, ભારતીય મીડિયાના એક વર્ગે એક અલગ ચિત્ર રજૂ કર્યું હતું, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાને તુર્કીમાં રાહત સામગ્રી લઇ જતા IAF એરક્રાફ્ટને એરસ્પેસનો રસ્તો ના આપ્યો.

ઝી24 કલાકના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે “તુર્કી માટે રાહત સામગ્રી સાથેના ભારતીય વિમાનને પાકિસ્તાન દ્વારા એરસ્પેસ નકારવામાં આવી” આ ઉપરાંત, સાંજ સમાચાર અને વેસ્ટર્ન ટાઇમ્સ દ્વારા પણ દાવો કરવામાં આવ્યો છે કે “તુર્કીની મદદે જતા ભારતના IAF એરક્રાફ્ટને પાકિસ્તાને એરસ્પેસ ના પાડી

તુર્કી માટે રાહત સામગ્રી લઇ જતા IAF એરક્રાફ્ટને પાકિસ્તાને એરસ્પેસ ના પાડી હોવાના ભ્રામક દાવા સાથે પ્રકાશિત થયેલા અહેવાલોનું સત્ય

Also Read: તુર્કીમાં 2020માં આવેલા ભૂકંપના આંચકાના વિડીયો ભ્રામક દાવા સાથે વાયરલ

Fact Check / Verification

તુર્કીમાં રાહત સામગ્રી લઈ જતા ભારતના IAF એરક્રાફ્ટને પાકિસ્તાને એરસ્પેસ ના પાડી પોતાના દેશમાંથી ઉડવાની પરવાનગી નકારી હોવાના દાવા પર અમને WION ન્યુઝ દ્વારા 8 ફેબ્રુઆરી, 2023 ના રોજ પ્રકાશિત થયેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ, આ માહિતી સાચી નથી.અહેવાલ મુજબ, તુર્કી પહોંચવા માટે ભારતીય વિમાનો પાકિસ્તાન ઉપરથી ઉડ્યા જ ન હતા. ભારતીય સંસ્થાને તેમના લશ્કરી વિમાનો મોકલવા સંદર્ભે પાકિસ્તાન ઉડ્ડયન મંત્રાલય પાસેથી કોઈપણ પરવાનગી માંગી નથી.

ઝી ન્યૂઝનો બીજો અહેવાલ પણ મળ્યો, જે 8 ફેબ્રુઆરી, 2023ના રોજ પ્રકાશિત થયો હતો, જેનું શીર્ષક હતું “પાકિસ્તાન ભારતના C-17 પ્લેન કેરીંગ રિલીફ એઇડને એરસ્પેસ માટે ના પાડી” જેમાં IAF દ્વારા પ્રતિસાદ આપવામાં આવ્યો હતો, સ્પષ્ટતા કરતા IAFએ અધિકારીએ જણાવ્યું કે “ભારતીય વાયુસેનાએ પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયા મુજબ વિમાનોને પાકિસ્તાનની ઉપર ઉડવાનું ટાળ્યું છે. અમારા વિમાનો યુરોપ અથવા પશ્ચિમ એશિયા તરફ જતી વખતે પાકિસ્તાની એર સ્પેસને ટાળવા માટે ગુજરાત બાજુથી ઉડાન ભરીને લાંબો રૂટ લે છે”.

WION ન્યુઝના સંવાદદાતા સિદ્ધાંત સિબ્બલ દ્વારા કરવામાં આવેલ ટ્વીટ મુજબ ભારતીય લશ્કરી એરક્રાફ્ટ્સ પાકિસ્તાનની એરસ્પેસ પર ઉડતા નથી. ઈન્ડિયા ટુડે સાથે કામ કરતા અન્ય એક પત્રકાર અંકિત કુમારે ફ્લાઇટના પાથની તસ્વીર શેર કરીને જણાવ્યું કે શરૂઆતથી જ પાકિસ્તાનની એરસ્પેસ પર ઉડવાનો કોઈ સંકેત દર્શાવ્યો નથી.

ન્યૂઝચેકર પીઆરઓ, એનડીઆરએફનો સંપર્ક કર્યો, જેમણે પુષ્ટિ કરી કે રાહત સામગ્રી વહન કરતું IAF વિમાન કોઈપણ અવરોધ વિના તેના લક્ષ્યસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. તેણે એ વાતની પણ પુષ્ટિ કરી કે મૂળ રૂટમાં પાકિસ્તાનની એરસ્પેસ ઉપરથી ઉડ્ડયન સામેલ નહોતું.

ન્યૂઝચેકરે મિશન સાથે નજીકથી સંકળાયેલા સૂત્રો સાથે પણ વાત કરી, જેમણે નામ ન જાહેર કરવાની શરતે પુષ્ટિ કરી કે પાકિસ્તાને રાહત સામગ્રી વહન કરતા IAF એરક્રાફ્ટને એરસ્પેસ નકારી હોવાના દાવામાં કોઈ સત્ય નથી. વધુમાં, આવી કોઈ પરવાનગી પાકિસ્તાન પાસેથી માંગવામાં આવી ન હતી.

Conclusion

તુર્કીમાં રાહત સામગ્રી લઈ જતા ભારતના IAF એરક્રાફ્ટને પાકિસ્તાને એરસ્પેસ ના પાડી પરવાનગી ના આપી હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. તુર્કી માટે રાહત સામગ્રી સાથે મોકલવામાં આવેલ ભારતીય વિમાનો અંગે મીડિયા સંસ્થાનો દ્વારા ભ્રામક દાવા સાથે અહેવાલો પ્રકાશિત કરવામાં આવેલ છે.

Result : False

Our Source

Report by WION, dated February 8, 2023
Report by Zee News, dated February 8, 2023
Report by LiveMint, dated February 8, 2023
Tweet by Sidhant Sibal, dated February 8, 2023
Tweet by Ankit Koomar, dated February 8, 2023
Telephone conversation with PRO, NDRF
Telephone conversation with Newschecker source

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular