Wednesday, December 24, 2025

Fact Check

ઉત્તરપ્રદેશમાં ભાજપ નેતા અને ગામ લોકો વચ્ચે ઘર્ષણ થયું હોવાના દાવા સાથે જૂનો વિડિઓ વાયરલ

Written By Prathmesh Khunt
Dec 21, 2021
banner_image

ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે તમામ પક્ષો તડામાર તૈયારી કરી રહ્યા છે, અખિલેશ યાદવ અને યોગી આદિત્યનાથ વચ્ચે આ વખતે ચૂંટણીની જંગ જામશે તેવું દેખાઈ રહ્યું છે. સોશ્યલ મીડિયા પર ચૂંટણી સંદર્ભે અનેક વિડિઓ શેર કરવામાં આવેલ છે, જે ક્રમમાં ભાજપ નેતા જયમંગલ કનોજીયાનો એક વિડિઓ વાયરલ થયેલ જોવા મળે છે. વિડીઓમાં કેટલાક લોકો ભાજપ નેતાનો વિરોધ કરી રહ્યા હોવાના દર્શ્યો જોવા મળે છે.

ફેસબુક પર “યુપીમાં રુઝાન આવવાના શરુ થઈ ગયા” ટાઇટલ સાથે ન્યુઝ બુલેટિનનો વિડિઓ શેર કરવામાં આવેલ છે. વિડીઓમાં ગામ લોકો ભાજપ વિધાયકને ઘરી લઇ મારામારી કરી રહ્યા હોવાના દર્શ્યો સર્જાઈ છે. વાયરલ વિડિઓ હાલમાં વિધાનસભા ચૂંટણી અન્વયે પ્રચાર કરવા પહોંચેલા ભાજપ નેતા જયમંગલ કનોજીયા અને ગામ લોકો વચ્ચે ઘર્ષણ થયું હોવાનો દાવો કરવામાં આવેલ છે.

ભાજપ નેતા જયમંગલ કનોજીયા

Fact Check / Verification

ભાજપ નેતા જયમંગલ કનોજીયા અને ગામ લોકો વચ્ચે થયેલ ઘર્ષણના વિડિઓ અંગે ગુગલ સર્ચ કરતા 2018માં bhaskar અને timesoftime દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે અનુસાર, ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાના બરવાન રાજા ગામે ખાતે પહોંચેલા ધારાસભ્ય જયમંગલ કનોજીયાને પાછા પગે દોડવું પડ્યું હતું. ગામમાં પહોંચેલા ધારાસભ્યને જોઈને લોકોએ તેમના વિરુદ્ધ નારા લગાવવા માંડ્યા, ત્યારબાદ ધારાસભ્યના સમર્થકો અને ગ્રામજનો વચ્ચે મારામારી પણ શરૂ થઈ ગઈ.

ભાજપ નેતા જયમંગલ કનોજીયા

મહારાજગંજ ખાતે ભાજપ નેતા જયમંગલ કનોજીયા અને ગામ લોકો વચ્ચે બનેલ ઘટના મુદ્દે વધુ તપાસ કરતા યુટ્યુબ પર News24 દ્વારા પોસ્ટ કરવામાં આવેલ ઘટના અંગેનો વિડિઓ જોવા મળે છે. ધારાસભ્ય જયમંગલ કનોજિયાએ 2018માં કમલ સંદેશ યાત્રા કાઢી હતી. જ્યારે ધારાસભ્યના બરવાન રાજા ગામમાં પહોંચ્યા ત્યારે ગ્રામજનોએ ધારાસભ્યને જોતા જ તેમને આગાઉ આપેલા વચનો યાદ કરાવતા સૂત્રોચ્ચાર કરવા લાગ્યા અને ગ્રામજનોએ ધારાસભ્યનો ઘેરાવ કર્યો હતો.

Conclusion

ભાજપ નેતા જયમંગલ કનોજીયા અને ગામ લોકો વચ્ચે થયેલ ઘર્ષણનો વાયરલ વિડિઓ 2018માં બનેલ ઘટના છે. સોશ્યલ મીડિયા પર હાલમાં વિધાનસભા ચૂંટણી સંદર્ભે આ ઘટના બનવા પામી હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

Result :- Misleading

Our Source

News24

Bhaskar

Timesoftime


કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
ifcn
fcp
fcn
fl
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

20,658

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage