Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
દેશભરમાં દિવાળીનો મહોલ છે અને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. તેવામાં મુસ્લિમ માલિકીવાળી કંપની દિવાળીના નાસ્તાનું ઉત્પાદન હિંદુ બ્રાન્ડ નામથી કરતી હોવાના દાવા સહિત નિર્માણાધિન ઋષિકેશ-કર્ણપ્રયાગ ચારધામ રેલ્વે લાઇનનો વીડિયો ગણાવી ખરેખર ચીનના હુનાનનો વીડિયો વાઇરલ કરાયો. આ તમામ દાવા અમારી તપાસમાં ખોટા પુરવાર થયા. વધુમાં રેલ્વેમાં સિનિયર સિટીઝન્સને ડિસ્કાઉન્ટ તથા બાબા સિદ્દીકીનો પકડાયેલો શૂટર તેમની હત્યાનો યોગ્ય ઠેરવતો હોવાનો વાઇરલ વીડિયો પણ અમે તપાસ્યો. આ બંને દાવાઓ પણ તપાસમાં ખોટા નીકળ્યા. સપ્તાહની ટોપ ફેક્ટ ચેક વાંચો.

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ જોવા મળ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, હવે ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ્વે લાઇન શરૂ થઈ ગઈ છે અને તેના પર ટ્રેન ચલાવાઈ રહી છે. જેથી ચારધામની યાત્રા સરળ થઈ જશે. જોકે, ન્યૂઝચેકરને આ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે. વધુ અહેવાલ અહીં વાંચો

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી હવે વેગ પકડી રહી છે. સોશિયલ મીડિયા પરના દાવાઓએ રાજકીય છબીને કલંકિત કરવાનું શરૂ કર્યું છે. શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે પક્ષના વડા ઉદ્ધવ ઠાકરે વિશે પણ આવો જ દાવો કરવામાં આવ્યો છે. આ દાવો એ છે કે, ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, તેઓ ગૌમાંસ એટલે કે બીફ ખાય છે. જોકે દાવો ખોટો છે. વધુ અહેવાલ અહીં વાંચો.

લોરેન્સ બિશ્નોઈ ગેંગના ઈશારે કથિત રીતે 12 ઓક્ટોબરે મુંબઈમાં ગોળી મારીને હત્યા કરાયેલા NCP નેતા બાબા સિદ્દીકી વિશે મીડિયામાં ટીકાયુક્ત વાતો કરતા અને ઠપકો આપતા પોલીસ કર્મચારીઓથી ઘેરાયેલા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જોકે, તે NCP નેતા સિદ્દીકીની હત્યા કેસમાં આરોપી નથી. વધુ અહેવાલ અહીં વાંચો.

રેલ્વે મામલેના મૅસેજમાં દાવો કરવામાં આવેલ છે કે, કેન્દ્ર સરકારે સિનિયર સિટીઝન્સ માટે ટિકિટમાં 50 ટકા કન્શેશન્સની જાહેરાત કરેલ છે. અમારી તપાસમાં એ પુરવાર થાય છે કે, કન્શેશન્સની જાહેરાત કરવામાં આવેલ નથી. આથી વાઇરલ મૅસેજનો દાવો ખોટો પુરવાર થાય છે. વધુ અહેવાલ અહીં વાંચો.

યશના મઠિયાનાં માલિક ઇસ્માઇલ નામના મુસલમાન છે. તે હિંદુ નામથી ધંધો કરે છે. જોકે, આ દાવો અમને ખોટો હોવાનું જાણવા મળ્યું છે. યશ પાપડ-મઠિયા બ્રાન્ડ ગણેશ ગૃહઉદ્યોગ કંપનીની બ્રાન્ડ છે અને તેના માલિકો હિંદુ છે. વધુ અહેવાલ અહીં વાંચો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar Shah
June 2, 2025
Dipalkumar Shah
February 6, 2025
Vasudha Beri
November 21, 2024