Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ઉદ્ધવ ઠાકરેએ મુઘલ શાસક ઔરંગઝેબને પોતાના ભાઈ કહ્યાનો વીડિયો.
દાવો ખોટો છે. જમ્મુ-કાશ્મીરમાં ઔરંગઝેબ નામના જવાનના મોતનો તેઓ ઉલ્લેખ કરી રહ્યા હતા.
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે કે, ઉદ્ધવ ઠાકરેએ તેમને મુઘલ શાસક ઔરંગઝેબના ભાઈ તરીકે ઓળખાવ્યા હતા.
વીડિયો ક્લિપમાં, ઉદ્ધવ ઠાકરે ઔરંગઝેબની બહાદુરીનું વર્ણન કરતા કહે છે, “જો હું હવે કહું કે તે મારો ભાઈ હતો, તો શું તમે કહેશો કે તમને ખબર છે કે તેનું નામ શું હતું? હું કહીશ કે ઔરંગઝેબ. તે ધર્મથી મુસ્લિમ હોઈ શકે છે, પરંતુ તેણે પોતાના દેશ માટે બલિદાન આપ્યું.”
વી઼ડિયો અન્ય ભાષાઓમાં પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.


ન્યૂઝચેકરને અમારી વોટ્સએપ ટિપલાઇન (+91-9999499044) પર પણ વીડિયોનો દાવો ફેક્ટ ચેકની વિનંતી માટે પ્રાપ્ત થયેલ છે. એકથી વધુ વખત ફેક્ટ ચેક માટે વિનંતી કરવામાં આવી હતી.
જોકે, ન્યૂઝચેકર અનુસાર દાવો ખોટો છે.
દાવાની સત્યતા જાણવા માટે, અમે કેટલાક કીવર્ડ્સનો ઉપયોગ કરીને ટ્વિટર પર શોધ કરી. અમને TV9 ના પત્રકાર કૃષ્ણા સોનારવાડકરનું એક ટ્વિટ મળ્યું, જેમણે વાયરલ વીડિયો શેર કરનાર યુઝરનો એક ક્વોટ ટ્વિટ કર્યો હતો. “2018માં, જમ્મુ અને કાશ્મીરમાં ઔરંગઝેબ નામના એક ભારતીય સૈનિક શહીદ થયા હતા. 14 જૂન, 2018ના રોજ આતંકવાદીઓ દ્વારા રાઇફલમેન ઔરંગઝેબનું અપહરણ કરીને હત્યા કરવામાં આવી હતી. વાયરલ વીડિયોમાં ઉદ્ધવ ઠાકરે આ શહીદ ઔરંગઝેબ વિશે વાત કરી રહ્યા છે.”

તેની મદદથી, અમે કેટલાક કીવર્ડ્સનો ઉપયોગ કરીને ગુગલ સર્ચ કરી. જેમાં અમને 19 ફેબ્રુઆરીના રોજ ‘દૈનિક ભાસ્કર’ વેબસાઇટ પર પ્રકાશિત એક અહેવાલ મળ્યો, જે મુજબ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ઉત્તર ભારતીય સમાજ સાથેના એક વાર્તાલાપ કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. આ સમયે તેમણે મોદી-શાહ પર પ્રહારો કરતા કહ્યું કે, તેમને ઉત્તર ભારતીય સમુદાય અને મુસ્લિમો સાથે કોઈ ઝઘડો નથી. તેમણે કહ્યું કે, કાશ્મીરમાં દેશ માટે જીવ ગુમાવનાર વ્યક્તિનું નામ ઔરંગઝેબ હતું.
આ પછી, અમે યુટ્યુબ પર આ ઘટનાનો વિડીયો શોધ્યો.
અમને 19 ફેબ્રુઆરીના રોજ ABP MAJHAનો વીડિયો પ્રાપ્ત થયો. જેમાં તેઓ કહેતા સંભળાય છે કે, “મેં કહ્યું હા, તે મારો ભાઈ હતો, તમે કહેશો, પણ શું તમે તેનું નામ જાણો છો? તેનું નામ ઔરંગઝેબ હતું. તે ધર્મથી મુસ્લિમ હોઈ શકે છે, પણ તેણે પોતાના દેશ માટે બલિદાન આપ્યું. ભારત માતા, જેનો આપણે ઉજવણી કરીએ છીએ, તેણે આ માતા માટે પોતાનો જીવ આપ્યો. શું તે આપણો ભાઈ નહોતો? તે આપણો ભાઈ છે.”
આ ઉપરાંત, અમને ઉદ્ધવ ઠાકરેના સત્તાવાર ફેસબુક પેજ પર પણ આ વિડિયો જોવા મળ્યો.
ઉલ્લેખનીય છે કે, જૂન 2018માં, ભારતીય સેનાના સૈનિક ઔરંગઝેબનું આતંકવાદીઓ દ્વારા અપહરણ કરીને હત્યા કરવામાં આવી હતી. તેઓ ઈદની ઉજવણી કરવા ઘરે જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના ઘટી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઔરંગઝેબનો મૃતદેહ પુલવામા જિલ્લાના ગુસ્સુ વિસ્તારમાં મળી આવ્યો હતો. શહીદ રાષ્ટ્રીય રાઇફલ્સના જવાન ઔરંગઝેબને ભારતીય સેના દ્વારા શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યું હતું.
અમારી તપાસમાં એ સ્પષ્ટ થાય છે કે, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિશે ખોટો દાવો કરવામાં આવી રહ્યો છે. તેમણે પોતાના ભાષણમાં ઔરંગઝેબ નામના શહીદ ભારતીય સેનાના સૈનિકનો ઉલ્લેખ કર્યો હતો, જે મુઘલ શાસક ઔરંગઝેબ નથી.
Sources
Tweet by TV9 Marathi Journalist Krishana Sonwarwadkar, dated February 28, 2023
Report Published by Dainik Bhaskar , dated, February 19, 2023
Youtube Video uploaded by ABP Manjha, dated, February 19,2023
Video Uploaded by Uddhav Thackeray’s official Facebook Page.
(અહેવાલ ન્યૂઝચેકર મરાઠીના પ્રસાદ પ્રભુ દ્વારા પહેલા પ્રકાશિત થયેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.)
Vasudha Beri
November 21, 2024
Dipalkumar Shah
October 26, 2024
Dipalkumar Shah
October 25, 2024