Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
આ સપ્તાહ દરમિયાન વંદે ભારત ટ્રેનથી લઈને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી અને ગણપતિ ઉત્સવ ઉપરાંત રોંહિગ્યા મુસ્લિમ મામલે ફેક ન્યૂઝ રિપોર્ટ થયા. વંદે ભારત ટ્રેનના કાચ તોડતા યુવકનો વીડિયો ખોટા દાવા સાથે વાઇરલ કરાયો. જ્યારે રાહુલ ગાંધી હિંદુગ્રંથોમાં માનતા નહીં હોવાનો તેમનો ખોટા સંદર્ભવાળો વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો. અમારી તપાસમાં બંને વીડિયો ખોટા પુરવાર થયા. ઉપરાંત રોહિંગ્યા મુસ્લિમોએ ભારતમાં મુસ્લિમોની મસ્જિદ કબ્જે કરી લીધાનો ખોટો મૅસેજ પણ વાઇરલ કરાયો અને ગણપતિને સુરતમાં મોદીના સેવક તરીકે દર્શાવતી મૂર્તિ બનાવાઈ હોવાના સમાચારનું કટિંગ પણ વાઇરલ થયું. તે બંને પણ ન્યૂઝચેકરની તપાસમાં ખોટા દાવા સાબિત થયા. આ સપ્તાહની ટોપ ફૅકેટચેક નીચે મુજબ છે.
વંદે ભારતની વિન્ડોના કાચ તોડવામાં આવી રહી હોવાના દાવા સાથે વીડિયો વાઇરલ જોવા મળ્યા છે. ગુજરાતી, મરાઠી સહિત અન્ય ભાષાઓમાં પણ વીડિયો ઉપરોક્ત દાવા સાથે વાઇરલ થયો હતો.
સાથે સાથે સ્થાનિક મીડિયા દ્વારા પણ વીડિયો શેર કરવામાં આવ્યો હતો. અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે ગુજરાતમાં રેલવેના રિપેર ડેપોમાં વંદે ભારત બારીના કાચનું સમારકામ કરવામાં આવી રહ્યું છે, તેનો વીડિયો ખોટા દાવાઓ સાથે વાઇરલ કરવામાં આવ્યો છે. વધુ અહેવાલ અહીં વાંચો.
રાહુલ ગાંધીના ઈન્ટરવ્યુનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે . વીડિયો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, તેમણે હિંદુઓના ધાર્મિક ગ્રંથોમાં વિશ્વાસ કરવાનો ઇનકાર કર્યો છે. જોકે, અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે, વાયરલ દાવો ખોટો છે.
આ વીડિયો 8 સપ્ટેમ્બર 2023ના રોજ સાયન્સ પો યુનિવર્સિટી-પૅરિસમાં આયોજિત એક કાર્યક્રમનો છે. વધુ અહેવાલ અહીં વાંચો.
સોશિયલ મીડિયા યુઝર્સ એક વીડિયો વાઇરલ કર્યો જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, રોહિંગ્યા મુસ્લિમોએ ભારતીય મુસ્લિમોની એક મસ્જિદ પર કબજો મેળવ્યા પછી હિંસક અથડામણ થઈ કારણ કે તેઓ “કન્વર્ટેડ મુસ્લિમ” હતા. જોકે, આસામમાં એક મસ્જિદના બે જૂથો વચ્ચેની આંતરિક અથડામણનો જૂનો વીડિયો નીકળ્યો. વધુ અહેવાલ અહીં વાંચો.
સુરતમાં ભગવાન ગણેશને મોદીના સેવક તરીકે દર્શાવવામાં આવ્યા હોવાનો દાવો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમાં એક અખબારના અહેવાલનું ક્લિપિંગ અને જેમાં ગણપતિની મૂર્તિ અને પીએમ મોદીની મૂર્તિ પણ દૃશ્યમાન છે. અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે, સુરતમાં ગણપતિને મોદીના સેવક તરીકે દર્શાવતા એક ગુજરાતી સમાચાર અહેવાલનો સ્ક્રીનશોટ ગેરમાર્ગે દોરનારો છે અને તે 2022માં પણ ખોટા દાવા સાથે વાઇરલ થયો હતો. વધુ અહેવાલ અહીં વાંચો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 999949904
Dipalkumar Shah
February 8, 2025
Dipalkumar Shah
February 8, 2025
Kushel Madhusoodan
August 21, 2024