Wednesday, March 26, 2025
ગુજરાતી

Coronavirus

કોરોના એક વાયરસ નહીં પણ બેક્ટેરિયા છે : ઇટલીના ડોકટરો, જાણો શું છે ભ્રામક દાવાનું સત્ય

banner_image

ઇટલીના ડોક્ટરોએ કોરોના વાયરસના દર્દીની ડેડબોડીનું પોસ્ટમોર્ટમ કરી નવો ઘટસ્ફોટ કર્યો છે, વાયરસના નામે એક આંતરરાષ્ટ્રીય કૌભાંડ ચલાવાઈ રહ્યું છે. કોરોના એક વાયરસ નથી પરંતુ બેક્ટેરિયા છે, જેનો ઈલાજ ખુબજ સરળ છે. સોશ્યલ મીડિયા પર આ દાવા સાથે બટુક સમાચારનું પેપેર કટિંગ વાયરલ થયેલ છે. વાયરલ તસ્વીરમાં કોરોના વાયરસના ઈલાજ માટે વેન્ટિલેટર્સ અને આઈસીયુની પણ જરૂર નથી, તેમજ ચીન અને WHO દ્વારા આ માહિતી છુપાવવામાં આવી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવાઓ

  • ઇટલીના ડોકટરો દ્વારા ડેડબોડીના પોસ્ટમોર્ટમ બાદ જાહેર કર્યું કે કોરોના વાયરસના નામે એક આંતરરાષ્ટ્રીય કૌભાંડ ચલાવાઈ રહ્યું છે.
  • કોવીડ-19 કોઈ વાયરસ નથી પણ એક પ્રકારનો બેક્ટેરિયા છે, જેનો ઈલાજ ખુબજ સરળ છે.
  • કોરોના દર્દી માટે ICU અને વેન્ટિલેટર્સની પણ જરૂર નથી
  • આ બેક્ટેરિયાનો એસ્પીરીન -100 અને પેરા સીટામોલ જેવી દવાઓ દ્વારા ઉપચાર થઇ શકે છે.
  • કોરોના વાયરસનું સંક્ર્મણ 5-G નેટવર્કના કારણે વધુ ફેલાય છે.

Factcheck / Verification

અમે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલા દાવાની ખરાઈ કરવા તપાસ શરૂ કરી અને દરેક દાવાને ક્રમિક રીતે શોધવાનું શરૂ કર્યું. જેમાં ઇટાલી, કોવિડ -19થી મૃત્યુ પામેલ ડેડબોડીનું પોસ્ટમોર્ટમ કરનાર વિશ્વનું પ્રથમ દેશ બન્યું છે, જેમાં તપાસમાં બહાર આવ્યું છે કે તે વાયરસ નથી પણ બેક્ટેરિયા છે. જેના કારણે લોહી ગંઠાઈ જાય છે અને દર્દીનું મોત થાય છે. તપાસ દરમિયાન thelancet દ્વારા પ્રકાશિત કરાયેલ રિપોર્ટ જોવા મળે છે, જે મુજબ કોરોના વાયરસમાં શ્વાશ લેવામાં તકલીફ મૃત્યુનું મુખ્ય કારણ માનવામાં આવ્યું છે. જયારે કોવિડ -19 વાયરસ નથી અને બેક્ટેરિયા હોવાના મુદ્દે કોઈપણ રિપોર્ટ જોવા મળેલ નથી.

ડબ્લ્યુએચઓનો કાયદો કોવિડ -19 થી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની મંજૂરી આપતું નથી. પરંતુ ઇટાલીમાં કોવિડ-19 ડેડ બોડીનું પોસ્ટમોર્ટમ કરાવ્યું અને જાણ્યું કે તે વાયરસ નહીં પણ બેક્ટેરિયા છે. આ દાવાની સત્યતા શોધવા માટે, અમે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સત્તાવાર વેબસાઇટ પર જોયું કે WHO દ્વારા આ પ્રકારે કોઈ કાયદો બનાવાયો નથી જે કોરોના વાયરસથી મૃત્યુ પામેલ વ્યક્તિના શરીરના પોસ્ટમોર્ટમ અથવા સંશોધનને અટકાવે છે. વધુ તપાસ પર WHO Mythbusters કે જેમાં કોરોના વાયરસ પર ફેલાયેલા તમામ ભ્રામક દાવાઓ પર ખુલાસો આપવામાં આવેલ છે, જ્યાં વાયરલ દાવો “કોરોના વાયરસ નહીં પરંતુ બેકટેરિયા છે” જેના પર વિડિઓ તેમજ કેટલીક માહિતી દ્વારા સ્પષ્ટતા આપવામાં આવેલ છે.

Mythbuster-Bacteria_vs_Virus
There is currently no licensed medication to cure COVID-19. If you have symptoms, call your health care provider or COVID-19 hotline for assistance.

વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ ત્રીજો દાવો આ બેક્ટેરિયાનો એસ્પીરીન -100 અને પેરા સીટામોલ જેવી દવાઓ દ્વારા ઉપચાર થઇ શકે છે. જે મુદ્દે તપાસ કરતા WHO દ્વારા જ સ્પષ્ટ કરવામાં આવેલ છે, કોઈપણ એન્ટીબાયોટિક્સ હજુ સુધી પ્રમાણિત થયેલ નથી જે કોરોના વાયરસને રોકવા માટે અસરકારક હોય.

Are antibiotics effective in preventing and treating the new coronavirus?
Antibiotics work only against bacteria, not viruses.
Are there any specific medicines to prevent or treat the new coronavirus?
COVID-19 is caused by a virus, and therefore antibiotics should not be used for prevention or treatment.

જયારે વાયરલ દાવામાં ઇટલીના ડોકટરો દ્વારા આ વાયરસ નહીં પરંતુ બેક્ટેરિયા હોવાના દાવા પર વધુ તપાસ કરતા Reuters ન્યુઝ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ આર્ટિકલ જોવા મળે છે, જે મુજબ ઇટલીએ કોરોના માટે બનાવેલ વેક્સીન માટે હ્યુમન ટ્રાયલ (માણસ પર પરીક્ષણ) શરૂ કરી દીધું છે. આ પરથી સાબિત થાય છે, ઇટલીના ડોકટરો પણ વેક્સીનની શોધ માટે પ્રયાસ કરી રહ્યા છે, વાયરલ દાવા પ્રમાણે એક બેક્ટેરિયા હોવાનો દાવો ભ્રામક સાબીત થાય છે.

ઉપરાંત કોરોના વાયરસનું સંક્ર્મણ 5-G નેટવર્કના કારણે વધુ ફેલાય છે, આ વાયરલ દાવા પર ગુગલ સર્ચ કરતા WHO અને ET telecom દ્વારા પ્રકાશિત કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. આ વિષય પર International Telecommunications Unionના પ્રવકતા મોનીકા ગહેનર દ્વારા સ્પષ્ટતા આપતા જણાવ્યું કે 5-G નેટવર્ક અને કોરોના વાયરસ વચ્ચે કોઈ સંબંધ નથી, વાયરલ દાવો તદ્દન ભ્રામક છે.

FACT: 5G mobile networks DO NOT spread COVID-19
Viruses cannot travel on radio waves/mobile networks. COVID-19 is spreading in many countries that do not have 5G mobile networks.

Conclusion

ઇટલીના ડોકટરો દ્વારા ડેડબોડીનું પરીક્ષણ કરવામાં આવ્યું અને કોરોના એક વાયરસ નહીં પરંતુ બેક્ટેરિયા છે, તેમજ કોરોનાનો ઈલાજ ખુબજ સરળ છે અને 5-G નેટવર્કથી કોરોના ફેલાવવાનું જોખમ વધે છે. જેના પર WHO અને અન્ય ન્યુઝ સંસ્થાનો દ્વારા પ્રકાશિત કરાયેલ રિપોર્ટ પરથી વાયરલ દાવાઓ તદ્દન ભ્રામક સાબિત થાય છે. ઉપરાંત કોરોનાને લગતી તમામ અન્ય ભ્રામક માહિતી માટે WHO Mythbusters વેબસાઈટ પર સ્પષ્ટતા કરવામાં આવેલ છે.

Result :- False


Our Source

WHO
WHOMythbusters
Reuters
Thelancet
Economictimes

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

17,571

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage
cookie

અમારી વેબસાઇટ કૂકીઓ નો ઉપયોગ કરે છે

અમે કુકીઝ અને સમાન તકનીકનો ઉપયોગ કરીએ છીએ તાકી વિષયવસ્તુને વ્યક્તિગત બનાવી શકો, વિજ્ઞાપનોને સુયોજિત કરી અને માપી શકો, અને ઉત્કૃષ્ટ અનુભવ આપી શકો. 'ઠીક છે' પર ક્લિક કરીને અથવા કુકી પસંદગીઓમાં એક વિકલ્પને ચાલુ કરીને, તમે આને સવિકારો, જેમાં આમાં અમારી કુકી નીતિમાં વિવરણ કરાયું છે.