Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Coronavirus
કોરોના વાયરસના કેસમાં ફરી એક વખત દરેક રાજ્યમાં ઉછાળો જોવા મળ્યો છે. ઓમીક્રોન વેરિએન્ટના પોઝિટિવ કેસ વધ્યા છે, પરંતુ રાહતની વાત છે મૃત્યુ આંકમાં વધારો થયો નથી. રાજ્ય સરકારો દ્વારા રાત્રી લોકડાઉન તેમજ જીમ, થિએટર, પાર્ક અને લગ્ન-મરણ ક્રિયા પર પણ અંકુશો લગાવવામાં આવ્યા છે. કોરોના વાયરસની શરૂઆતથી સોશ્યલ મીડિયા પર વાયરસના લક્ષણો અને તેના અલગ-અલગ ઉપચાર અંગે ભ્રામક ખબરો શેર કરવામાં આવી હતી જે અંગે newschecker દ્વારા ફેકટચેક પ્રકાશિત કરવામાં આવેલ છે.
કોરોના વાયરસના કેસમાં વધારો થતા ફરી એક વખત સોશ્યલ મીડિયા પર વાયરસ સંદર્ભે અનેક મેસેજ ફોરવર્ડ કરવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં વોટ્સએપ અને ફેસબુક પર “સિંગાપોર વિશ્વનો પહેલો દેશ બન્યો છે જેણે કોવિડ-19 બોડીનું ઓટોપ્સી (પોસ્ટ-મોર્ટમ) કર્યું છે. સંપૂર્ણ તપાસ પછી, જાણવા મળ્યું કે કોવિડ -19 વાયરસ તરીકે અસ્તિત્વમાં નથી, પરંતુ એક બેક્ટેરિયા તરીકે છે જે રેડિયેશનના સંપર્કમાં આવે છે અને લોહીમાં ગંઠાઈ જવાથી માનવ મૃત્યુનું કારણ બને છે.” દાવા સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે.



સિંગાપોર વિશ્વનો પહેલો દેશ બન્યો છે જેણે કોવિડ-19 બોડીનું ઓટોપ્સી (પોસ્ટ-મોર્ટમ) કર્યું છે. સંપૂર્ણ તપાસ પછી, જાણવા મળ્યું કે કોવિડ -19 વાયરસ તરીકે અસ્તિત્વમાં નથી, પરંતુ એક બેક્ટેરિયા તરીકે છે જે રેડિયેશનના સંપર્કમાં આવે છે અને લોહીમાં ગંઠાઈ જવાથી માનવ મૃત્યુનું કારણ બને છે. એવું જાણવા મળ્યું હતું કે કોવિડ -19 રોગ લોહીના ગંઠાવાનું કારણ બને છે, જે મનુષ્યમાં લોહીના ગંઠાઈ જવા તરફ દોરી જાય છે, અને નસોમાં લોહી ગંઠાઈ જવાનું કારણ બને છે, જેના કારણે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે છે; કારણ કે મગજ, હૃદય અને ફેફસાં ઓક્સિજન મેળવી શકતા નથી, જેના કારણે લોકો ઝડપથી મૃત્યુ પામે છે.
શ્વસન શક્તિની અછતનું કારણ શોધવા માટે, સિંગાપોરના ડોકટરોએ WHO પ્રોટોકોલને સાંભળ્યું ન હતું અને COVID-19 પર શબપરીક્ષણ કર્યું હતું. ડોકટરોએ હાથ, પગ અને શરીરના અન્ય ભાગોને ખોલ્યા અને કાળજીપૂર્વક તપાસ્યા પછી, તેઓએ જોયું કે રક્તવાહિનીઓ વિસ્તરેલી હતી અને લોહીના ગંઠાવાથી ભરેલી હતી, જે લોહીના પ્રવાહમાં અવરોધ ઊભો કરે છે અને ઓક્સિજનનો પ્રવાહ પણ ઘટાડે છે. શરીરમાં દર્દીના મૃત્યુનું કારણ બને છે. આ સંશોધન વિશે જાણ્યા પછી, સિંગાપોરના આરોગ્ય મંત્રાલયે તરત જ કોવિડ -19 સારવાર પ્રોટોકોલ બદલ્યો અને તેના પોઝિટિવ દર્દીઓને એસ્પિરિન આપી. મેં 100mg અને Imromac લેવાનું શરૂ કર્યું. પરિણામે દર્દીઓ સાજા થવા લાગ્યા અને તેમની તબિયત સુધરવા લાગી.
સિંગાપોરના આરોગ્ય મંત્રાલયે એક દિવસમાં 14,000 થી વધુ દર્દીઓને બહાર કાઢ્યા અને તેમને ઘરે મોકલી દીધા. વૈજ્ઞાનિક શોધના સમયગાળા પછી, સિંગાપોરના ડોકટરોએ સારવારની પદ્ધતિને એમ કહીને સમજાવ્યું કે આ રોગ વૈશ્વિક છેતરપિંડી છે, “તે ઇન્ટ્રાવાસ્ક્યુલર કોગ્યુલેશન (લોહીના ગંઠાવા) અને સારવારની પદ્ધતિ સિવાય બીજું કંઈ નથી. એન્ટિબાયોટિક ગોળીઓ બળતરા વિરોધી અને એન્ટીકોએગ્યુલન્ટ્સ (એસ્પિરિન) લો. આ સૂચવે છે કે રોગ મટાડી શકાય છે. સિંગાપોરના અન્ય વૈજ્ઞાનિકોના મતે, વેન્ટિલેટર અને ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)ની ક્યારેય જરૂર નહોતી. આ હેતુ માટેના પ્રોટોકોલ સિંગાપોરમાં પહેલાથી જ પ્રકાશિત કરવામાં આવ્યા છે ચીન આ પહેલાથી જ જાણે છે, પરંતુ તેનો રિપોર્ટ ક્યારેય જાહેર કર્યો નથી.
આ માહિતી તમારા પરિવાર, પડોશીઓ, પરિચિતો, મિત્રો અને સહકર્મીઓ સાથે શેર કરો જેથી તેઓ કોવિડ-19નો ડર દૂર કરી શકે અને સમજી શકે કે આ કોઈ વાયરસ નથી, પરંતુ એક બેક્ટેરિયા છે જે માત્ર રેડિયેશનના સંપર્કમાં આવ્યા છે. માત્ર ખૂબ જ ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ સાવચેત રહેવું જોઈએ. આ રેડિયેશન પણ બળતરા અને હાયપોક્સિયાનું કારણ બને છે. પીડિતોએ એસ્પ્રીન-100 એમજી અને એપ્રોનિક અથવા પેરાસીટામોલ 650 એમજી લેવી જોઈએ. સ્ત્રોત:સિંગાપોર આરોગ્ય મંત્રાલય
કોરોના વાયરસના કેસ વધતા સાથે વાયરલ થયેલ ફોરવર્ડ મેસેજ અનુસાર સિંગાપુર દ્વારા કોવિડ-19ના કારણે મૃત્યુ પામેલ વ્યક્તિના ડેડબોડી પર ઓટોપ્સી કર્યું છે. જે બાદ તેઓએ જાહેર કર્યું કે કોરોના એક વાયરસ નહીં પરંતુ બેક્ટેરિયા છે. આ વાયરલ મેસેજ પર કરવામાં આવેલ દાવા અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા Ministry of Health, Singapore દ્વારા જુલાઈ 2021ના ફેસબુક પર વાયરલ દાવા અંગે સ્પષ્ટતા આપતી પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

સિંગાપુર હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા જણાવવામાં આવ્યું “સિંગાપુર દ્વારા કોવિડ-19 બોડીનું ઓટોપ્સી કરવામાં આવ્યું નથી. વાયરલ મેસેજ પર COVID-19 ચેપના લગતી ખોટી માહિતી જણાવવામાં આવી છે. આગાઉ આ વાયરલ ફોરવર્ડ મેસેજ જેમાં સિંગાપોરને બદલે રશિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તે પણ અસત્ય હોવાનું સામે આવ્યું છે.”
ઉપરાંત, સિંગાપુર સરકારી એજન્સી વેબસાઈટ દ્વારા વાયરલ મેસેજ પર કરવામાં આવેલ દાવા અંગે વિસ્તૃત સ્પષ્ટતા સાથે અહેવાલ પ્રકાશિત કરવામાં આવેલ છે. જે મુજબ, “ફોરવર્ડ મેસેજ સાથે કરવામાં આવેલ તમામ દાવાઓ ભ્રામક છે. આ મેસેજ સિંગાપોરના આરોગ્ય મંત્રાલય તરફથી કરવામાં આવ્યો નથી.આગાઉ સિંગાપોરને બદલે ઇટલી અને રશિયા જેવા દેશોને ટાંકીને આ ભ્રામક મેસેજ શેર કરવામાં આવેલ છે.”

સિંગાપુર દ્વારા કોવિડ-19 બોડીનું ઓટોપ્સી કરવામાં આવ્યું અને કોરોના એક વાયરસ નહીં પરંતુ બેકટેરિયા હોવાનું જાહેર કર્યું હોવાના દાવા સાથે ભ્રામક મેસેજ વાયરલ થયેલ છે. સિંગાપુર હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા વાયરલ ફોરવર્ડ મેસેજ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે, સિંગાપુર દ્વારા કોઈપણ ઓટોપ્સી કરવામાં આવેલ નથી. વાયરલ મેસેજ તદ્દન ભ્રામક છે.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar Shah
June 7, 2025
Dipalkumar Shah
June 3, 2025
Prathmesh Khunt
May 12, 2021