Saturday, March 15, 2025
ગુજરાતી

Coronavirus

શું ખરેખર બાબા રામદેવને કોરોના વાયરસની રસી બનાવતા થવું પડ્યું હોસ્પિટલમાં દાખલ?, જાણો ભ્રામક દાવાનું સત્ય

banner_image
ક્લેમ :-
બાબા રામદેવે કોરોના વાઇરસથી બચવા ગૌમુત્રમાંથી રસી બનાવી અને પોતા ઉપર પ્રયોગ કર્યો ,યુરીનની અસરને કારણે યુરેસીમીયા થઇ જતાં તાત્કાલીક હોસ્પીટલમાં ભરતી કરવા પડયા.
વેરિફિકેશન :- 
બાબા રામદેવે કોરોના વાઇરસથી બચવા ગૌમુત્રમાંથી રસી બનાવી અને પોતા ઉપર પ્રયોગ કર્યો ,યુરીનની અસરને કારણે યુરેસીમીયા થઇ જતાં તાત્કાલીક હોસ્પીટલમાં ભરતી કરવા પડયા અને જયાં સુધી લોહીમાંથી યુરીયાની અસર નાબુદ ના થઇ ત્યાં સુધી ડાયલીસીસ કરીને લોહી શુધ્ધીકરણ કરવું પડયુ..” હવે હું આવા પ્રયોગ કદી નહી કરૂ” તેવી ખાત્રી આપ્યા બાદ્જ હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી તેવા ઉડતા સમાચાર છે. આ દાવા સાથે એક તસ્વીર શેયર કરવામાં આવી છે, જેમાં બાબા રામદેવ હોસ્પિટલમાં એડમિટ જોવા મળે છે. 
ટ્વીટર પર એક અન્ય દાવા સાથે આ તસ્વીર જોવા મળે છે, જેમાં બાબા રામદેવ પતંજલી નુડલ્સ ખાઈને બીમાર પડ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ વાયરલ દાવાનું સત્ય જાણવા માટે ગુગલ કિવર્ડ અને ગુગલ રિવર્સ ઇમેજના મદદ વડે સર્ચ  કરતા કેટલાક પરિણામો મળી આવે છે. જેમાં 2011-12માં કાળા ધન વિરુદ્ધ બાબા રામદેવ ભૂખ હડતાળ પર ઉતર્યા હતા, અને 9 દિવસની ભૂખ હડતાળ બાદ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં તેઓએ ફ્રૂટ જ્યુશ સાથે ઉપવાસનો અંત કર્યો હતો. 
 
આ ન્યુઝ રિપોર્ટ અને ન્યુઝ સંસ્થાન દ્વારા પબ્લિશ કરવામાં આવ્યા છે, તેમજ વાયરલ દાવા સાથે જે તસ્વીર શેયર કરવામાં આવી છે, તેને ગુગલ રિવર્સ ઇમેજના મદદ વડે સર્ચ કરતા આ ભૂખ હડતાળ બાદ જે ડોક્ટરો દ્વારા તેમનું ચેક-અપ કરવામાં આવ્યું હતું અને જ્યાં તેમણે ઉપાવસનો અંત કર્યો હતો તે સમયની તસ્વીર શેયર કરવામાં આવી રહી છે.

વાયરલ દાવા અને તસ્વીરને લઇ મળતા તમામ પરિણામો પરથી સાબિત થાય છે કે આ તસ્વીર કાળા ધન વિરુદ્ધ બાબા રામદેવના ઉપાવસના સમય એટલેકે જૂન -2011ની છે. તેમજ વાયરલ તસ્વીર સાથે કરવામાં આવેલ દાવો જેમાં કોરોના વાયરલ વાયરસના ઉપાય શોધતી વખતે થયેલ આડ અસરના કારણે બાબા રામદેવને એડમિટ કરવામાં આવ્યા છે, તે એક તદ્દન ભ્રામક દાવો છે. જૂની તસ્વીર સાથે હાલમાં કોરોના વાયરસના સંદર્ભમાં વાયરલ કરેલ છે.
TOOLS :-
GOOGLE KEYWORD SEARCH 
GOOGLE IMAGES SEARCH 
FACEBOOK SEARCH 
TWITTER SEARCH 
YOUTUBE 
NEWS REPORTS 
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS) 
image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

17,450

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage
cookie

અમારી વેબસાઇટ કૂકીઓ નો ઉપયોગ કરે છે

અમે કુકીઝ અને સમાન તકનીકનો ઉપયોગ કરીએ છીએ તાકી વિષયવસ્તુને વ્યક્તિગત બનાવી શકો, વિજ્ઞાપનોને સુયોજિત કરી અને માપી શકો, અને ઉત્કૃષ્ટ અનુભવ આપી શકો. 'ઠીક છે' પર ક્લિક કરીને અથવા કુકી પસંદગીઓમાં એક વિકલ્પને ચાલુ કરીને, તમે આને સવિકારો, જેમાં આમાં અમારી કુકી નીતિમાં વિવરણ કરાયું છે.