ક્લેમ :-
રશિયન પ્રેસિડેન્ટ વલામ્દીર પુતિન અને પીએમ મોદી આવતા વર્ષે મદુરાઈમાં થનાર જલ્લીકટૂ મહોત્સવમાં ભાગ લેશે.
વેરીફીકેશન :-
છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મિડિયામાં એક તસ્વીર વાયરલ કરવામાં આવી રહી છે. જેમાં પુતિન અને પીએમ મોદી આવતા વર્ષે જલ્લીકટૂ મહોત્સવ નિહાળવા આવશે. જે પોસ્ટને કેટલાક મિડિયા સંસ્થાનો અને ફેસબુક , ટ્વીટર પર પણ ખુબજ વાયરલ કરી છે.
Media reports of Russian President Vladimir Putin visiting Tamil Nadu and watching Jallikattu along with PM Modi are incorrect, no such program has been scheduled. pic.twitter.com/lkeU1G5IXg
— ANI (@ANI) October 29, 2019
The tweets that PM @narendramodi and President Putin would attend Jallikattu at Madurai are fake and wrong. please don’t share fake news@PIB_India @PIBHindi #FakeNews
— PIB in Gujarat (@PIBAhmedabad) October 29, 2019
આ પોસ્ટ સોશિયલ મિડિયામાં ખુબજ વાયરલ થયા બાદ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો(PIB) તેમજ એએનઆઈ (ANI) દ્વારા ટ્વીટ કરી આ મુદ્દે ખુલાસો કર્યો હતો, જેમાં જાણકારી આપવામાં આવી છે કે વાયરલ થઈ રહેલી પોસ્ટમાં છે જે પ્રમાણે દાવો કરવામાં આવ્યો છે કે પીએમ મોદી અને રશિયન પ્રેસિડેન્ટ વલ્મ્દીર પુતિન આવતા વર્ષે મદુરાઈ ખાતે જલ્લીકટૂ મહોત્સવમાં હાજરી આપશે. તે સંપૂર્ણ પણે એક ભ્રામક ખબર છે, એક ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહી છે.
આ મુદ્દે હિન્દુસ્તાન ટાઈમ્સ દ્વારા એક લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે જેમાં આ મુદ્દે સ્પષ્ટતા કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આ એક ભ્રામક દાવો છે, જે વાયરલ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મિડિયા અને કેટલીક ન્યુઝ એજન્સી દ્વારા કરવામાં આવેલો દાવો કે પીએમ મોદી અને પુતિન જલ્લીકટૂ મહોત્સવમાં હાજરી આપશે, જે સંપૂર્ણપણે એક ખોટો દાવો(ફેક ન્યુઝ) છે.
વાપરવામાં આવેલા ટુલ્સ :-
ગુગલ સર્ચ
ફેસબુક સર્ચ
ટ્વીટર સર્ચ
યાનડેક્ષ સર્ચ
પરિમાણ :- ફેક ન્યુઝ( ભ્રામક દાવો)
( નોધ : ઉપર પ્રકાશિત આર્ટિકલમાં કોઈ માહિતી, ડેટા કે આંકડાકીય માહિતીમાં કોઈ ફેરફાર કે ભૂલ જણાઈ, તેમજ કોઈપણ વાયરલ ખબરનું સત્ય જાણવા માટે આપ મેઈલ કરો [email protected] )