Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
કેરેલામાં હાથી સાથે બનેલ ઘટના પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે, ત્યારે જૂન 3 2020ના મેનકા ગાંધી દ્વારા એક ઇન્ટરવ્યૂમાં કહેવામાં આવ્યું કે દર વર્ષે કેરેલામાં 600 હાથીની હત્યા કરવામાં આવે છે. મેનકા ગાંધી દ્વારા આપવામાં આવેલ આ પ્રતિક્રિયા સોશ્યલ મીડિયા પર અનેક યુઝર્સ દ્વારા શેયર કરવામાં આવી હતી. જે બાદ આ વાત વાયરલ થઇ રહી છે કે “કેરલા મા કુદરતી આપદા મા ધર્માદો કરી પાપ ના ભાગીદાર ન બનવુ ત્યા માણસાઈ નથી. વાર્ષિક 600 નિર્દોષ હાથી ને મારે છે અન્ય જીવ અલગ” આ પ્રકારે કેપ્શન સાથે લોકો સોશ્યલ મીડિયા પર શેયર કરી રહ્યા છે.
જયારે આ મુદ્દે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ,ફોરેસ્ટ એન્ડ કલાઇમેટ ચેન્જ પર સર્ચ કરતા મિનિસ્ટ્રી દ્વારા આપવામાં આવેલ જવાબમાં કેટલીક માહિતી આપવામાં આવી છે, જેમાં 2015 થી 2019માં હાથીના મૃત્યુ પર ડેટા રજુ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત એક અન્ય પ્રશ્નના જવાબમાં મિનિસ્ટ્રી દ્વારા 2014 થી 2019 દરમિયાન અકસ્માત અથવા બીમારી કે બે હાથી વચ્ચેની લડાઈના કારણે થયેલ ગંભીર ઇજા પર ડેટા આપવામાં આવ્યા છે.
તેમજ ટ્રેન અકસ્માત દરમિયાન 2016 થી 2019 સુધીનો ડેટા પણ મિન્સ્ટ્રી દ્વારા આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કેરેલામાં જંગલ માંથી ટ્રેન પસાર થતી હોવાથી ટ્રેન સાથે હાથીના અકસ્માતની ઘટના અવાર-નવાર સાંભળવા મળે છે.
આ મુદ્દે વધુ જાણકારી માટે કીવર્ડ સાથે સર્ચ કરતા કેરેલા ફોરેસ્ટ ડિપાર્ટમનેટ દ્વારા 8 જૂન 2020ના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. ટ્વીટ પર ડિપાર્ટમેન્ટ દ્વારા ખુલાસો આપવામાં આવ્યો છે, 600 હાથી દર વર્ષે મૃત્યુ પામવા એક ભ્રામક માહિતી છે. છેલ્લા 10 વર્ષમાં 772 હાથીના મૃત્યુ થયા છે, તેમાંથી માત્ર 64 હાથી કોઈ અકસ્માત કે શિકારના કારણે માર્યા ગયા છે.
વાયરલ પોસ્ટ અને મેનકા ગાંધી દ્વારા આપવામાં આવેલ પ્રતિક્રિયા પર મળતા તમામ પરિણામ સાબિત કરે છે, કેરેલામાં દર વર્ષે 600 હાથીની હત્યા કરવામાં આવતી હોવાની વાત તદ્દન ભ્રામક છે. જે બાબતે મિન્સ્ટ્રી દ્વારા આપવામાં આવેલ ડેટા તેમજ કેરેલા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ટ્વીટ કરી ખુલાસો આપવામાં આવ્યો છે.
source:-
Facebook
twitter
news reports
Loksabha
પરિણામ :- ભ્રામક દાવો (MISLEADING)
Dipalkumar Shah
April 17, 2025
Prathmesh Khunt
September 13, 2020
Prathmesh Khunt
October 1, 2020