Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim : તામિલનાડુમાં હિન્દી ભાષી બિહારી શ્રમિકોની હત્યા કરવામાં આવી રહી છે તેમજ યાતનાઓ આપવામાં આવી રહી છે.
Fact : વાયરલ તમામ વીડિયો બિહારી કામદારો પરના હુમલાઓ સાથે જોડાયેલ નથી. એક વિડિયો હૈદરાબાદની હત્યાનો છે જ્યારે બીજો રાજસ્થાનમાં થયેલી હત્યાનો ટ્રેસ કરવામાં આવ્યો છે. ત્રીજો વીડિયો કોઈમ્બતુરમાં ગેંગવોરનો હોવાનું જાણવા મળ્યું છે.
તમિલનાડુમાં ચાલતી ટ્રેનમાં એક વ્યક્તિ પરપ્રાંતિય કામદારો સાથે દુર્વ્યવહાર કરતો એક વીડિયો ફેબ્રુઆરીમાં સામે આવ્યો હતો, જે બાદ આ ક્રમમાં અન્ય કેટલાક વિડીયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તામિલનાડુમાં હિન્દી ભાષી બિહારી શ્રમિકોની હત્યા કરવામાં આવી રહી છે તેમજ યાતનાઓ આપવામાં આવી રહી છે.
વધી રહેલા ઓનલાઈન ગણગણાટ સાથે બિહારના સીએમએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર જણાવ્યું હતું કે મુખ્ય સચિવ અને બિહાર ડીજીપીને તામિલનાડુ સરકારના અધિકારીઓ સાથે વાત કરવા અને બિહારથી સ્થળાંતરિત કામદારોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
વિડિયોમાં હુમલાખોર પથ્થરથી વ્યક્તિના ચહેરાને કચડી નાખે છે અને તેના પર વારંવાર છરી વડે હુમલો કરવામાં આવે છે. ફૂટેજ શેર કરનારાઓ દાવો કરે છે કે તેમાં હિન્દી ભાષી સ્થળાંતર કરનારાઓ પર તમિલનાડુમાં હુમલો થતો જોવા મળે છે.
વાયરલ વિડિયો પર યુઝર્સ દ્વારા ટિપ્પણી કરતા જણાવવામાં આવ્યું હતું કે ફૂટેજ રાજસ્થાનની છે, તમિલનાડુનું નથી. જે અંગે ગુગલ સર્ચ કરતા આજ તક દ્વારા 19 ફેબ્રુઆરી, 2023ના રોજના પ્રકાશિત થયેલ અહેવાલ જોવા મળે છે, જેમાં CCTV ફૂટેજના એક અલગ એંગલથી કેપ્ચર કરાયેલી ઘટના મુજબ બે માણસોએ વકીલ પર હુમલો કર્યો અને તેની હત્યા કરી હતી.
ફેબ્રુઆરી 2023ના અન્ય અહેવાલો વિગતવાર દર્શાવે છે કે કેવી રીતે જુગરાજ ચૌહાણ તરીકે ઓળખાતા જોધપુરના વકીલની રસ્તાની વચ્ચે હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જે અહેવાલો અહીં , અહીં , અહીં અને અહીં જોઈ શકાય છે.
વધુમાં, ડીસીપી પૂર્વ જોધપુરે ટ્વીટ કરતા કહ્યું કે માતા પોલીસ સ્ટેશનમાં આ બન્ને આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
તમિલનાડુમાં હિન્દી ભાષી કામદારો પરના હુમલાનો દાવો કરતો બીજો વિડિયો જેમાં વ્યસ્ત રસ્તા પર ત્રણ લોકો દ્વારા એક વ્યક્તિની હત્યા કરવામાં આવે છે.
અમે વાયરલ વિડિયો પર વપરાશકર્તાએ ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે આ ઘટના હૈદરાબાદમાં બનેલ છે. જે ઘટના પર કીવર્ડ સર્ચ કરતા 23 જાન્યુઆરી, 2023ના રોજના ટાઈમ્સ ઓફ ઈન્ડિયાનો અહેવાલ જોવા મળે છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, “કથિત રીતે વ્યક્તિગત દુશ્મનાવટના કારણે હૈદરાબાદના જિયાગુડા ખાતે સંપૂર્ણ જાહેર દૃશ્યમાં 30 વર્ષીય વ્યક્તિને ત્રણ માણસોએ મારી નાખ્યો હતો. થોડા જ સમયમાં પસાર થતા લોકો દ્વારા કરવામાં આવેલા ઘાતકી હુમલાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો”
22 જાન્યુઆરી, 2023 ના રોજ બનેલી આ ઘટના અંગે ETV ભારતના અહેવાલમાં વાયરલ વીડિયોના દર્શ્યો જોવા મળે છે. અહેવાલ સાથે જણાવ્યું હતું કે કુલસુમપુરા પીએસના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગળ કાર્યવાહી હાથ ધરી હતી.વધુમાં, કુલસુમપુરા સીઆઈ અશોક કુમારને ટાંકીને કહ્યું હતું કે,“સ્પેશિયલ ટીમો સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. હત્યા સમયે, સ્થળ પર હાજર એક વ્યક્તિએ દૂરથી એક વિડિયો લીધો હતો અને તે તપાસ માટે મહત્ત્વપૂર્ણ માહિતી બની ગયો છે.”
આ રીતે અમે નિષ્કર્ષ પર આવી શકીએ કે હૈદરાબાદમાં થયેલી હત્યાના ફૂટેજ તમિલનાડુના રહેવાસીઓને હિન્દી ભાષી સ્થળાંતર કરનારાઓ પર હુમલો કરતા બતાવવા માટે ખોટી રીતે શેર કરવામાં આવ્યા છે.
આકસ્મિક રીતે એક જૂથ દ્વારા વ્યક્તિ પર છરા વડે હુમલો કરે છે, જે વીડિયો પણ હિન્દી ભાષી સ્થળાંતરિત કામદારનો હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
વાયરલ ક્લિપના કીફ્રેમ્સ પર ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા 14 ફેબ્રુઆરી, 2023ના રોજ ન્યૂઝ નાઈન દ્વારા પ્રકાશિત એક અહેવાલ તરફ દોરી જાય છે, જેનું શીર્ષક છે “તમિલનાડુ કોઈમ્બતુરમાં કોર્ટ સંકુલ પાસે સંપૂર્ણ જાહેરમાં માણસની હત્યા”
વાયરલ વિડિયોમાંથી સ્ક્રીનગ્રેબ લઈને, અહેવાલમાં જણાવાયું છે કે, “ચાર સભ્યોની ટોળકીએ કોઈમ્બતુરમાં જિલ્લા કોર્ટ સંકુલ પાસે સંપૂર્ણ જાહેરમાં એક વ્યક્તિની હત્યા કરી હતી. આ ઘટના અંગે અનેક અન્ય સમાચાર આઉટલેટ્સે અહેવાલ પ્રકાશિત કરેલા છે, જો કે આવા કોઈ પણ અહેવાલમાં હિન્દી ભાષી વ્યક્તિ પર તમિલ લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. અહેવાલો અહીં , અહીં , અને અહીં જોઈ શકાય છે .
ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, “મૃતકની ઓળખ જી ગોકુલ, જે અન્નુર જિલ્લાની નજીકના કોન્દયમપાલયમનો રહેવાસી હતો. આરોપીએ ગોકુલને છરા વડે મારી નાખ્યો હતો, જ્યારે મૃતકનો મિત્ર ઘટનાસ્થળેથી ભાગી જવામાં સફળ રહ્યો હતો. રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, “પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક વર્ષો પહેલા રતિનાપુરી નજીક કન્નપ્પા નગર વિસ્તારમાં રહેતો હતો, તેનો અન્ય ગેંગ સાથે રથિનાપુરી અને કન્નપ્પા નગર વચ્ચેના વિસ્તારના વર્ચસ્વના મુદ્દે વિવાદ હતો.”
તમિલનાડુ પોલીસે પણ આ વીડિયોને ટ્વીટ કરીને ખોટી માહિતી ગણાવી છે. તમિલનાડુના ડીજીપી સિલેન્દ્ર બાબુએ પણ વીડિયોને “ખોટા” ગણાવ્યા અને ઉમેર્યું કે આ ઘટનાઓ “તમિલનાડુના લોકો અને સ્થળાંતર કામદારો વચ્ચેની અથડામણ નથી.”
તામિલનાડુમાં હિન્દી ભાષી બિહારી શ્રમિકોની હત્યા કરવામાં આવી રહી છે તેમજ યાતનાઓ આપવામાં આવી રહી હોવાના દાવા સાથે ભ્રામક વિડીયો વાયરલ કરવામાં આવેલ છે. જે અંગે તામિલનાડુ પોલીસ દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
તામિલનાડુમાં બિહારી કામદારો સાથે ચાલી રહેલા અત્યચાર સંદર્ભે વાયરલ થયેલા આ ભ્રામક વિડીયો અંગે ન્યૂઝચેકર ઈંગ્લીશ ટિમ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ અહીં વાંચો.
Our Source
Report By Aaj Tak, Dated February 19, 2023
Tweet By Khushbu Sundar, Dated February 22, 2023
Report By Times Of India, Dated January 23, 2023
Report By ETV Bharat, Dated January 22, 2023
Report by News Nine, Dated February 14, 2023
Report By The New Indian Express, Dated February 13, 2023
Tweet By Tamil Nadu Police, Dated March 2, 2023
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044