Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
છેલ્લા કેટલાક વર્ષોમાં હવામાન પરિવર્તન (climetchange) દ્વારા ભારત માટે ઉભા થયેલા જોખમો સ્પષ્ટ થયા છે. ગ્લોબલ વોર્મિંગ અંગેની જાહેર સમજ અને હવામાન પરિવર્તન અને અનુકૂલન અંગેની ભારતની નિતી અને સ્થિતિ હજી પણ પાછળ છે. દેશના અર્થતંત્રની આસપાસની વાતચીતમાં પર્યાવરણીય અને આબોહવાની ચિંતાઓ પર વાત પણ નામ માત્ર માટે કરવામાં આવે છે. રાજકીય પક્ષોના મેનીફેસ્ટોમાં પણ હવામાનની ચિંતાઓનું પ્રતિનિધિત્વ લગભગ શૂન્ય છે.

આજે પૃથ્વીનું તાપમાન વધ્યું છે. પૃથ્વીને તાવ આવ્યો છે એમ પણ કહી શકાય. વાયુ વાયુમંડળમાં ગ્રીન હાઉસ(greenhouse) ગેસોની વધતી સાંદ્રતાનું પરિણામ છે. પૃથ્વીની ચારે બાજુનું વાતાવરણ ગરમ થતું જાય છે. આ એક પ્રાકૃતિક પ્રક્રિયા છે. ઔદ્યોગિકરણને કારણે વર્તમાન સમયમાં ઉદ્યોગો અને ઘરોમાં કોલસા અને પેટ્રોલિયમ જેવા પદાર્થના ઉપયોગમાં અત્યંત વધારો થયો છે. જેનાથી લગભગ ૪ ટકા કાર્બન ડાયોક્સાઈડનો વધારો થઈ રહ્યો છે. વર્તમાન સમયમાં વિશ્વમાં દર વર્ષે લગભગ ૭ કરોડ હેક્ટર જમીનના વનોને કાપવામાં આવી રહ્યા છે. વૃક્ષોના વિનાશને કારણે દર વર્ષે બે અરબ ટન કાર્બન ડાયોક્સાઈડ(co2) વાયુમંડળમાં આવી રહ્યો છે.
વિશ્વમાં ઉત્સર્જિત થતું કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ :-

અમેરીકા 22%, ચીન 17% , ભારત 04%, રૂસ 6%, જાપાન 4.7%, ઓસ્ટ્રેલીયા 1.4%, યુરોપ 17.2%. પૃથ્વીને પ્રાણવાન રાખવાવાળા ઘટકોમાં ખલેલ ઊભી થઈ છે. 30% માછલીઓ, 25% સરીશ્રૃપો, 12% પક્ષીઓ, 24% સ્તનધારીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ભારતની 10%થી વધુ જૈવીક સંપત્તિ નાશ પામવાની તૈયારીમાં છે.
આ.પી.સી.સી.ની (IPCC) ચેતવણી :-
વિશ્વસ્તર પર પર્યાવરણ સાથે જોડાયેલી સ્વૈચ્છિક સંસ્થાઓ :-

ભારતમાં પર્યાવરણ સાથે જોડાયેલી સ્વૈચ્છીક સંસ્થાઓ :-

source :- downtoearth.org.in
‘આજે જન્મેલા બાળકો આબોહવા પરિવર્તનના કારણે આજીવન સ્વાસ્થ્ય અસરોનો સામનો કરશે’:-
આજે જન્મેલા બાળકને આબોહવા પરિવર્તનની આજીવન સ્વાસ્થ્ય અસરોનો સામનો કરવો પડશે, ભારતીય બાળકો જેઓ પહેલાથી જ ખરાબ હવાના સંપર્કમાં છે અને કુપોષણ અને ચેપી રોગો માટે ખાસ કરીને સંવેદનશીલ છે, તેઓ હવામાન પરિવર્તનની વધુ અસરનો અનુભવ કરશે.

કુપોષણના શિકાર બનીશું! :-
તાપમાનમાં વધારો થતા પાકની લણણી સંકોચાઈ જશે – ખાદ્ય ભાવોમાં વધારો ખાદ્યવસ્તુની સુરક્ષાને હરીફાઈ આપશે, એક રિપોર્ટ મુજબ શિશુઓ અને નાના બાળકો કુપોષણ અને સંબંધિત આરોગ્ય સમસ્યાઓ જેવી કે સ્ટંટ ગ્રોથ, નબળી રોગપ્રતિકારક શક્તિ અને લાંબા ગાળાના વિકાસની સમસ્યાઓથી સૌથી વધુ અસરગ્રસ્ત છે અને થશે.

છેલ્લા કેટલાક વર્ષોમાં વધતા તાપમાનના કારણે અનાજની વૈશ્વિક ઉપજમાં સંભવિત ઘટાડો થયો છે – મકાઈ, ઘઉં, સોયાબીન અને ચોખા. ભારતમાં, મકાઈ અને ચોખાની સરેરાશ ઉપજ સંભાવનામાં છેલ્લાં 58 વર્ષમાં લગભગ 2% ઘટાડો થયો છે – 1960 ના દાયકાથી – પાંચ વર્ષથી ઓછી વયના બાળકોમાં થયેલા મૃત્યુના બે-તૃતીયાંશ સુધીના કુપોષણ પહેલાથી જ જવાબદાર છે.
![]()
22 માર્ચ, 2018 ના રોજ ઇન્ડિયાસ્પેન્ડે અહેવાલ આપ્યો છે કે, આંતરરાષ્ટ્રીય ફૂડ પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિકસિત ઇન્ડેક્સ અનુસાર હવામાન પરિવર્તન ભારતના કૃષિ ઉત્પાદનને ઘટાડે છે. 2010માં કૃષિ ઉત્પાદન સ્તર 1.0 હતું, તે હવામાન પરિવર્તનની અસરો સાથે 2030 સુધીમાં વધીને ‘1.63’ થઈ શકે છે.
રોગ ફાટી નીકળવાની ભયંકર અસર :-
વધતા તાપમાન અને બદલાતા વરસાદના પગલે બાળકો ચેપી રોગો માટે સંવેદનશીલ બનશે. બદલાતા હવામાનના કારણે વિબ્રિઓ કોલેરા બેક્ટેરિયા માટે અનુકૂળ વાતાવરણ બનાવી રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે હવામાન પરિવર્તનથી ઉત્તેજિત, ડેન્ગ્યુ એ વિશ્વમાં મચ્છરજન્ય વાયરસ રોગનો સૌથી ઝડપથી ફેલાવો કર્યો છે. 2000થી ડેન્ગ્યુના કારણે વિશ્વની લગભગ અડધી વસ્તી હવે જોખમમાં છે.

17 શહેરોમાં થયેલા રિસર્ચમાં લગભગ 80% ભારતીયો માને છે કે હવાનું પ્રદૂષણ તેમની જીવનશૈલીને અસર કરે છે, અને 32% લોકોએ જીવનશૈલી પર અસર નોંધાવી છે. હવામાન બદલાવની અસરોમાં અમેરિકન સાયકોલોજીકલ એસોસિયેશન દ્વારા એક આર્ટિકલ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેમાં આબોહવાની માનસિક સ્વાસ્થ્ય પર કેટલી અસર પડે છે તે બતાવે છે.

આ મુદ્દે આપણા વડાપ્રધાન દ્વાર દાઓસમાં “વર્લ્ડ ઇકોનોમિક ફોર્મસ 2018″ના ભાષણમાં મુખ્ય ત્રણ મુદ્દામાં પહેલો મુદ્દો આબોહવા (કલાઇમેટ ચેન્જ)નો હતો. જેમાં તેમણે પર્યાવરણ સંરક્ષણ માટે કેટલાક પગલા લેવા લોકો સમક્ષ અપીલ કરી હતી.
ભારતના ક્યા-ક્યા દેશ હવામાન પ્રદુષણનો ભોગ છે. :-
દેશની રાજધાની દિલ્હી સૌથી વધુ પ્રદૂષણ ધરાવતી નગરી છે, આ સાથે ક્રમશ ચેન્નાઇ, બેંગ્લોર, પુણે, અને કોલકાતા આ તમામ શહેરો પ્રદુષણનો સામનો કરનાર અને ફેલાવનારમાં અગ્રેસર છે. ભારતનો ક્રમાંક દુનિયાના 20 સૌથી વધુ પ્રદુષણ કરનારા શહેરોમાં 14 શહેરો માત્ર ભારતના છે. 2018ના “વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન” ના રિપોર્ટ પ્રમાણે…

SOURCE :- WHO
હવામાન પ્રદુષણ અને તેની ગ્રામીણ જીવન પર અસર :-
“હેલ્થ ઇફેક્ટ ઇન્સ્ટિટ્યૂટ”(healtheffects) 2016ના રિપોર્ટ પ્રમાણે 1 લાખ લોકોએ 195 લોકો હવામાન પ્રદુષણના કારણે મૃત્યુ પામ્યા છે. જેમાં અફઘાનિસ્તાનમાં 406 લોકો અને પાકિસ્તાનમાં 207 લોકો ખરાબ હવામાનની અસરના કારણે મૃત્યુ પામે છે. કાનપુર અત્યારે વિશ્વના સૌથી ખરાબ હવામાન ધરાવનાર શહેર માંથી એક બન્યું છે, ત્યાં હવામાં નેનો પાર્ટિકલ્સનો પારો (PM 2.5) પહોંચ્યો છે, જે જનજીવન માટે ખતરા રૂપ છે. હવે આ PM 2.5 શું છે?, તો આ હવામાં રહેલા નેનો પાર્ટિકલ્સને માપવા માટે માપદંડ છે. આસાન ભાષામાં આપણા વાળની જાડાઈના 1/30 ભાગ જેટલું નાનું સ્વરૂપ છે. જે WHOના નિયમોથી પણ 17 ગણું વધારે છે. PM 2.5 ની ઉચ્ચ કક્ષાએ ભારતીયોની આયુષ્ય 9 વર્ષ સુધી ઘટાડી છે. 2015 માં, ભારતમાં વાયુ પ્રદૂષણ સાથે જોડાયેલા લગભગ 75% મૃત્યુ ગ્રામીણ વિસ્તારોમાં થયા છે.
ભારતની 2/3 વસ્તી ગામડામાં રહે છે, જેમાં 80% ઘરોમાં આજે પણ લાકડા, બાયો ગેસ, કોલસા વગેરેનો ઉપયોગ થાય છે. આ વસ્તુ જોતા નાની લાગે છે પરંતુ અહીંયા 25% પ્રદુષણ વધારવામાં આ તમામ તત્વોનો ફાળો છે. 2016માં 5 વર્ષથી ઓછી વય ધરાવતા બાળકોના મૃત્યમાં 66800નો આંક નોંધાયો છે, જે હાલ 2018માં 60900 પર પહોંચ્યો છે.
એક રિસર્ચ રિપોર્ટ અનુસાર પુરુષો કરતા મહિલાઓ વધારે પ્રદુષણ વિષે સમજ ધરાવે છે.

હવામાન સુધારણા માટેના અવકાશ :-
હવામાન અંગેની જાગૃતિ બાબતે સરકારી વૅબસાઇટ અને ન્યુઝપેપરની સરખામણીએ જગ્રુતતા ક્રમશ 26% અને 17% છે. 70% જેટલા ભારતીયોએ જણાવ્યું છે કે તેઓએ હવાની ખરાબ ગુણવત્તાના પ્રભાવને ઓછું કરવા માટે તેમની વ્યક્તિગત ક્ષમતાના આધારે પગલાં લીધાં છે.


વિશ્વમાં પેરિસ કરારના લક્ષ્યોને પહોંચી વળવા અને આવનારી પેઢીના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે, એનર્જી લેન્ડસ્કેપમાં ઝડપથી અને ટૂંક સમયમાં ફેરફાર કરવો પડશે, અહેવાલમાં જણાવાયું છે. કરારો હેઠળ રાષ્ટ્રીય સ્તરે નિર્ધારિત લક્ષ્યો દ્વારા કાર્બન ઉત્સર્જન ઘટાડવાના પ્રયત્નોને આગળ વધારીને તમામ દેશોએ ગ્લોબલ વોર્મિંગને 2 ડિગ્રી સુધી મર્યાદિત કરવાનો છે. એ જ રીતે, 2030 માં હવામાન પરિવર્તનની અસરો સાથે, ભૂખ્યાં લોકોની સંખ્યા 90.5 મિલિયનની ઉપર એટલેકે 22.5% વધારે હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

અશ્મિભૂત ઇંધણમાંથી વૈશ્વિક સ્તરે CO2 ના ઉત્સર્જનમાં વધારો થવાનું ચાલુ છે – જે 2016-2018ની વચ્ચે 2.6% વધશે. કોલસામાંથી મળતી એનર્જી પુરવઠો પણ વધી રહ્યો છે – જે 2016-2018ની વચ્ચે 1.7% વધ્યો છે.

source :- NASA
રેકોર્ડના ચોથા સૌથી ગરમ વર્ષ તરીકે, 2018 એ વૈશ્વિક સ્તરે હીટવેવ્સના સંપર્કમાં 220 મિલિયન લોકોને “રેકોર્ડ બ્રેક” જોયો. 2017ની તુલનામાં 63 મિલિયન વધુ છે અને 2015ની તુલનામાં 11 મિલિયન વધુ છે.
source :- NASA
આપણે શું કરવું જોઈએ પ્રાથમિક પગલાઓ :-
હાલ તો પર્યાવરણને બચાવવા માટે ઉર્જાના નવીનકરણ યોગ્ય ન હોય તેવા સ્ત્રોતોના વપરાશમાં ઘટાડો(અશ્મિભૂત ઈંધણો) નવીનકરણ યોગ્ય સ્ત્રોતોના વપરાશમાં વધારો જેવાકે સોલાર,પવન ઉર્જા,ઈત્યાદિ. વૃક્ષો બચાવો અને વધારે વૃક્ષો વાવો, અને અવિઘટનક્ષમ સામગ્રીઓ જેવી કે પ્લાસ્ટીકોના નિરંકુશ વપરાશને ટાળો અને આવનારી પેઢીને એક ઉત્તમ વાતાવરણ આપવાના પ્રયત્ન કરીએ.
source :-
bbc news
india spend
aqi india
data.gov.in
healtheffects.org
who (world health organization)
nasa
JP Tripathi
August 22, 2025
Vasudha Beri
August 12, 2025
Dipalkumar Shah
August 12, 2025