Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ક્લેમ :-
મહારાષ્ટ્રમાં શિવસેના સરકાર બની ચુકી છે. સરકાર ઘણા નિર્ણયો લઇ રહી છે, ત્યારે સોશિયલ મિડિયા પર એક દાવો કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે.
વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે “ખેડૂત પુત્રો માટે ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં 80 ટકા અનામતનો કાયદો ઘડશે મહારાષ્ટ્ર સરકાર : રાજ્યપાલ બી એસ કોશ્યરી સરકાર બદલીનો ફાયદો“
વેરિફિકેશન :-
સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ફેસબુક પર મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને લઇ દાવો કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. આ વાયરલ દાવામાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા ખેડૂત પુત્રોને હવેથી ખાનગી ક્ષેત્રે 80% આરક્ષણ મળશે… અને આ નિણર્ય મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશિયાર દ્વારા કરવામાં આવ્યો છે.

જયારે આ દાવાને લઇ અમે ગુગલ કિવર્ડના મદદ વડે સર્ચ કરતા મળતા પરિણામોમાં કેટલાક ન્યુઝ સંસ્થાન દ્વારા આ પ્રકારે આરક્ષણ આપવાની વાતને લઇ આર્ટિકલ પ્રકાશિત કરવામાં આવ્યા છે.

જેમાં amarujala, NDTV, NBT, LIVE હિન્દુસ્તાન વગેરે દ્વારા આર્ટિકલ પ્રકાશિત કરવામાં આવ્યા છે. જેના પરથી સાબિત થાય છે વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવો ખોટો સાબિત થાય છે, અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા સ્થાનીય લોકો મરાઠી લોકોને ખાનગી ક્ષેત્રે 80% આરક્ષણ આપવાની વાત રાજ્યપાલ દ્વારા કરવામાં આવી છે.

જયારે વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવામાં કહેવામાં આવ્યું છે કે ખેડૂતપુત્રોને 80% આરક્ષણ આપવામાં આવશે. આ વાત તદ્દન ખોટી છે, રાજ્યપાલ દ્વારા ખેડૂતોની લોન માફી અંગે જાહેરાત કરવામાં આવી છે. જેમાં પ્રતી હેક્ટર 8000 રૂપિયાની માફી આપવા અંગે અને ખેડૂતપુત્રોના શિક્ષણ ફી છૂટછાટ આપતી જાહેરાત કરવામાં આવી છે.
TOOLS :-
GOOGLE KEYWORD SEARCH
GOOGLE NEWS SEARCH
FACEBOOK SEARCH
NEWS REPORTS
પરિણામ :- ભ્રામક દાવા (FAKE NEWS)
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in)
JP Tripathi
August 22, 2025
Vasudha Beri
August 12, 2025
Dipalkumar Shah
August 12, 2025