Tuesday, November 11, 2025

Fact Check

લુલુ મોલમાં નમાઝ અદા કરનાર ત્રણ હિન્દુ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોવાના ભ્રામક દાવાનું સત્ય

banner_image

લખનૌમાં તાજેતરમાં ઉદ્ઘાટન કરાયેલ લુલુ મોલમાં નમાઝ અદા કરતા એક જૂથનો વીડિયો વાયરલ થયા પછીથી ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે આ ઘટનાના સંબંધમાં ત્રણ હિન્દુ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ફેસબુક પર “લુલુ મોલમાં નમાઝ અદા કરનાર નમાઝીઓની ઓળખ સરોજનાથ યોગી, કૃષ્ણ કુમાર પાઠક, ગૌરવ ગોસ્વામી તરીકે થઈ છે, બાકીના નમાઝીઓની શોધ ચાલુ છે.” ટાઇટલ સાથે એક તસ્વીર શેર કરવામાં આવેલ છે.

લુલુ મોલમાં નમાઝ અદા કરનાર ત્રણ હિન્દુ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોવાના ભ્રામક દાવાનું સત્ય
Image Courtesy : Facebook / Azad Yuva

ઉપરાંત, કેટલાક યુઝર્સ લખનૌના ડીસીપી દ્વારા કથિત રૂપે શેર કરવામાં આવેલ એક ટ્વિટનો સ્ક્રીનશૉટ સાથે આરોપ મૂક્યો હતો કે ત્રણ હિન્દૂ વ્યક્તિઓ દ્વારા મુસ્લિમ બનીને મોલના પરિસરમાં નમાઝ અદા કરવામાં આવી હતી. જયારે, DCP દ્વારા શેર કરવામાં આવેલ સ્ક્રીનશોટ મુજબ “પરવાનગી વિના લુલુ મોલ પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓમાં સામેલ થવાના પ્રયાસ બદલ ચાર લોકો જેના નામ સરોજ નાથ યોગી, કૃષ્ણ કુમાર પાઠક, ગૌરવ ગોસ્વામી અને અરશદ અલીની ધરપકડ કરવામાં આવી છે.

લુલુ મોલમાં નમાઝ અદા કરનાર ત્રણ હિન્દુ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોવાના ભ્રામક દાવાનું સત્ય

યુપીના સીએમ યોગી આદિત્યનાથ દ્વારા 10 જુલાઈના રોજ ઉદ્ઘાટન કરાયેલ, લખનૌમાં લુલુ મોલના પરિસરમાં નમાઝ અદા કરતા એક જૂથનો વીડિયો વાયરલ થયા પછી ભારે વિવાદ છેડાયો હતો. જેના પગલે કેટલાક હિંદુ સંગઠનોના સભ્યોએ સાંપ્રદાયિક હાર્દના ભંગનો આરોપ લગાવ્યો હતો અને કાઉન્ટર તરીકે મોલમાં હનુમાન ચાલીસાના પાઠ કરવાની પરવાનગી માંગી હતી. જો કે, આ પરવાનગી નામંજૂર કરવામાં આવી હતી. વધતા વિવાદ વચ્ચે યોગી આદિત્યનાથે કહ્યું, “લખનૌ પ્રશાસને આ બાબતને ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ. આવો ઉપદ્રવ સર્જવાનો પ્રયાસ કરનારા બદમાશો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.”

વાયરલ દાવા અંગે Newschecker હિન્દી અને ઈંગ્લીશ ટિમ દ્વારા 20 જુલાઈના ફેકટચેક પ્રકાશિત કરવામાં આવેલ છે, જે વાંચવા માટે અહીંયા ક્લિક કરો

Fact check / Verification

લુલુ મોલમાં નમાઝ અદા કરનાર ત્રણ હિન્દુ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર અંગે સર્ચ કરતા વાયરલ પોસ્ટમાં આપવામાં આવેલ નામ “સરોજ નાથ યોગીએ લુલુ મૉલની ધરપકડ કરી” કીવર્ડ સર્ચ કરતા 19 જુલાઈ, 2022 ના રોજ હિન્દુસ્તાન ટાઈમ્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે.

લુલુ મોલમાં નમાઝ અદા કરનાર ત્રણ હિન્દુ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોવાના ભ્રામક દાવાનું સત્ય

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “15 જુલાઈના રોજ, સરોજ નાથ યોગી, કૃષ્ણ કુમાર પાઠક અને ગૌરવ ગોસ્વામી તરીકે ઓળખાતા ત્રણ લોકોની મોલની અંદર હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો પ્રયાસ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.” તે જ દિવસે, ચોથા વ્યક્તિ, અરશદ અલીની મોલમાં નમાઝ અદા કરવાનો પ્રયાસ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

વધુમાં, અમને 15 જુલાઈ, 2022ની તારીખે વાયરલ દાવામાં નામ આપવામાં આવેલ વ્યક્તિઓમાંના એક સરોજ નાથ યોગીની ફેસબુક પોસ્ટ જોવા મળી . પોસ્ટ મુજબ “હનુમાન ચાલીસાના પાઠ કરવા લુલુ મોલમાં ગયા હતા. મારી અને ગૌરવ ગોસ્વામી પાઠકની ધરપકડ કરવામાં આવી હતી.

લુલુ મોલમાં નમાઝ અદા કરનાર ત્રણ હિન્દુ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોવાના ભ્રામક દાવાનું સત્ય

વાયરલ દાવાને રદિયો આપતા, લખનૌ પોલીસ કમિશનરેટ દ્વારા 18 જુલાઈ, 2022ના કરાયેલી ટ્વીટમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે સરોજ નાથ યોગી, કૃષ્ણ કુમાર પાઠક, ગૌરવ ગોસ્વામીની 15 જુલાઈએ હનુમાન ચાલીસાના પાથ માટે અને અરશદ અલી દ્વારા નમાઝ પઢવાનાં પ્રયત્ન કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. વધુમાં, આ તમામ વિરુદ્ધ સીઆરપીસીની કલમ 151, 107 અને 116 હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

લુલુ મોલમાં નમાઝ અદા કરનાર ત્રણ હિન્દુ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોવાના ભ્રામક દાવાનું સત્ય

અમને જાણવા મળ્યું કે લખનૌ DCP સાઉથ દ્વારા 15 જુલાઈના કરવામાં આવેલ ટ્વીટ ખરેખર આ ધરપકડોના સંબંધમાં પોસ્ટ કરવામાં આવ્યું હતું. સંભવ છે કે ઉપરોક્ત ટ્વીટમાં “ધાર્મિક પ્રવૃત્તિઓ” (ધાર્મિક ક્રિયાકલાપ )પરની અસ્પષ્ટતાને લીધે મૂંઝવણ ઊભી થઈ અને સોશિયલ મીડિયા યુઝર્સ લુલુ મોલમાં નમાઝ અદા કરવાના સંબંધમાં ત્રણ હિન્દુઓની ધરપકડ કરવામાં આવી હોવાના દાવા સાથે શેર કરી રહ્યા છે.

Conclusion

લુલુ મોલમાં નમાઝ અદા કરનાર ત્રણ હિન્દુ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર શેર કરવામાં આવેલ છે. DCP દ્વારા પોસ્ટ કરવામાં આવેલ પ્રેસનોટ સાથે કેટલાક યુઝર્સ હિન્દૂ વ્યક્તિઓ દ્વારા લુલુ મોલમાં નમાઝ પઢવામાં આવી હોવાના આરોપમાં ધરપકડ થઈ હોવાની ભ્રામક માહિતી શેર કરવામાં આવેલ છે.

Result : Partly False

Our Source

Report By Hindustan Times, Dated July 19, 2022
Facebook Post By Saroj Nath Yogi, Dated July 15, 2022
Tweet By Police Commissionerate Lucknow, Dated July 15, 2022


કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
ifcn
fcp
fcn
fl
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

20,222

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage