Cliam :-
સોશિયલ મીડિયા પર નીરવ મોદી પર એક દાવો વાયરલ કરવામાં આવ્યો છે, જે મુજબ મુંબઈ સિંધિયા હાઉસ ઈન્ક્મ ટેક્ષ ડિપાર્ટમેન્ટમાં આગ લગતા નીરવ મોદી પર ચાલી રહેલ ઇન્વેસ્ટિગેશન ફાઈલ આગમાં બળી ચુકી છે. આ દાવો tribuneindia ન્યુઝ સંસ્થાન દ્વારા પબ્લિશ કરવામાં આવેલ આર્ટિકલના હવાલે કરવામાં આવ્યો છે, સાથે જ કેપ્શન આપવામાં આવ્યું છે ‘अमीर आदमी का इस देश में कोई कुछ नहीं बिगाड़ सकता चाहे वह कितना भी बड़ा चोर हो। , PNB fraud: Nirav Modi papers gutted in fire at Income Tax office’
વાયરલ દાવા પર latestlaws નામની વેબસાઈટ દ્વારા 4 મે 2020ના રોજ આર્ટિકલ પબ્લિશ કરવામાં આવ્યો છે, જે પ્રમાણે શુક્રવાર એટલેકે 1 મે 2020ના રોજ મુંબઈ સિંધિયા હાઉસ ઈન્ક્મ ટેક્ષ ડિપાર્ટમેન્ટમાં આગ લાગી હતી અને જેમાં નીરવ મોદી પર ચાલી રહેલ ઇન્વેસ્ટિગેશન ફાઈલ આગમાં બળી ચુકી છે.

Fact check :-
વાયરલ દાવાની સત્યતા તપાસવા માટે tribuneindia દ્વારા પબ્લિશ કરાયેલ આર્ટિકલ ધ્યાન પૂર્વક જોતા જોવા મળે છે આ આર્ટિકલ 4 જૂન 2018ના રોજ પબ્લિશ કરવામાં આવ્યો હતો, જેના હવાલે વાયરલ પોસ્ટ કરવામાં આવી છે. તેમજ આ આર્ટિકલમાં સૂત્રોના હવાલે લખવામાં આવ્યું છે કે મુંબઈના સિંધિયા હાઉસ ઈન્ક્મ ટેક્ષ ડિપાર્ટમેન્ટમાં આગ લગતા નીરવ મોદી પર ચાલી રહેલ ઇન્વેસ્ટિગેશન ફાઈલ આગમાં બળી ચુકી છે.

ત્યારબાદ આ ખબરને લઇ કીવર્ડ આધારે સર્ચ કરતા ANI દ્વારા 1 જૂન 2018ના રોજ કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે, જેમાં સિંધિયા હાઉસમાં લાગેલ આગ પર જાણકારી આપવામાં આવી છે.
આ ઉપરાંત ટ્વીટર પર Income Tax India એકાઉન્ટ પર 3 જૂન 2018ના રોજ ટ્વીટ કરી જાણકારી આપવામાં આવી હતી, જે મુજબ સિંધિયા હાઉસમાં લાગેલ આગમાં નીરવ મોદી અને મેહુલ ચોક્સી પર ચાલી રહેલ ઇન્વેસ્ટિગેશન ફાઈલ આગમાં બળી ચુકી હોવાની ખબર નકારી કાઢી હતી અને આ ખબર ભ્રામક હોવાનો ખુલાસો આપ્યો હતો.
Conclusion :-
વાયરલ દાવા પર મળતા તમામ પરિણામ મુજબ સોશિયલ મીડિયા પોસ્ટ જે tribuneindia ન્યુઝના હવાલે કરવામાં આવી છે તે ભ્રામક અને જૂની સાબિત થાય છે. 2018માં બનેલ ઘટના હાલમાં વાયરલ કરવામાં આવી છે. ઉપરાંત બનેલ ઘટના પર કરવામાં આવેલ દાવો ઇન્વેસ્ટિગેશન ફાઈલ આગમાં બળી ચુકી હોવાની ખબર Income Tax India દ્વારા ખોટી હોવાનો ખુલાસો આપવામાં આવ્યો છે.
Source :-
twitter
facebook
news reports
keyword search
પરિણામ :- ભ્રામક ખબર (MISLEADING)