Sunday, April 27, 2025
ગુજરાતી

Fact Check

President of India દ્વારા દેશના અભ્યાસ ક્રમમાં રામાયણ અને ભગવત ગીતાને સામેલ કરવા આદેશ આપવામાં આવ્યો હોવાના ભ્રામક દાવાનું સત્ય

Written By Prathmesh Khunt
Mar 19, 2021
banner_image

સોશિયલ મિડિયામાં સમાંયતરે ધર્મને લઈ ઘણી પોસ્ટ વાયરલ થતી હોય છે. હાલમાં સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરનું ક્ટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, (presidentofindia) “રાષ્ટ્રપતિ દ્વારા દેશના તમામ અભ્યાસ ક્રમમાં રામાયણ અને ભગવત ગીતાને સામેલ કરવા આદેશ કરવામાં આવ્યો.”

presidentofindia
Facebook

ફેસબુક યુઝર્સ દ્વારા પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, (presidentofindia) “રાષ્ટ્રપતિ દ્વારા દેશના તમામ અભ્યાસ ક્રમમાં રામાયણ અને ભગવત ગીતાને સામેલ કરવા આદેશ કરવામાં આવ્યો.”

presidentofindia
Facebook

Factcheck / Verification

દેશના અભ્યાસ ક્રમમાં રામાયણ અને ભગવત ગીતા સામેલ કરવાનો આદેશ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આપવામાં આવ્યો હોવાના દાવા પર તપાસ શરૂ કરતા સૌ પ્રથમ presidentofindia વેબસાઈટ પર જઈ જાહેર કરવામાં આવેલ પ્રેસ રિલીઝ તપાસ કરતા આ પ્રકારે આદેશ આપતો કોઈ લેટર કે નોટિફિકેશન જોવા મળેલ નથી.

જયારે વાયરલ દાવા પર વધુ તપાસ માટે ભારતીય શિક્ષા મંત્રાલયની વેબસાઈટ dsel.education પર જઈ 2014 થી 2020માં કરવામાં આવેલ શિક્ષણ નીતિના સુધારા અંગે તપાસ શરૂ કરી. જયારે અત્યાર સુધી થયેલા શિક્ષણ સુધારામાં વાયરલ દાવા અંગે કોઈપણ ઉલ્લેખ જોવા મળેલ નથી. રામાયણ કે ભગવત ગીતા અભ્યાસ ક્રમમાં ઉમેરવામાં આવી હોવાનો દાવા અંગે કોઈ સાબિતી જોવા મળેલ નથી.

presidentofindia

ગુગલ પર વાયરલ દાવા મુદ્દે સર્ચ કરતા guruasthadigitalnews વેબસાઈટ પર પ્રકાશિત થયેલ અહેવાલ જોવા મળે છે. અહેવાલ મુજબ છીંદવાળા જિલ્લાના સામાજિક કાર્યકર ભગવાનદિન સાહુની આગેવાની હેઠળની અન્ય સામાજિક અને ધાર્મિક સંગઠનોએ દેશના તમામ શાળાના અભ્યાસક્રમોમાં ભગવદગીતા અને રામાયણનો સમાવેશ કરવા જિલ્લા કલેકટર મારફત રાષ્ટ્રપતિને એક નિવેદન રજૂ કર્યું હતું.

presidentofindia
छिंदवाड़ा – जिले के सामाजिक कार्यकर्ता भगवानदीन साहू के नेतृत्व में अन्य सामाजिक औऱ धार्मिक संगठनों ने 15 जुलाई को जिला कलेक्टर के  माध्यम से महामहिम राष्ट्रपति के नाम ज्ञापन सौंपकर देश के समस्त स्कूली पाठ्यक्रमों में भगवद्गीता औऱ रामायण को शामिल करने की माग की थीं ।

મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું હતું કે શ્રી રામ જીનું જીવન બલિદાન તરીકે જાણીતું છે, શ્રી કૃષ્ણનું જીવન એક સંઘર્ષ હતું. શ્રી રામ ઉપરાંત શ્રી કૃષ્ણ, આપણી સંસ્કૃતિમાં, હનુમાનજી, બુદ્ધ, મહાવીર, શિવાજી, મહારાણા પ્રતાપ, ચંદ્ર ગુપ્ત મૌર્ય, સમ્રાટ અશોક અને સતી અનુસુઇયા, ગાર્ગી, મદાલસા, સાવિત્રી, સીતા સબરી, ઝાંસીની રાણી જેવી ઘણી સ્ત્રીઓ. અન્ય મહાન માણસો.જેનું જીવન આપણા માટે ખૂબ પ્રેરણાદાયક રહ્યું છે.

આ પણ વાંચો :- UP ના ગોવર્ધન પર્વતના વેચાણની તૈયારી મોદી સરકાર કરી રહી હોવાના ભ્રામક દાવાનું સત્ય

15 જુલાઇએ presidentofindia ને સ્મૃતિપત્ર આપતી વખતે સાધ્વી રેખા બેન, સાધ્વી પ્રતિમા બેન, કરુણેશ પાલ, શિક્ષણશાસ્ત્રી વિશાલ ચોટ્રે, આધુનિક વિચારક હર્ષુલ રઘુવંશી, કુંબી સમાજના યુવા નેતા અંકિત ઠાકરે, પવાર સમાજના પ્રમુખ હેમરાજ પટલે, બજરંગ દળ આઇટી સેલના પ્રભારી નિતેશ સાહુ, ભુપેશ પહાડે, ઓમપ્રકાશ દેહરીયા મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા.

Conclusion

presidentofindiaદ્વારા દેશના તમામ અભ્યાસ ક્રમમાં રામાયણ અને ભગવત ગીતાને સામેલ કરવા આદેશ કરવામાં આવ્યો હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. છીંદવાળા જિલ્લાના સામાજિક કાર્યકર ભગવાનદિન સાહુની આગેવાની હેઠળની અન્ય સામાજિક અને ધાર્મિક સંગઠનોએ દેશના તમામ શાળાના અભ્યાસક્રમોમાં ભગવદગીતા અને રામાયણનો સમાવેશ કરવા જિલ્લા કલેકટર મારફત રાષ્ટ્રપતિને એક નિવેદન રજૂ કર્યું હતું. જયારે આ વિષય પર રાષ્ટ્રપતિ દ્વારા હજુ કોઈ આદેશ જાહેર કરવામાં આવેલ નથી.

Result :- False


Our Source

guruasthadigitalnews
dsel.education
presidentofindia

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

17,944

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage
cookie

અમારી વેબસાઇટ કૂકીઓ નો ઉપયોગ કરે છે

અમે કુકીઝ અને સમાન તકનીકનો ઉપયોગ કરીએ છીએ તાકી વિષયવસ્તુને વ્યક્તિગત બનાવી શકો, વિજ્ઞાપનોને સુયોજિત કરી અને માપી શકો, અને ઉત્કૃષ્ટ અનુભવ આપી શકો. 'ઠીક છે' પર ક્લિક કરીને અથવા કુકી પસંદગીઓમાં એક વિકલ્પને ચાલુ કરીને, તમે આને સવિકારો, જેમાં આમાં અમારી કુકી નીતિમાં વિવરણ કરાયું છે.