ક્લેમ :-
“कपिल मिश्रा का भाषण सुने वह जज साहब जज बनने के पहले 10 सालों तक कांग्रेसी नेता मनीष तिवारी के असिस्टेंट थे और कांग्रेश के जमाने के कॉलेजियम ने ही उन्हें हाईकोर्ट का जज बनाया था इतना ही नहीं सोनिया गांधी का पर्चा भरते समय वह सोनिया गांधी के वकील थे”
(કપિલ મિશ્રાનું ભાષણ જે જજે સાંભળ્યું એ જજ બન્યા પહેલા 10 વર્ષ સુધી કોંગ્રેસી નેતા મનીષ તિવારીના આસિસ્ટન્ટ હતા અને કોંગ્રેસના સમયમાં તેના કોલેજીયમથી તેઓ જજ બનાવવામાં આવ્યા હતા એટલુજ નહી સોનિયા ગાંધીના ચુનાવી પર્ચા ભરતી વખતે તેના વકીલ હતા)
વેરિફિકેશન :-
ટ્વીટર પર એક તસ્વીર વાયરલ કરવામાં આવી છે જેના સાથે દાવો કરવામાં આવ્યો છે કે જજ એસ.મુરલીધર સોનિયા ગાંધીના વકીલ હતા, જજ એસ.મુરલીધર દિલ્હી હિંસા પર કેસના જજ હતા અને હાલ તેનું ટ્રાન્સફર પંજાબ કરવામાં આવ્યું છે. ત્યારે એક તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી છે, જેમાં સોનિયા ગાંધી ચૂંટણી લડવા માટે આવેદન આપી રહી છે ત્યારે તેમની સાથે જે વકીલ છે તે જજ એસ.મુરલીધર હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ તસ્વીરની સત્યતા તપાસવા માટે ગુગલ રિવર્સ ઇમેજ અને યાનડેક્ષ સર્ચના મદદ વડે કેટલીક તસ્વીર અને ન્યુઝ આર્ટિકલ મળી આવે છે, જેમાં આ તસ્વીર સોનિયા ગાંધીના રાયબરેલી સીટ પર ઉમેદવારી નોંધાવતા સમયની છે, જે ન્યુઝ કોંગ્રેસના ટ્વીટર એકાઉન્ટ પરથી પણ આપવામાં આવ્યા છે. જેમાં વાયરલ કરવામાં સમાન તસ્વીર જોવા મળે છે.
આ ઉપરાંત વાયરલ તસ્વીર અને જજ એસ.મુરલીધરની તસ્વીરને સરખાવતા આ બન્ને જજ એસ.મુરલીધર હોવાનો દાવો ખોટો સાબિત થાય છે.
આ બન્ને તસ્વીરમાં જે વકીલને એસ.મુરલીધર હોવાંના દાવા સાથે વાયરલ કરવામાં આવી છે, જે મળતા તમામ પરિણામો પરથી ભ્રામક અને ખોટા સાબિત થાય છે. હાલ દિલ્હી હિંસાને લઇ જજ એસ.મુરલીધરનું ટ્રાન્સફર કરવામાં આવ્યું છે, ઉલ્લેખનીય છે એસ.મુરલીધર દિલ્હી હિંસા પર ચાલી રહેલ કેસના સિનિયર જજ હતા. જયારે આ ટ્રાન્સફર થવા મુદ્દે ભાજપ નેતા રવિશંકર દ્વારા કહેવામાં આવ્યું કે આ ટ્રાન્સફર એક રૂટીન પ્રોસેસ છે, જેને એક પોલિટીકલ વોરમાં ફેરવવાના પ્રયત્નો વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
TOOLS :-
GOOGLE REVERSE IMAGES
GOOGLE KEYWORD SEARCH
TWITTER SEARCH
YANDEX SEARCH
NEWS REPORT
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)