Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ગુજરાત સરકાર શ્રમિકોને સહાય આપવામાં નિષ્ફળ નીવડી છે. #ગુજરાત મોડેલ, શ્રમિકો પોતાના વતન તરફ પગપાળા નીકળવા મજબુર બની ગયા છે, વગેરે જેવા દાવા સાથે West Uttar Pradesh Congress Sevadalના ટ્વીટર એકાઉન્ટ પરથી એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે. વાયરલ પોસ્ટ સાથે કેપ્શન આપવામાં આવ્યું છે “क्या ये ही था गुजरात मॉडल हजारो लोग पदयात्रा करते हुए अपने घरों की तरफ अग्रसर -जब सारी उम्मीद टूट गयी हो गुजरात सरकार से तब रास्ता भी क्या बचता है”
વાયરલ વિડિઓમાં ગુજરાતના શ્રમિકો પગપાળા વતન તરફ જવા નીકળ્યા હોવાનો દાવો ભ્રામક જણાતા ગુગલ રિવર્સ ઇમેજ સાથે સર્ચ કરતા કેટલાક ન્યુઝ રિપોર્ટ મળી આવે છે.
ઉપર મળેલા ન્યુઝ રિપોર્ટ પ્રમાણે આનંદ વિહાર દિલ્હી ખાતે પહેલા લોકડાઉન સમયે સૌપ્રથમ આ પ્રકારે વતન તરફ જવા નીકળેલા શ્રમિકો જોવા મળ્યા હતા, તેમજ આ ન્યુઝ રિપોર્ટમાં ઉપયોગમાં લેવાયેલ તસ્વીર અને વાયરલ વિડિઓ એક જ વિસ્તારનું હોવાનું જણાય છે.
ત્યારબાદ બાદ આ તસ્વીર અને કીવર્ડ સાથે વાયરલ દાવાને સર્ચ કરતા gettyimages પર આનંદ વિહાર દિલ્હી ખાતે શ્રમિકોની ભીડ ની તસ્વીર સાથે ઘટના વિશે માહિતી મળી આવે છે. તેમજ forbesindia દ્વારા પણ આ તસ્વીર શેયર કરવામાં આવી છે. જે મુજબ આ ઘટના પ્રથમ લોકડાઉનના ચાર દિવસ બાદ દિલ્હી આનંદ વિહાર બસ ટર્મિનલ ખાતે બનેલ છે.
તેમજ ટ્વીટર પર કૈલાશ ગહેલોત દિલ્હી કેબિનેટ મિનિસ્ટર, ન્યુઝ સંસ્થાન ANI તેમજ રાહુલ ગાંધીના ઓફિશ્યલ એકાઉન્ટ પરથી દિલ્હી આનંદ વિહારની ઘટના શેયર કરવામાં આવી છે, જે વિડિઓ પોસ્ટ અને વાયરલ વિડિઓ બન્ને એક જ વિસ્તારનું હોવાનું જણાય છે.
વાયરલ વિડિઓ પર મળતા તમામ પરિણામો સાબિત કરે છે, આ ઘટના દિલ્હી આનંદ વિહાર બસ ટર્મિનલની છે. જે વિડિઓ ગુજરાતના શ્રમિકો પગપાળા વતન તરફ જવા નીકળ્યા હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવ્યો છે.
SOURCE:-
FACEBOOK
TWITTER
NEWS REPORTS
ANI
પરિણામ :- ભ્રામક દાવો (MISLEADING)
Prathmesh Khunt
May 12, 2020
Prathmesh Khunt
May 21, 2020
Prathmesh Khunt
March 10, 2021