ક્લેમ :-
યસ બેંક ડૂબવાના કારણે જે 18,238 કર્મચારીઓ નોકરી ગુમાવશે તેમાં 17,000 હિંદુ છે. બોલો જય શ્રીરામ
વેરિફિકેશન :-
ફેસબુક પર થોડા દિવસ પહેલા યસ બેંકને લઇ એક ન્યુઝ વાયરલ કરવામાં આવ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે ‘યસ બેંક ડૂબવાના કારણે જે 18,238 કર્મચારીઓ નોકરી ગુમાવશે તેમાં 17,000 હિંદુ છે.બોલો જય શ્રીરામ’ ખાનગીક્ષેત્રની આ ચોથા નંબરની બૅન્ક 18,238 કર્મચારી, 1122 બ્રાન્ચ ઑફિસ અને 1720 એટીએમ સાથેની આ બૅન્ક અને એના પ્રમૉટર રાણા કપૂરનો હજુ થોડા વર્ષો પહેલાં મોટો દબદબો હતો.
આ વાયરલ દાવાની સત્યતા તપાસવા માટે ગુગલ કિવર્ડ મદદ વડે સર્ચ કરતા કેટલાક ન્યુઝ સંસ્થાન દ્વારા આ વિષય પર રિપોર્ટ જોવા મળે છે. જેમાં businesstoday, indiatvnews, navbharattimes વગેરે ન્યુઝ સંસ્થાનના ન્યુઝ રિપોર્ટ પ્રમાણે આ દાવો ખોટો અને ભ્રામક સાબિત થાય છે.
ન્યુઝ રિપોર્ટ પ્રમાણે RBI દ્વારા ખાતરી આપવામાં આવી છે કે આવતા એક વર્ષ સુધી કોઈપણ કર્મચારી પોતાની નોકરી યસ બેંક માંથી ગુમાવશે નહી, તેમજ તેઓની સેલેરી (પગાર) પણ સુરક્ષિત છે. આ ઉપરાંત RBI દ્વારા યસ બેંકના ખાતા ધારકોના પૈસા પણ સુરક્ષિત રહશે કોઈપણ ડિપોઝિટર પર આની અસર નહીં પડે.
વાયરલ દાવાને લઇ મળતા તમામ પરિણામો પરથી સાબિત થાય છે કે આ એક ભ્રામક અને ખોટો દાવો છે, જેને હાલમાં ચાલી રહેલ યસ બેંકના હાલત સંદર્ભે ભ્રામક રીતે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
TOOLS :-
FACEBOOK SEARCH
GOOGLE KEYWORD SEARCH
NEWS REPORTS
RBI
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)