Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
છેલ્લાં બે વર્ષથી કોરોના અને લોકડાઉનના કારણે ખેલૈયા મન મૂકીને ગરબા રમી શક્યા નથી. ત્યારે આ વર્ષે થોડી રાહત અનુભવી રહ્યા હતા, પરંતુ સરકારે તેમને મોટો ઝટકો આપતા ગરબા આયોજન પર 18% GST નાખી દીધો છે. જેને પગલે ગરબા આયોજકો અને લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ મુદ્દે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદશન પણ કરવામાં આવ્યું છે.
સોશ્યલ મીડિયા પર અનેક યુઝર્સ એક ન્યુઝ પેપર કટિંગ શેર કરી રહ્યા છે, જેમાં આ વર્ષે ગરબાના સીઝન પાસ બુકીંગ પર 18% GST લાગુ થયો હોવા અંગે માહિતી જોવા મળી રહી છે. ગરબા આયોજન પર 18% GST લાગુ થયો હોવાના સમાચાર પર વિપક્ષ દ્વારા ખુબ આકરો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. કેટલાક ન્યુઝ સંસ્થાનો તેમજ કોંગ્રેસ નેતાઓ દ્વારા “ગરબા આયોજન પર 18% GST” ટાઇટલ સાથે એક તસ્વીર શેર કરી રહ્યા છે.
આ પણ વાંચો : કોંગ્રેસ નેતાએ થાઈલેન્ડના રસ્તાની તસ્વીર ગુજરાતની હાલત હોવાના ભ્રામક દાવા સાથે શેર કરી
ગરબા આયોજન પર 18% GST લાગુ થયો હોવાના દાવા અંગે ગુગલ સર્ચ કરતા iamgujarat અને zeenews દ્વારા 2 ઓગષ્ટના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ, રાજ્ય સરકારે ગરબાના પાસ પર 18 ટકા GST નાંખ્યો છે. જો ગરબાના ડેઈલી પાસ 499 રૂપિયાથી વધારાનો હશે તો GST લાગશે અને ડેઈલી પાસ રૂ499થી ઓછો હશે તો GST લાગુ નહિ થાય.
આ અંગે વધુ તપાસ કરતા ન્યુઝ વેબસાઈટ deshgujarat દ્વારા 4 ઓગષ્ટના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ છે. અહીંયા આવા પબ્લિક આયોજન પર GST અંગે આપવામાં આવેલ વિસ્તૃત માહિતી મુજબ, જયારે દેશમાં GST લાગુ ન હતો ત્યારે આવા આયોજન પર 15% સર્વિસ ટેક્સ લેવામા આવતો હતો. પરંતુ જયારે GST કાનૂન અમલ આવ્યો ત્યારે 15% હેઠળ આવતા તમામ કેટેગરી 18% હેઠળ આવી ગયા છે.
વધુમાં, ભારત સરકારના નાણાં વિભાગ દ્વારા 28 જૂન 2017ના એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા જાહેર હિતમાં અને કાઉન્સિલની ભલામણ પર આંતર રાજ્ય નીચે મુજબની સેવાઓ કર મુક્ત જાહેર કરવામાં આવે છે. જે અંતર્ગત, સર્કસ, નૃત્ય અથવા થિયેટર, નાટક સહિતના પ્રદર્શન તેમજ એવોર્ડ ફંક્શન, કોન્સર્ટ, સંગીત કાર્યક્રમ અને અન્ય આવા આયોજનો કર મુક્ત જાહેર કરાયેલ છે.
આ કર મુક્ત નિયમ સાથે જોડાયેલ શરતો મુજબ, ઉપર જણાવેલ તમામ આયોજનોમાં વ્યક્તિ દિઠ કાર્યક્રમની ફી રૂ250થી વધુ ના હોવી જોઈએ. આ નોટિફિકેશન પરથી સ્પષ્ટ થાય છે કે ગરબા કે તેના જેવા અન્ય આયોજન પર GST નિયમ 2017થી લાગુ થયેલ છે.
ગરબા આયોજન પર 18% GST લાગુ થયો હોવાના દાવા પર મળતી માહિતી મુજબ સરકાર દ્વારા ગરબા તેમજ અન્ય પબ્લિક આયોજન પર GST લાગુ થતો નથી. પરંતુ, GST શરતોને આધીન આવા કર્યક્રમોનો ચાર્જ રૂ250થી વધુ ના હોવો જોઈએ. તેમજ આ વર્ષે ગરબા આયોજન પર ડેઈલી પાસ રૂ499થી ઓછો હશે તો GST લાગુ નહિ થાય.
Our Source
Media Reports By iamgujarat And zeenews On 2 Aug 2022
Media Report Of deshgujarat On 4 Aug 2022
Finance Department Notification on 27 June 2017
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar Shah
February 8, 2025
Vasudha Beri
July 11, 2024
Dipalkumar Shah
January 8, 2025