Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ભાજપ સરકાર એરપોર્ટ સેવાનું ખાનગીકરણ કરી રહી છે, જે અંતર્ગત ભારતના કેટલાક મોટા વિમાન મથકો ખાનગી કંપનીના હાથમાં સોંપવામાં આવ્યા છે. જો..કે ખાનગીકરણ મુદ્દે વિપક્ષ અને કેટલાક યુઝર્સ દ્વારા ભાજપ સરકાર પર અનેક સવાલો ઉઠાવતા રહે છે. આ ક્રમમાં ઘણી ભ્રામક ખબરો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થતી રહે છે.
આવા જ એક દાવા સાથે ન્યુઝ ચેનલ ABP અસ્મિતાની બ્રેકીંગ પ્લેટ વાયરલ થયેલ છે. વાયરલ પોસ્ટમાં PM મોદી એક સભાને સંબોધિત કરતા 4 વર્ષમાં 900 નવા એરપોર્ટ બનાવ્યા હોવાની વાત કરી રહ્યા છે. ફેસબુક પર “ભારતમાં કેટલા રાજય છે અને ૯૦૦ એરપોર્ટ બન્યા હોય તો ગુજરાત ને ભાગે કેટલા આવે?” ટાઇટલ સાથે ન્યુઝ ચેનલની બ્રેકીંગ પ્લેટ શેર કરવામાં આવેલ છે.
ભારતમાં છેલ્લા 4 વર્ષમાં 900 નવા એરપોર્ટ બનાવવામાં આવ્યા હોવાના દાવા અંગે ગુગલ સર્ચ કરતા PMO ઇન્ડિયા દ્વારા સપ્ટેમ્બર 2018ના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જે મુજબ ભારતમાં 100 એરપોર્ટ કાર્યરત થઈ ગયા છે, જેમાંથી 35 એરપોર્ટ છેલ્લા 4 વર્ષમાં જોડાયા છે. દેશમાં આઝાદીથી લઈને વર્ષ 2014 સુધી એટલે કે 67 વર્ષ પછી પણ 65 એરપોર્ટ હતા. છેલ્લા 4 વર્ષની અંદર દર વર્ષે સરેરાશ 9 એરપોર્ટ બનાવવામાં આવ્યા છે.
ભારતમાં છેલ્લા 4 વર્ષમાં 900 નવા એરપોર્ટ તૈયાર થયા હોવાના દાવા અંગે કીવર્ડ સર્ચ કરતા zeenews દ્વારા સપ્ટેમ્બર 2018ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. રિપોર્ટ મુજબ વડાપ્રધાન મોદી કચ્છમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા માટે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા, જ્યાં તેઓએ ઉડાન યોજના અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે 67 વર્ષમાં સરેરાશ દર વર્ષે એક નવું એરપોર્ટ તૈયાર થતું જયારે ભાજપ સરકારે ચાર વર્ષમાં દર વર્ષે 9 નવા એરપોર્ટ બનાવ્યા છે. આ એક વર્ષમાં 900 નવા વિમાનનો ઓર્ડર બૂક થયો છે.

વડાપ્રધાન મોદીના કચ્છ પ્રવાસ અને જાહેર સભામાં આપવામાં આવેલ ભાષણ અંગે ગુગલ સર્ચ કરતા યુટ્યુબ ચેનલ PMO India અને Narendra Modi પર પોસ્ટ કરવામાં આવેલ વિડિઓ જોવા મળે છે. વિડિઓમાં 52 મિનિટ બાદ PM મોદી ઉડાન યોજના અંગે વાતચીત શરૂ કરે છે, જેમાં તેઓ એ ભાજપ સરકારે ચાર વર્ષમાં દર વર્ષે 9 નવા એરપોર્ટ બનાવ્યા છે અને આ એક વર્ષમાં 900 નવા વિમાનનો ઓર્ડર બૂક થયો હોવાની જાણકારી આપી હતી.
આ પણ વાંચો :- અમદાવાદના અજીત મિલ વિસ્તારમાં આવેલ ઓવર બ્રિજ ધરાશાયી થયો હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ
PM મોદી દ્વારા કરવામાં આવેલ ટ્વીટ મુજબ કુલ 35 નવા એરપોર્ટ સાથે દેશમાં કુલ 100 એરપોર્ટ કાર્યરત હોવાના દાવા અંગે સચોટ માહિતી માટે ગુગલ સર્ચ કરતા civilaviation દ્વારા રજૂ કરવામાં આવેલ 2018-19ના વાર્ષિક રિપોર્ટ મળી આવે છે, જે મુજબ ભારતમાં કુલ 129 એરપોર્ટ છે, જેમાંથી 101 એરપોર્ટ કાર્યરત છે.

જયારે, 67 વર્ષમાં સરેરાશ દર વર્ષે એક નવું એરપોર્ટ અને કુલ 65 એરપોર્ટ હોવાના દાવા પર civilaviation દ્વારા રજૂ કરવામાં આવેલ 2013-14ના વાર્ષિક રિપોર્ટ મુજબ ભારતમાં કુલ 125 એરપોર્ટ હતા, જેમાંથી 94 એરપોર્ટ કાર્યરત હતા. 2014 પછી દર વર્ષે નવ એરપોર્ટના દરે, કુલ 36 નવા એરપોર્ટ અત્યાર સુધીમાં તૈયાર થઈ જવા જોઈએ. જ્યારે સિવિલ એવિએશનના વાર્ષિક રિપોર્ટના આધારે મળતા ડેટા મુજબ 2018 સુધીમાં કુલ 7 નવા એરપોર્ટ કાર્યરત થયા છે.

ભારતમાં કુલ 900 એરપોર્ટ તૈયાર થયા હોવાના ભ્રામક દાવા સાથે ન્યુઝ ચેનલની બ્રેકીંગ પ્લેટ વાયરલ થયેલ છે. 2018માં કચ્છ પ્રવાસ દરમ્યાન PM મોદીએ ઉડાન યોજના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ભારતને એક વર્ષમાં 900 નવા વિમાનનો ઓર્ડર મળ્યો છે. જયારે સિવિલ એવિએશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ વાર્ષિક રિપોર્ટ અનુસાર ભારતમાં 2014 પહેલા 94 વિમાન મથક કાર્યરત હતા અને 2018 સુધીમાં કુલ 101 એરપોર્ટ કાર્યરત હતા.
zeenews
PMO India
Narendra Modi
civilaviation
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar Shah
August 12, 2025
Kushel Madhusoodan
July 31, 2025
Dipalkumar Shah
May 24, 2025