Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Coronavirus
તહેવારો બાદ અલગ અલગ રાજ્યો અને શહેરોમાં પણ કોરોના કેસનું સંક્રમણ વધ્યું છે. તેવા સમયે આપણે કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે તાત્કાલિક નિર્ણય કરીને અમદાવાદમાં કર્ફ્યુનો અમલ કરાવવો પડ્યો છે. નોંધનીય છે અમદાવાદ સિવાય વડોદરા, સુરત અને રાજકોટમાં પણ રાત્રિ કર્ફ્યુ અમલમાં છે.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે અને અમદાવાદ-મુંબઇને જોડતા નેશનલ એક્સપ્રેસ હાઇવે ખાનગી વાહનો માટે બંધ કરવામાં આવ્યો હોવાના દાવા સાથે સોશ્યલ મીડિયા પોસ્ટ વાયરલ થયેલ છે. ન્યુઝ સંસ્થાન GSTV દ્વારા 20 નવેમ્બરના પબ્લિશ કરવામાં આર્ટિકલ પર દાવો કરવામાં આવ્યો છે, ‘એક્સપ્રેસ હાઇવે ખાનગી વાહનો માટે બંધ કરાયો, માત્ર સરકારી વાહનોને જ એન્ટ્રી‘
રાજ્યમાં વકરતા જતા કોરોનાને અંકુશમાં લેવા માટે રાજ્ય સરકારે અમદાવાદ બાદ રાજકોટ ,વડોદરા અને સુરતમાં કર્ફ્યુ લાદવાની જાહેરાત કરી હતી.ત્યારબાદ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે અને અમદાવાદ મુંબઇને જોડતા નેશનલ એક્સપ્રેસ હાઇવે ખાનગી વાહનો માટે બંધ કરવામાં આવ્યો હોવાના સોશિયલ મીડિયા અને સમાચાર માધ્યમોમાં પ્રસારિત થયેલા આ સમાચાર તદ્દન ભ્રામક છે.
વાયરલ દાવા પર ગુગલ કીવર્ડ સાથે સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન zeenews, akilanews તેમજ sanjsamachar દ્વારા પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જેમા વાયરલ મેસેજ સંપૂર્ણ ખોટો સાબિત થયો, એક્સપ્રેસ હાઈવે રાબેતા મુજબ જ ખુલ્લો છે. હાઈવે પર વાહનોની પણ અવરજવર પણ થઈ રહી છે. ટોલ બૂથ સ્ટાફ પણ રાબેતા મુજબ ઉપસ્થિત છે. જોકે, અમદાવાદમાં કરફ્યુના પગલે ફક્ત વાહનોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.

આ મુદ્દે વધુ તપાસ કરતા હાઇવે ઓથોરિટી સાથેની ટેલિફોનિક વાતચીતમાં આવો કોઈ પણ પ્રકારનો નિર્ણય કરવામાં નહીં આવ્યો હોવાની સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. એટલું જ નહીં આજે પણ ખાનગી વાહનો એક્સપ્રેસ હાઈવે ઉપર રાબેતા મુજબ ચાલુ હોવાની સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી.
ન્યુઝ સંસ્થાનો તેમજ હાઇવે એથોરિટી દ્વારા કરવામાં આવેલ સ્પષ્ટતા મુજબ કરફ્યુના કડક અમલીકરણ માટે હાઈવે બંધ કરવામાં આવ્યો છે તે વાત તદ્દન પાયાવિહોણી સાબિત થઈ છે. એક્સપ્રેસ હાઈવે રાબેતા મુજબ જ ખુલ્લો છે,કરફ્યુના પગલે ફક્ત વાહનોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.
zeenews,
akilanews
sanjsamachar
Phone Verification
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Prathmesh Khunt
February 11, 2023
Prathmesh Khunt
February 4, 2023
Prathmesh Khunt
January 7, 2023