Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
પીએમ મોદી આસારામના સંતાન હોવાના અમરિકી ડીએનએ નિષ્ણાતના દાવાનું ન્યૂઝકટિંગ.
દાવો ખોટો છે. ન્યૂઝ કટિંગ ફેક છે. તે એડિટેડ છે. તેમાં શબ્દો અને તસવીર સાથે છેડછાડ કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશે એક ન્યૂઝકટિંગ વાયરલ થઈ રહ્યું છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમેરિકાના એક ડીએનએ નિષ્ણાતે દાવો કર્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસારામ બાપુના દીકરા છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં મૂકવામાં આવેલા સામાચાર પત્રના ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમેરિકાના એક ડીએનએ વિશેષજ્ઞએ એવો દાવો કર્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસારામ બાપુના દીકરા છે.“
સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં અને અહીં જુઓ.
સૌપ્રથમ દાવાને તપાસ માટે અમે અહેવાલમાં જે ડીએનએ નિષ્ણાત ડૉ. માર્ટિનના નામનો ઉલ્લેખ છે, તેમના વિશે ગૂગલ કીવર્ડ સર્ચ કર્યાં. જેમાં અમને કોઈ સત્તાવાર અહેવાલો પ્રાપ્ત ન થયા. વધુ તપાસના પ્રયાસમાં પણ અમને કોઈ પરિણામ પ્રાપ્ત થયું નહીં. જે દર્શાવે છે કે, ખરેખર આવા કોઈ નિષ્ણાત છે જ નહીં જેમણે આ પ્રકારે કોઈ દાવો કરેલ હોય.
ત્યાર બાદ અમે ન્યૂઝકટિંગને વધુ ધ્યાનથી ચકાસતા અમને તેની બનાવટ પર શંકા ગઈ. તેમાં અમે નોંધ્યું કે ખરેખર કેટલાક શબ્દો જેમ કે નરેન્દ્ર મોદીનું નામ વિગેરેના ફૉન્ટ ખૂબજ અલગ છે. જેણે શંકા ઉપજાવી કે, કદાચ કોઈ અન્ય વિશે છપાયેલ અથવા ન્યૂઝકટિંગમાં આ શબ્દો જાણીજોઈને એડિટ કરવામાં આવેલ છે.
વધુ તપાસ કરતા અમને ભૂતકાળમાં આ જ ન્યૂઝકટિંગ રાહુલ ગાંધીના નામે વાઇરલ થયું હોવાનો અહેવાલ પ્રાપ્ત થયો.
એબીપી ન્યૂઝ દ્વારા 1 મે-2024ના રોજ અહેવાલ પ્રકાશિત કરાયો હતો. જેમાં પડતાલ કરવામાં આવી હતી કે, રાહુલ ગાંધી રાજીવ ગાંધીના પુત્ર નથી એવું ડીએનએ નિષ્ણાત દ્વારા દાવો કરાયો છે તે ન્યૂઝકટિંગ ખરેખર એડિટેડ છે.
આ અહેવાલમાં જે ન્યૂઝકટિંગની વાત છે તે અને નરેન્દ્ર મોદી વિશે વાઇરલ કરાયેલ ન્યૂઝકટિંગ બંને સરખા જ છે. માત્ર તેમાં તસવીરો અલગ છે તથા નામ અલગ છે. વળી લખાણ પણ બંનેમાં સરખા જ છે.
જે સ્પષ્ટ સૂચવે છે કે, ખરેખર આ ન્યૂઝકટિંગ બનાવટી અને એડિટેડ છે. જે ગેરમાર્ગે દોરવા અને ભ્રમિત કરવા માટે વાઇરલ કરાયું છે.
તદુપરાંત અમે ભારત સરકારની વેબસાઇટ પર પણ ચકાસણી કરી, જેમાં પીએમ મોદીના બાયોલૉજિકલ પિતા એટલે કે અસલી પિતા દામોદરદાસ મોદી હોવાનો તેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે.
તેમનો જન્મ ગુજરાતના વડનગરમાં દામોદરદાસ મોદી અને હીરાબા મોદીનું તેઓ ત્રીજુ સંતાન છે.
ઉપરાંત 3 ફેબ્રુઆરી-2022ના રોજ જાગરણ જોશ દ્વારા નરેન્દ્ર મોદીની બાયૉગ્રાફી પ્રકાશિત કરવામાં આવી હતી. તેમાં પણ તેમના પિતા દામોદરદાસ મોદી જ હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે.
આવા જ એક અન્ય સમાચાર રાહુલ ગાંધીના નામે પણ વાયરલ થયા હતા તો આ બંને ફોટો વચ્ચેની સામ્યતા તમે નીચે જોઈ શકો છો.
અમે આ મામલે ભાજપના મીડિયા સેલનો પણ સંપર્ક કર્યો હતો. જોકે, તેમના તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા પ્રાપ્ત થયેલ નથી. તેમની પ્રતિક્રિયા પ્રાપ્ત થયા બાદ તેને અહેવાલમાં સામેલ કરી લેવામાં આવશે.
અમારી તપાસમાં અમને જાણવા મળે છે કે, દાવો ખોટો છે કેમ કે, ન્યૂઝકટિંગ એડિટેડ છે. નરેન્દ્ર મોદીના પિતા દામોદરદાસ મોદી છે. ન્યૂઝકટિંગમાં કરવામાં આવેલો દાવો ખોટો અને ગેરમાર્ગે દોરનારો છે, આથી તે ફેક ન્યૂઝ કટિંગ છે.
Sources
News Report by ABP News, dated, 1st May-2024
News Report by Jagran Josh, dated, 3rd Feb, 2022
PM India Govt Website
Dipalkumar Shah
April 10, 2025
Dipalkumar Shah
April 9, 2025
Dipalkumar Shah
April 4, 2025