Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેકનયુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં CM રૂપાણી પતંગ ઉડાવી રહ્યા છે અને નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે, BJP નેતા રાજેશ ભાટિયાએ કિસાનો અંગે ખરાબ ટિપ્પણી કરી,વેક્સીન લીધા બાદ મુરાદાબાદના વોર્ડબોયનું મૃત્યુ થયું અને અમેરિકા રાષ્ટ્ર્પતિ શપથ સમારોહમાં માત્ર ભારત ને આમંત્રણ નથી આપવામાં આવ્યું હોવાના ભ્રામક દાવાઓ પર કરવામાં આવેલ ખુલાસો

CM રૂપાણી પતંગ ઉડાવી રહ્યા હતા અને કોરોના ગાઇડલાઇન નું પાલન પણ નથી કર્યું હોવાનો વાયરલ દાવો અને તસ્વીર તદ્દન ભ્રામક છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તસ્વીર વર્ષ 2019માં CM રૂપાણી દ્વારા ઉજ્વવામાં આવેલ ઉતરાયણ સમયની છે. જયારે આ વર્ષે સાંસદ અભય ભારદ્વાજ કે જે રૂપાણીના ખાસ મિત્ર હતા, તેમના નિધનના કારણે ઉતરાયણની ઉજવણી કરી ન હતી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભાજપના નેતા રાજેશ ભાટિયાના નામે વાયરલ લેટર બનવાટી છે. કિસાનો અંગે ખરાબ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો પત્ર બનાવટી હોવાની માહિતી રાજેશ ભાટિયા દ્વારા તેમના સોશ્યલ મીડિયા એકાઉન્ટ મારફતે આપવામાં આવેલ છે. આ મુદ્દે તેમણે પોલીસ ફરિયાદ પણ નોંધાવેલ છે.

મુરાદાબાદમાં વેક્સીન લીધા બાદ હોસ્પિટલના વોર્ડબોયનું મૃત્યુ થયું હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ વોર્ડબોયનું હાર્ટએટેકના કારણે મૃત્યુ થયેલ છે. આ બાબતે આરોગ્ય સચિવ દ્વારા પણ ભ્રામક માહિતી પર સ્પષ્ટતા કરવામાં આવી હતી.

પ્રજાસતાક દિનની ઉજવણી નહીં કરનાર મદ્રેસા પર યોગી સરકાર તાળા લગાવવાની હોવાનો દાવો કરતો વાયરલ મેસેજ ભ્રામક છે. યોગી સરકાર દ્વારા વર્ષ 2017માં એક એડવાઈઝરી મારફતે મદ્રેસાને અપીલ કરી હતી, કે તેઓ રાષ્ટ્રદીનની ઉજવણી કરે અને વિદ્યાર્થીમાં જાગરૂકતા લાવે. હાલમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ મેસેજ પર કોઈપણ મીડિયા અહેવાલ કે સરકારી એડવાઈઝરી જોવા મળેલ નથી.

અમેરિકાના રાષ્ટ્ર્પિ શપથ સમારોહમાં માત્ર ભારત ને આમંત્રણ આપવામાં નથી આવ્યું હોવાનો દાવો કરતો વાયરલ મેસેજ તદ્દન ભ્રામક છે. હાલમાં ટ્રમ્પ સપોર્ટર દ્વારા કેપિટલ પર થયેલ હુમલો અને પબ્લિક હેલ્થ સેફટી કોરોના ધ્યાને લઇ શપથ સમારોહ ખુબ જ ઓછા લોકો સાથે શાંતિ પૂર્વક રાખવામાં આવ્યો હતો. અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ શપથ સમારોહમાં માત્ર ભારત નહીં પરંતુ કોઈપણ દેશને આમંત્રણ આપવામાં આવ્યું નથી.
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Prathmesh Khunt
February 11, 2023
Prathmesh Khunt
February 4, 2023
Prathmesh Khunt
January 7, 2023