Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
સ્ટેચ્યુ ઓફ યુનિટીના 3000 કરોડ પર પાણી ફરી વળ્યું, સ્ટેચ્યુ નજીક નર્મદાનું પાણી ફરી વળ્યું હોવાનો દાવો કરતો વિડિઓ વાયરલ થઈ રહ્યો છે. ફેસબુક પર “देश का 3000 करोड़ रुपया बह गया पानी मे” કેપશન સાથે AAP NEWS તેમજ અન્ય કેટલાક યુઝર્સ દ્વારા શેયર કરવામાં આવેલ છે. તેમજ ટ્વીટર પર પણ સમાન દાવા સાથે વિડિઓ વાયરલ થયેલ છે.
વાયરલ વિડિઓ સાથે કરવામાં આવેલ દાવા પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા, કેટલાક ન્યુઝ સંસ્થાન દ્વારા 2019માં પબ્લિશ કરવામાં આવેલ રિપોર્ટ જોવા મળે છે. જે મુજબ ગત વર્ષે ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં ગુજરાતમાં ભારે વરસાદના કારણે અને સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવાના કારણે આસપાસના ગામડાઓ હાઇએલર્ટ પર મુકાયા હતા.
આ મુદ્દે ટ્વીટર પર સપ્ટેમ્બર 2019ના પીએમ નરેન્દ્ર મોદીના એકાઉન્ટ પરથી કરાયેલ ટ્વીટ જોવા મળે છે, જેમાં પીએમ મોદી સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવાના કારણે આવેલ પૂરની હવાઈ સમીક્ષા કરવા માટે આવ્યા હતા. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આજુબાજુ આવેલ પાણી અને પરિસ્થિતિનો વિડિઓ પોસ્ટ કરવામાં આવ્યો છે.
વાયરલ વિડિઓ પર મળતા પરિણામ પરથી સાબિત થાય છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ પાણી ફરી વળ્યાં હોવાનો દાવો કરતો વિડિઓ 2019માં આવેલ વરસાદના સમયનો છે. સોશ્યલ મીડિયા પર 2019માં લેવામાં આવેલ વિડિઓ હાલની પરિસ્થિતિ હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવ્યો છે.
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Vasudha Beri
July 3, 2024
Prathmesh Khunt
February 11, 2023
Prathmesh Khunt
February 4, 2023