Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર રહી ચૂકેલા અને પૂર્વ ધારાસભ્ય એવા નરેશ કનોડિયા કોરોનાગ્રસ્ત છે. 20 ઓક્ટોબરના રોજ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેના એક-બે દિવસો બાદ સોશ્યલ મીડિયા પર નરેશ કનોડિયાની તસ્વીર સાથે દાવો કરતી પોસ્ટ વાયરલ થયેલ છે, જે મુજબ કોરોના મહામારી સામે તેઓ હારી ગયા અને ગુજરાતના દિગ્ગ્જ સ્ટાર એવા નરેશ કનોડિયાનું અવસાન થયું છે.
આ મુદ્દે રાજ્યસભા મેમ્બર પરષોત્તમ રૂપાલા દ્વારા 23 ઓક્ટોબરના ટ્વીટ કરવામાં આવી હતી, જેમાં ગુજરાતના મેગા સ્ટાર અને પૂર્વ સંસદભ્ય નરેશ કનોડિયાનું મૃત્યુ થયું હોવાની માહિતી આપવામાં આવી હતી. જે બાદ તેઓ દ્વારા આ ટ્વીટ હટાવવામાં પણ આવેલ છે.
નરેશ કનોડિયાનું અવસાન થયું હોવાના દાવા પર તપાસ શરૂ કરતા ન્યુઝ સંસ્થાન gujaratimidday, news18 અને divyabhaskar દ્વારા આ મુદ્દે ખુલાસો આપતો આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ ખબર અને પરષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલ ટ્વીટ એક ભ્રામક માહિતી છે. નરેશ કનોડિયાનું અવસાન થયું નથી તેઓ હાલ અમદાવાદની યુ.એન.મેહતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
આ મુદ્દે વધુ તપાસ કરતા નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયાના ફેસબુક એકાઉન્ટ પરથી 23 ઓક્ટોબરના પોસ્ટ કરવામાં આવેલ લાઈવ વિડિઓ જોવા મળે છે. જેમાં તેઓએ વાયરલ થયેલ તમામ ભ્રામક દાવા પર સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે મારા પપ્પા એટલેક આપ સૌના સ્ટાર એવા નરેશ કનોડિયાની હાલત સ્થિર છે, તેઓ સારવાર લઈ રહ્યા છે અને તેમના અવસાન વિશે વાયરલ થયેલ તમામ ખબરો ભ્રામક હોવાની જાણકારી આપવામાં આવી હતી.
જયારે આ મુદ્દે વધુ સર્ચ કરતા જાણવા મળે છે, ગઈ કાલે 25 ઓક્ટોબરના ગુજરાતી ચિત્ર નગરીના દિગ્ગજ કલાકાર અને સંગીતકાર મહેશ કનોડિયા નું અવસાન થયું છે. જે મુદ્દે અનેક સમાચાર તેમજ ટ્વીટર મારફતે PM મોદી દ્વારા પણ દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું હતું.
ગુજરાતી સુપર સ્ટાર નરેશ કનોડિયાનું અવસાન થયું હોવાની માહિતી તદ્દન ભ્રામક છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ પોસ્ટ એક ભ્રામક ખબર હોવાની માહિતી નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયા દ્વારા આપવામાં આવેલ છે. નરેશ કનોડિયાની હાલત સ્થિર છે અને તેઓ અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
હિતુ કનોડિયાના ફેસબુક
gujaratimidday,
news18
divyabhaskar
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Prathmesh Khunt
February 11, 2023
Prathmesh Khunt
February 4, 2023
Prathmesh Khunt
January 7, 2023