Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Coronavirus
કોરોના વાયરસ માટે રસીકરણ પ્રકિયા શરૂ થઈ ચુકી છે, ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ઓક્સફર્ડ દ્વારા વેક્સીન બનાવવામાં આવી રહી છે. ત્યારે હાલમાં પુણે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આગ લગાવાનો બનાવ બન્યો છે. જેમાં 5 લોકોનું મૃત્યુ પણ થયું હોવાની માહિતી પણ છે. ત્યારે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં આગ કોરોના વેક્સીનના પ્લાન્ટમાં લાગેલ છે. જ્યાં કરોડોના વેક્સીન ડોઝ તૈયાર હે તે બિલ્ડીંગમાં આગ લાગી હોવાના દાવા સાથે વિડિઓ અને તસ્વીર શેર કરવામાં આવેલ છે. ફેસબુક પર “પુણેમાં જ્યાં કોરોના વેક્સિન બને છે તે પ્લાન્ટમાં આગ, અહીં વેક્સિનના કરોડો ડોઝ સ્ટોરમાં છે” કેપશન સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે.


સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં આગ લાગવાની ઘટના પર વાયરલ થયેલ દાવો જેમાં કોવીડ વેક્સીનના ડોઝ જે બિલ્ડીંગમાં છે ત્યાં આગ લાગી હોવાની જાણકારી આપતી પોસ્ટ પર કેટલાક ગુગલ કીવર્ડ સાથે સર્ચ કરતા timesofindia અને thelogicalindian દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ આગમાં મૃત્યુ થનાર વ્યક્તિના પરિવારન 25 લાખ સુધી સહાયતા કરવાની જાહેરાત કરવામાં આવી તેમજ જે બિલ્ડીંગમાં આગ લાગી હતી ત્યાં BCG અને ROTAVIRUS ની રસીઓ હાજર હતી. અંદાજે 1000 કરોડનું નુકશાન થયું હોવાની જાણકારી આપવામાં આવી હતી.

જયારે કોરોના વેક્સીનના ડોઝ અને સીરમ ઇન્સ્ટીટયુટમાં લાગેલી આગ મુદ્દે વધુ તપાસ કરતા indianexpress અને ndtv દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જેમાં આગની ઘટના બાદ CM ઉદ્ધવ ઠાકરે પણ ઘટના સ્થળે આવ્યા હતા અને મરનાર 5 લોકો પર શોક વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત તેમણે લોકોને માહિતી આપી હતી કે આગની ઘટનામાં કોરોના વાયરસની વેક્સીન પર કોઈ નુકશાન થયેલ નથી, વેક્સીનના ડોઝ સુરક્ષિત છે. આગ લાગવાના સમાચાર સાંભળતા અંશે લોકોને વેક્સીન અંગે ચિંત્તા થવા લાગી હતી પરંતુ કોરોના વેક્સીન મેન્યુફેક્ચરિંગ અને સ્ટોરેજ પ્લાન્ટ એકદમ સુરક્ષિત હોવાની માહિતી ઉદ્ધવ ઠાકરેએ આપી હતી.
જયારે વધુ સચોટ માહિતી માટે ટ્વીટર પર અદાર પુનાવાલા જે સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO છે, તેમના દ્વારા કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જેમાં તેમેણે વેક્સીન અને આગ અંગે માહિતી આપતા કહ્યું કે ‘હું સરકાર અને લોકો બન્નેને જાણ કરવા મંગુ છું કે આગની ઘટનામાં કોરોના વેક્સીન એકદમ સુરક્ષિત છે.’ આ ઉપરાંત ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે દ્વારા ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લેવામાં આવી હતી, જે બાદ પુનાવાલાના ટ્વીટમાં કહેવામાં આવ્યું કે કોરોના વેક્સીનના ડોઝનું કામ કાર્યરત,સમયસર અને સુરક્ષિત છે.
પુણે સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં આગ લગાવાની ઘટનામાં કોરોના વેક્સીનના ડોઝને નુક્શન થયું હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. આ ઉપરાંત કોરોના વેક્સીન તૈયાર થનાર પ્લાન્ટમાં જ આગ લાગી હોવાની જાણકારી પણ તદ્દન ભ્રામક છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO અને મહારાષ્ટ્રના CM દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ કોરોના વેક્સીન એકદમ સુરક્ષિત છે, તેમજ આગની ઘટના બીજા એક ડિપાર્ટમેન્ટમાં બનેલ છે, જ્યાં કોરોના વેક્સીન તૈયાર થતી નથી. જેથી વાયરલ દાવો તદ્દન ભ્રામક સાબિત થાય છે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO
indianexpress
ndtv
timesofindia
thelogicalindian
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Prathmesh Khunt
February 11, 2023
Prathmesh Khunt
February 4, 2023
Prathmesh Khunt
January 7, 2023