Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. ત્યારે એક તસ્વીર વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, કિસાન આંદોલનને કેનેડાના વડાપ્રધાન દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. આ સાથે તેઓ કેનેડામાં વસેલા ભારતીયો સાથે આ નવા કાયદાના વિરોધમાં ધરણા પર બેઠા છે. વાયરલ તસ્વીરને ફેસબુક અને ટ્વીટર પર અનેક દાવાઓ સાથે શેર કરવામાં આવેલ છે.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની વાયરલ તસ્વીર સાથે કરવામાં આવેલ દાવાની તપાસ શરૂ કરતા વાયરલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા hciottawa.gov.in અને ottawacitizen વેબસાઈટ પર નવેમ્બર 2015ના પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો 2015માં ઓટાવા શહેરના શીખ મંદિર પર દિવાળી ઉજવવા માટે જોડાયા હતા. જયારે આ મુદ્દે High Commission of India, Ottawa દ્વારા એક પ્રેસ રિલીઝ પણ જાહેર કરાયેલ છે.
જયારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર આ મુદ્દે તપાસ શરૂ કરતા ટ્વીટર પર 11 નવેમ્બર 2015ના ટ્રુડો દ્વારા કરવામાં આવેલ દિવાળીની શુભકામના પાઠવાતી ટ્વીટ જોવા મળે છે.
કેનેડાના વડાપ્રધાન હાલ દિલ્હી ખાતે ચાલી રહેલ ખેડૂત આંદોલનના સમર્થનમાં ધરણા પર બેઠા હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર તદ્દન ભ્રામક છે. વાયરલ તસ્વીર 2015માં ઓટાવા શહેરમાં દિવાળીની ઉજવણીમાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો શીખ મંદિર પર આવ્યા હતા તે સમયની છે. જયારે સોશ્યલ મીડિયા પર હાલમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનના મુદ્દે ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
hciottawa.gov.in
ottawacitizen
High Commission of India, Ottawa
જસ્ટિન ટ્રુડો
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Prathmesh Khunt
February 11, 2023
Prathmesh Khunt
February 4, 2023
Prathmesh Khunt
January 7, 2023