Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
કિસાન આંદોલન, 26 જાન્યુઆરીટ્રેકટર પરેડ કરવામાં આવી હતી, જે દરમિયાન કેટલીક જગ્યાઓ પર તોડફોડ-ટીયર ગેસ-લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. કેટલાક ખેડૂતો દ્વારા દિલ્હી લાલ કિલ્લા પર કિસાન આંદોલન અને નિશાન સાહેબનો ધ્વજ પણ ફરકાવ્યો હતો. જે વિડિઓ સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો હતો.
દિલ્હીમાં થયેલ હિંસામાં એક કિસાનનું મૃત્યુ પણ થયું છે. કેટલીક જગ્યા પર કિસાન અને પોલીસ વચ્ચે પણ પથ્થરમારો અને લાઠી ચાર્જ થયો હતો. જે સંદર્ભે ફેસબુક અને ટ્વીટર પર એક તસ્વીર વાયરલ કરવામાં આવેલ છે. આ તસ્વીરમાં એક કિસાન પર થયેલ લાઠીચાર્જમાં વાગેલા ઘા હોવાના દાવા સાથે “આ કીસાનો ઊપર પડેલા માર નો બદલો ફેકુ ને ભગવાન આપશે ખરુ ને દોશ્તો ?” કેપશન શેર કરવામાં આવેલ છે.

26મી જાન્યુઆરીના દિલ્હીમાં થયેલ હિંસામાં ખેડૂત પર થયેલ લાઠીચાર્જની વાયરલ તસ્વીર જયારે ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ફેસબુક પર हरियाणा टाइम्स દ્વારા જૂન 2019ના કરવામાં આવેલ પોસ્ટ જોવા મળે છે. જેમાં દિલ્હી પોલીસ દ્વારા સરદારજી ને મારવામાં આવ્યા હોવાની માહિતી આપવામાં આવેલ છે.
જયારે આ ઘટના પર કીવર્ડ સર્ચ કરતા ટ્વીટર યુઝર દ્વારા જૂન 2019ના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે, જે મુજબ શીખ રીક્ષા ચાલક અને તેના દીકરાને દિલ્હી મુખર્જી નગર પોલીસ સ્ટેશન બહાર મારવામાં આવ્યા હતા.
જયારે ટ્વીટર યુઝર દ્વારા આપવામાં આવેલ માહિતી આધારે tribuneindia દ્વારા જૂન 2019ના પ્રકાશિત કરવામાં અહેવાલ જોવા મળે છે. જે મુજબ રીક્ષા ચાલકને મુખર્જી નગર પોલીસ દ્વારા રસ્તા પર માર મારવામાં આવ્યો હતો. જે ઘટનાનો વિડિઓ અનેક લોકો દ્વારા ટ્વીટર પર શેર કરવામાં આવેલ છે.
પોલીસ દ્વારા કરવામાં આવેલ મારામારીનો આ વિડિઓ શીખ ગુરુદ્વારા પ્રેસિડેન્ટ Manjinder Singh Sirsa દ્વારા પણ 16 જૂન 2019ના પોસ્ટ કરવામાં આવેલ છે.
આ મારામારી બાદ રીક્ષા ચાલકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જે સમયે લેવાયેલ તસ્વીર પૂર્વ IT હેડ આમ આદમી પાર્ટીના અંકિત લાલ દ્વારા શેર કરવામાં આવેલ હતી. ઉપરાંત પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હોવાની તસ્વીર પણ અહીંયા જોઈ શકાય છે.
વધુમાં આ ઘટના પર દિલ્હી CM કેજરીવાલ દ્વારા ટ્વીટ જોવા મળે છે, જેમાં તેઓએ મારામારીની ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમજ ગુનેગાર પર કડક કાર્યવાહી થાય તેવું સૂચન પણ કર્યું હતું.
26મી ના થયેલ ટ્રેક્ટર પરેડ અને તેમાં થયેલ હિંસામાં કિસાન પર લાઠી ચાર્જ કરવામાં આવ્યો અને આ દાવા સાથે વાયરલ કરવામાં આવેલ તસ્વીર તદ્દન ભ્રામક છે. પીઠ પર લાઠીના ઘા સાથે વાયરલ થયેલ તસ્વીર જૂન 2019માં થયેલ બનાવની છે, જેમાં મુખર્જી નગર પોલીસ દ્વારા એક શીખ રીક્ષા ચાલકને માર મારવામાં આવ્યો હતો. હાલમાં ખેડૂત આંદોલનમાં આ પ્રકારે હિંસા કરવામાં આવી હોવાના ભ્રામક દાવા સાથે જૂની તસ્વીર શેર કરવામાં આવેલ છે.
Facebook
Twitter
News
CM tweet
Viral Video
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Prathmesh Khunt
February 11, 2023
Prathmesh Khunt
February 4, 2023
Prathmesh Khunt
January 7, 2023